________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
હેતુનું સ્વરૂપ કહે છે.
^ तत्थाहरणं दुविहं चउव्विहं होइ एक्कमेक्कं तु हेऊ चउव्विहो खलु तेण उ साहिज्जए अत्थो ॥ ५१ ॥ 'તંત્ર' શબ્દ વાક્યનો ઉપન્યાસ બતાવનાર છે અથવા નિશ્ચય વાચક છે. ઉદાહરણ પૂર્વની માફક છે, તે મૂળ ભેદથી બે પ્રકારે છે. એટલે એક બનેલું (ચરિત) અને બીજાં સમજાવવા માટે બનાવટી (કલ્પિત)હવે તેમાં ઉત્તર ભેદ જે ચાર પ્રકારે છે તે કહે છે. તે બેનાજ (૨) ઉદાહરણ, આહરણ ૧ તેનો દેશ. ૨ તેનો દોષ ૩ તેનો ઉપન્યાસ ૪ એ ચાર ભેદ આગળ કહીશું.
अध्ययन १
ઇચ્છિત ધર્મ વિશિષ્ટ અર્થને પમાડે તે હેતુ. તે ચાર પ્રકારે છે. 'ખલુ' શબ્દ વ્યક્તિ ભેદથી અનેક પ્રકારનો વિશેષ અર્થ બતાવનાર છે. 'તુ' શબ્દનો પુનઃ શબ્દાર્થ છે. તે હેતુ વડે સાધ્ય અર્થ અવિનાભાવના બલ વડે સધાય છે, કરાય છે અથવા જણાય છે. અર્થ એટલે જે સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા છે. હવે જુદા જુદા દેશમાં જન્મેલા શિષ્યોના સમુદાયના હિત માટે ઉદાહરણના એક અર્થમાં વપરાતા પર્યાયવાચી શબ્દો કહે છે. ૫ ૫૧૫ નાયમુદ્દાદરાંતિઞ, વિાંતોવમ નિરિસમાં તાય । માં તું તુવિદં ચતિં ચેવ નાયન્યું ॥ પર ॥
જ્ઞાત, જે વડે દૃષ્ટાંત આપવાનો અર્થ જણાય તે, અધિકરણમાં નિષ્ઠા પ્રત્યય છે. તે પ્રમાણે જે વડે ઉદાહરણ કરાય અને ઇચ્છિત અર્થ પમાય તે ઉદાહરણ. દૃષ્ટાંત એટલે જોયેલા અર્થને અંત સુધી લઈ જાય અતીદ્રિય એટલે પ્રમાણથી ન દેખાયેલું સંવેદન નિષ્ઠાને પહોંચાડે તે દૃષ્ટાંત છે. જેના દ્રાષ્ટાંતિક અર્થ ઉપમાવડે કરાય તે ઉપમાન તથા નિદર્શન એટલે જે નિશ્ચયવડે દ્રાષ્ટાંતિક જ અર્થ થાય તે છે. આ બધા એક અર્થવાળા છે. પૂર્વે કહેલું આ બંને પ્રકારનું ઉદાહરણ તથા ચાર પ્રકારનું પ્રત્યેક જાણવું. સામાન્ય વિશેષથી કંઈક અંશે એકપણું હોવાથી, તેથી સામાન્યનું પણ પ્રધાનપણું બતાવવા એક વચનનું કહેવું છે તે પ્રમાણે એકાર્થ છે. અહીં બહુ કહેવાનું છે પણ ગ્રંથ વિસ્તાર ભયથી નથી કહેતા. હવે બે પ્રકારનું ઉદાહરણ કહે છે u પર u
ઉદાહરણ :
B चरिअं च कप्पिअं वा दुविहतत्तोचउब्विहेक्केक्कं । आहरणे तसे तद्दोसे चेयुवन्नासे ॥ ५३ ॥
ટીકાનો અર્થ – બનેલું અને કલ્પિત તે બે પ્રકારે છે. જેમાં ચિરત એટલે બનેલું જે વડે કહેવાના અર્થને માનવામાં આવે. દાખલા તરીકે નિયાણું કરવું તે દુઃખ માટે છે. જેમ બ્રહ્મદત્તે, નિયાણું કરી દુઃખ ભોગવ્યું વળી કલ્પિત તે પોતાની બુદ્ધિ કલ્પનારૂપ શિલ્પવડે બનાવી દેવું. તેના વડે કોઈને કહેવાના અર્થની ખાત્રી થાય. જેમકે પીપળાના પાનથી અનિત્યતા બતાવે છે. કહ્યું છે કે—–
जह तुब्भे तहअम्हे तुब्भेवि अ होहिहा जहां अम्हे । अप्पाहेइ पडतं पंडुअपत्तं किसलयाणं ॥ १ ॥ विअत्थि गवि अ होही उल्लावो किसलपंडुपत्ताणं । उवमा खलु एस क्या भविअजणविबोहणट्टाए ॥ २ ॥
જેમ તમે તેમ અમે પૂર્વે હતા અને અમે જેમ પડ્યા છીએ તેમ તમારે પડવાનું છે આવું સૂકાયેલાં પડતાં પાંદડાં નવાં પાંદડાની કુંપળોને કહે છે. આ કલ્પિત દૃષ્ટાંતમાં પાંદડાં કંઈ બોલતાં નથી પણ નવ યુવકો અહંકાર કરતા હોય અને તે ભવ્ય સત્ત્વાળા હોય તો તેમના બોધ માટે છે, વિગેરે. હવે આ ઉદાહરણ તે દૃષ્ટાંત કહેવાય. તેનું સાઘ્ય જે અનુગમાદિ લક્ષણ છે. હવે દૃષ્ટાંત કહે છે તેનું સાધ્ય અનુગમ વિગેરે લક્ષણ છે. કહ્યું છે साध्येनानुगमो हेतोः, साध्याभावे च नास्तिता । ख्याप्यते यत्र दृष्टांन्तः, स साधर्म्येतरो द्विधा ॥
=
સાધ્યવર્તે હેતુના અનુગમને સાધ્યના અભાવમાં નથી પણ તે દૃષ્ટાંત કહેવાય. તે સાધર્મ અને તે સીવાયનો બીજો વૈધર્મ એમ બે પ્રકારે છે પણ અત્રે લક્ષ્યનો અભાવ હોવાથી શા માટે ઉદાહરણ પણું કહેવાય ? દૃષ્ટાન્ત ના ચાર પ્રકા૨ (૧) આહરણ= સામાન્ય સૃષ્ટાન્ત,આહ૨ણ તદ્દેશ= એકદેશીય દૃષ્ટાન્ત (૩) આહ૨ણ તદ્દોષ= સાધ્ય વિકલ દૃષ્ટાન્ત (૪) ઉપન્યાસ ઉપનય= વાદી દ્વા૨ા ક૨ી ગયેલ ઉપન્યાસ તેનું ખંડન ક૨વા પ્રતિવાદીનું વિરુદ્ધાર્થક ઉપનય, B સ્થાનાંગ ૪/૩/૫૦૦
B
૪૩