SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સહન ન કરે श्री दशवकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ પ્રમાણે 'શ્રમ' ધાતુનું શ્રમણ રૂપ બને છે. એટલે શ્રમ લેવો, તપસ્યા કરવી. અમારો કહેવાનો આશય એ છે કે તપસ્યા કરનાર દીક્ષા લેવાના દિવસથી બધા પાપ વ્યાપારથી રહિત બનીને ગુરુ ઉપદેશ વડે જ્યાં સુધી પ્રાણ ન અટકે ત્યાં સુધી અનશનાદિ તપ યથાશક્િત કરે છે અને બીજા જીવોને દુઃખ ન કરવા વડે પોતે દુઃખ વેઠીને તપ કરે છે. તેજ કહ્યું છે કે यःसमःसर्वभूतेषु, त्रसेषु स्थावरेषु च । तपश्चरति शुद्धात्मा, श्रमणोऽसौ प्रकीर्तितः ॥१॥ જે બધા પ્રાણીઓમાં એટલે ત્રણ સ્થાવરમાં સરખાપણું રાખે છે અને શુદ્ધ આત્મા બની તપ કરે તે શ્રમણ જાણવો. ફાજ્યાદિ લક્ષણો હવે પછી કહેવાના છે. તે ધર્મ ક્ષમા, કોમળતા, સરળતા, પવિત્રતા, સત્ય, સંયમ, તપ૮, ત્યાગ, અકિંચનતા અને૧૦ બ્રહ્મચર્ય. આ દશ પ્રકારનો શ્રમણ ધર્મ જાણવો. તેમાં ક્ષમા એટલે કોઈ આક્રોશના વચન કહે અથવા માર મારે તે સમતાથી સહન કરે તો કમનો ક્ષય થાય અને સહ તો નવાં કર્મ બંધાય, તેથી ક્રોધનો નિગ્રહ કરવો. અને ક્રોધ ઉદયમાં આવ્યો હોય તો નિષ્ફળ કરવો. ક્ષમા. તિતિક્ષા અને ક્રોધ નિગ્રહ એ ત્રણનો એક અર્થ છે. કોમળતા એટલે કોઈ જાતિ કુળ વિગેરેથી હીન હોય અને પોતે ઉત્તમ જાતિનો હોય તો તેના આગળ અહંકાર ન કરવો. અહંકાર ન કરવાથી કર્મની નિર્જરા થાય છે. અને અહંકાર કરવાથી કર્મ વધે છે. માન ઉદયમાં ન આવ્યું હોય તો તે રોકવું અને આવ્યું હોય તો તે નિષ્ફળ કરવું. સરલતા એટલે અકુટિલતા. આ ગુણ ધારણ કરવાથી નિર્જરા થાય, નહિ તો કર્મ બંધાય. એ પ્રમાણે માયાને દાબવી અને નિષ્ફળ કરવી. પવિત્રતા તે ધર્મ ઉપકરણમાં પણ મૂચ્છ ન રાખવી. યોગ્ય સાધુને વાપરવા આપવું જેથી કર્મ નિર્જરા થાય, તેમ લોભનો નિરોધ અને તે નિષ્ફળ કરવો. સત્ય એટલે વિચારીને નિરવદ્ય વચન બોલવું, જેથી કર્મ ઓછાં થાય; નહિ તો કર્મ વધે. સંયમ તપ અહીં કહેતા નથી કારણ કે મૂળ સૂત્રમાં અર્થ આવે છે. હવે ત્યાગને કહે છે. પોતે આચાર્ય વિગેરેની વૈયાવચ્ચ એટલે પોતે નખાતાં ઉપયોગ ન કરતાં યોગ્ય વસ્તુ તેમને આપવાથી મોટી કર્મ નિર્જરા થાય છે. તેથી વસ્ત્ર, પાત્ર, ઔષધ વિગેરે જે કંઈ આવ્યાં હોય તે સાધુઓને યોગ્યતા પ્રમાણે વહેંચી આપવાં. અકિંચનતા એટલે પોતાના દેહમાં પણ મમતા ન રાખવી. તેથી કર્મ ઘટે; મમતા કરવાથી કર્મ વધે. તેથી સાધુએ દેહનું મમત્વ મૂકવું. હવે બ્રહ્મચર્ય કહે છે. તે ઔદારિક કામ ભોગ મન વડે ન સેવે, ન સેવાવે કે ન અનુમોદે. એ પ્રમાણે વચન કાયાના ત્રણ ત્રણ ભેદ લેતાં નવ ભેદ થયા. એ પ્રમાણે દિવ્ય શરીરના પણ નવ ભેદ થાય. તે અઢાર ભેદે બ્રહ્મચર્ય પાળે તેથી મોટી કર્મ નિર્જરા થાય. નહિ તો મહાન કર્મ બંધાય. આ દસ પ્રકારનો શ્રમણ ધર્મ છે. આમાં મૂળ ગુણ અને ઉત્તર ગુણ એ બન્નેનો સમાવેશ છે. જેમકે સંયમથી પહેલી અહિંસા, સત્યથી મૃષાવાદ વિરતિ, બ્રહ્મચર્ય થી મૈથુન વિરતી, અકિંચનથી પરિગ્રહ નિવૃત્તિ તથા અદત્તાદાનની નિવૃત્તિમાં જેમાં સ્વદેહ માં પણ મમત્વ નથી. તે બીજાનુંન આપ્યું હોય તે કેવી રીતે લે? તેથી બને આવી જાય. અથવા એક લેવાથી તેની જાતનું બીજું પણ આવે છે. (જેમ અહિંસા લેવાથી અદત્તાદાન વિરતિ પણ આવી ગઈ. ક્ષાન્તિ, માર્દવ, આર્જવ અને તપ લેવા વડે ઉત્તર ગુણોનું ગ્રહણ છે.) મંગળનું સ્વરૂપ. નામ સ્થાપના સુગમ હોવાથી દ્રવ્ય ભાવ મંગળને કહે છે. તે ભાવ મંગળ કહેવાની ઈચ્છાથી કહે છે. ૪૩ી. दव्वे भावेऽवि अ मंगलाई दव्वम्मि पुण्णकलसाई । धम्मो उ भावमंगलमेत्तो सिद्धित्ति काऊ णं ॥४४॥ દ્રવ્ય લઈને ભાવ છે દ્રવ્ય મંગળમાં પૂર્ણ કળશ તથા આદિ શબ્દથી સ્વસ્તિક વિગેરે મંગળ જાણવા ધર્મ તે પોતે ભાવ મંગળજ છે. શા માટે? તે કહે છે. આ ક્ષાંત્યાદિ ધર્મના રક્ષણથી સિદ્ધિ એટલે મોક્ષ છે. ભવનું ગાળ વું તે ગાથાનો અર્થ છે. આજ મુખ્ય મંગળ છે. એકાંતિક પણાથી અને આત્યંતિક પણાથી, તે પ્રમાણે પૂર્ણ કલશ 30
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy