________________
श्री दशवैकालिकसत्र भाषांतर भाग १
अध्ययन १ અને પડિક્કમણ (મિશ્ર) એ એકેન્દ્રિય જીવોને આકુળતાથી સંઘટ્ટન, અને પરિતાપના કરતાં થાય છે. વિવેક નામ પરિસ્થાપનાનું છે. તે આહાર, ઉપધિ, શય્યા, આસનાદિ ઉગમાદિ દોષથી જો અશુદ્ધ હોય તો તે ત્યાગી દેવું. કાઉસગ્ગ અને વિઉસગ્ગ એ બન્ને એક અર્થવાળા છે. તે કયારે કરવાં તે કહે છે. વહાણથી નદી ઉતરતાં, ગમનાગમન, સ્વપ્ન દર્શન અને આવશ્યક વિગેરે કારણોમાં એમ બહુ પ્રકારે છે હવે તપ તે પંચ રાત્રિ દિવસનો વિગેરે રીતે બહુ પ્રકારનો છે તથા છેદના તે જે સાધુએ જેવો અપરાધ કર્યો હોય તે પ્રમાણે તેના પર્યાયનો છેદ કરે. એક દિવસ, એક પખવાડીઉં, મહિનો કે એક વરસ વિગેરે, મૂળ નામ મૂળથી પર્યાય છે. અનવસ્થાપ્ય તે સર્વથા ચારિત્ર છેદી કંઈક તપ કરાવી ફરી દીક્ષા આપે. પારાંચિક નામ, ક્ષેત્ર દેશથી દૂર કરી દીક્ષા આપે, આ છેદ વિગેરે દેશકાળ સંયમ વિરાધના કરનાર પુરુષને આશ્રયી અપાય છે. આ બધું પ્રાયશ્ચિત્ત તપનું વર્ણન ગીતાર્થ પાસેથી જાણવું.
પ્રાયશ્ચિત્તનો અર્થ :કહ્યું છે કે – पावं छिंदइ जम्हा पायच्छित्तंति भण्णए तम्हा । पाएण वावि चित्तं विसोहई तेण पच्छित्तं ॥ १ ॥ પાપને છેદે અથવા પ્રાયઃચિત્તને શુદ્ધ કરે, તે આલોચનાદિ દશ પ્રકારે છે. '
आलोयण पडिक्कमणे मीसविवेगे तहा विउस्सगे । तवछेअमूलअणवट्टया य पारंचिए चेव ॥१॥
(૧) આલોચના, (૨) પ્રતિક્રમણ (૩) મિશ્ર (૪) વિવેક, (૫)કાઉસગ્ગ, (૬)તપ (૭) છેદ, (૮) મૂળ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાચિક આ પ્રમાણે આનું થોડું વર્ણન ઉપર કહી ગયા છીએ એનું વિશેષ વર્ણન વિશેષાવશયક સૂત્રથી જાણવું હવે કહે છે. આઠ પ્રકારના કર્મને જે વડે દૂર કરાય તે વિનય છે, કહ્યું છે કે
'विनयफलं शुश्रूषा गुरुशुश्रूषा फलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति विरतिफलं चावनिरोधः ॥१॥ संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात्क्रियानिवृत्तिः क्रिया निवृत्ते रयोगित्वम् ॥ २ ॥ योगनिरोधाद्भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥ ३ ॥
વિનયનું ફળ શુશ્રુષા, તેનું ફળ શ્રુત જ્ઞાન, તેથી વિરતિ, અને તેથી આશ્રવ નિરોધ. તેથી સંવર તેથી તપ. તપથી નિર્જરા અને તેથી ક્રિયા નિવૃત્તિ. તેનું ફળ અયોગીપણું અને તેનાથી ભવ પરંપરા નો ક્ષય થાય છે. અને તેનાથી મોક્ષ તે બધાં કલ્યાણનું મૂળ વિનય છે, તે જ્ઞાનાદિ ભેદે સાત પ્રકારે છે. તે આ પ્રમાણે
णाणे दंसणचरणे मणवइकाओवयारिओ विणओ । णाणे पंचपगारो मइणाणाईण सद्दहणं ॥ १ ॥ भत्ति तह बहुमाणो तद्दिट्टत्याण सम्मभावणया । विहिगहणभासोवि अ एसो विणओ जिणाभिहिओ ॥ सुस्सूसणा अणासायणा य विणओ अ सणे दुविहो । दंसणगुणाहिएसुं कज्जइ सुस्सूणाविणओ ॥३॥ सक्कारब्भुट्टाणे सम्माणासण अभिग्गहो तह य । आसणअणुप्पयाणं किइकम्मं अंजलिगहो अ॥ ४ ॥ एतस्सणुगच्छणया टिअस्स तह प्रज्जुवासणा भणिया । गच्छंताणुव्वयणं एसो सुस्सूसणाविणओ ॥ ५ ॥
(૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર, (૪) મન (૫) વચન, (૬)કાયા, (૭)ઉપચાર સંબંધી એટલે મતિ, શ્રત વિગેરે પાંચ પ્રકારનું જ્ઞાન છે એમ શ્રદ્ધા કરવી, ભક્તિ,બહુમાન સમ્યફ પ્રકારે ભાવવું, વિધિથી ગ્રહણ કરવું, અને અભ્યાસ કરવો તે જિનેશ્વરે કહેલો જ્ઞાન વિનય છે, હવે શુશ્રુષા અને અનાશાતના એ પ્રકારે દર્શનનો વિનય છે. દર્શન ગુણમાં જે અધિક હોય તેની સેવા કરવી. તથા સત્કાર, અભ્યત્થાન, સન્માન આસનનો અભિગ્રહ, આસન આપવું, કૃતિકર્મ (વંદન) તથા અંજલિગ્રહ. આવનારની સામે જવું, ઉભા રહેનારની પર્યાપાસના કરવી, જનારની પછવાડે જવું તે શુશ્રુષાવિનય, સત્કાર તે સ્તવન, વંદન, વિગેરે અભ્યત્થાન (ઉમાં થવું) તે જ્યાં દેખાય ત્યાંજ કરવું. સન્માન તે વસ્ત્ર, પાત્ર વિગેરે આપવું. પૂજન તે આસનનો અભિગ્રહ, પછી (૧) વધુ જુઓ પ્ર. સારોદ્ધાર ભાગ ૨ ગુજરાતી. (૨) વિનય દશવૈ. ૯ મું અ. એ. રાજેન્દ્ર કોષ ભાગ ૬/૧૧૫૩ થી ૧૧૮૨
૩૮