SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ ગૃહસ્થની ઘણો નજદીકમાં અને ઘણો દુર ન રહે તો ચારિત્ર પાળી શકે. જો ગોચરીમાં ઘણો દુર રહે તો અશુદ્ધ ગોચરી વહોરાવે અને ઘણો નજદીક ઘુસી જાય તો ચોરની શંકા અજાણ્યાને આવે. એથી ગોચરી ગયેલા સાધુએ વિવેકથી ઉભા રહેવું. પુત્ર પલવત એટલે જ્ઞાતા સૂત્રમાંની પુત્રના માંસમાં કથા `સુસમાનાદૃષ્ટાંતથી જાણવી.. અને ઉદક એટલે પુત્તિ ઉદકની ઉપમાથી નિશ્ચયે કરીને સાધુએ અન્નપાન વાપરવું. દૃષ્ટાંત આ છે. જેમ એક વાણીઆએ દારિદ્રતાના દુઃખમાં પીડાઈ રત્નદ્વીપમાં જઈ ત્રણ લોકમાં રમણીય એવાં રત્નો પ્રાપ્ત કર્યાં. તે ચોરોથી આકુળ અને દીર્ઘકાળ સુધી ભયને લઈને તે રસ્તો ઓળંગીને આવવા શિક્તમાન ન હતો. આથી તેણે બુદ્ધિ કૌશલ્યથી તે રત્નો એક સ્થળે સ્થાપીને જુના પત્થરના ટુકડા લઈ ઘેલાનો (ગાંડાનો) વેશ લઈ ત્યાંથી નીકળ્યો અને બોલવા લાગ્યો 'રત્નવાળો વાણીઓ જાય છે.' એમ ત્રણવાર બોલવા છતાં તેના ગાંડા વેશથી કોઈ પકડવા ન ઉઠ્યું. ત્યારે ચોથી વખત ખરાં રત્ન લઈ નીકળી ગયો. હવે જંગલમાં ઘણી તૃષા લાગવાથી સારૂં પાણી ન મળતાં ગલીચ (ખરાબ) છીછરૂં ખાબોચીઉં જોયું. તેમાં મરેલાં હરણ વિગેરે હતાં. તેથી બધું પાણી ચરબીવાળું થયું હતું. તે વાણીએ ન છૂટકે સ્વાદ કર્યા વિના જીવ બચાવવા તે પાણી પીધું અને રત્નો ઘેર લાવ્યો. આમાં સાધુને અંગે રત્નો સમાન જ્ઞાન દર્શન ચારિત્ર જાણવાં. ચોર સમાન પાંચ ઇંદ્રિયના વિષયો અને ગલીચ પાણી સમાન પ્રાસુક ; અંતપ્રાંત આહાર વિગેરે જાણવા. તે ખાતાં દ્વેષ અને સારું ખાતાં રાગ ન કરવો. જેમ વાણીઓ રત્ન લાવી સુખી થયો તેમ સાધુ પણ ત્રણ રત્ન આરાધી સુખી થાય. અટવી સમાન સંસારનો નિસ્તાર (છૂટકારો) જાણવો. આ બધા એક અર્થવાળા છે. તે પ્રમાણે અપેક્ષાથી આ અધ્યયનના અનેક અર્થ છે.૩૭ મી ગાથાનો અર્થ. નામ નિષ્પન્ન કહ્યું. હવે સૂત્રાલાપક નિષ્પન્ના નિક્ષેપાનો અવસર છે. અહીં તે પ્રાપ્ત લક્ષણવાળો છે. તે કહેવામાં આવતો નથી કારણ કે અહીં ત્રીજો અનુયોગ દ્વાર અનુયોગ નામનો છે. ત્યાં નિક્ષેપો કરતાં ઠીક છે એટલે અહીં અથવા ત્યાં બન્ને બરાબર છે તેથી સૂત્રની લાઘવતાને માટે ત્યાં કરીશું. અહીં શંકા સમાધાન થાય તે વિશેષાવશ્યક સૂત્રથી જાણી લેવું. હવે અનુગમ કહીએ છીએ. તે બે પ્રકારે છે. સૂત્રનો અનુગમ અને અધ્યયન વિગેરેનો નિક્ષેપો કર્યો તે જાણવો. ઉપોદ્ઘાત નિર્યુકિતનો અનુગમ આ બે દ્વારની ગાથથ્ય વડે જાણવો. ૧. એક યજ્ઞદેવ નામનો બ્રાહ્મણ, ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરને વિષે રહેતો હતો. તે હંમેશા ર્જિનમતની નિંદા કરતો, અને પોતાને પંડિત માનતો અને જાહેર કરતો કે જે મને વાદ કરવામાં જીતશે તેનો હું શિષ્ય થઈશ. વખત જતાં એક બાળ સાધુએ તેને વાદ કરવા પોતાના ગુરુ પાસે આવવા નિમંત્ર્યો. રાજી થઈ યજ્ઞદેવ તે બાળ સાધુ સાથે તેમના ગુરુ પાસે ગયો વાદ કરતાં થોડીક વારમાં જ તે હારી ગયો અને પોતે નક્કી કરેલ નિયમ મુજબ તે ગુરુના પાસે દીક્ષા લીધી. એકદા શાસનદેવીએ તેને કહ્યું, જેમ ચક્ષવાળો માણસ પણ તેજ વિના જોઈ શકતો નથીતેમ જીવ પણ જ્ઞાની હોવા છતાં શુદ્ધ ચારિત્ર વિના મુકિત પામતો નથી." આવી વાણી સાંભળી તે યજ્ઞદેવ મુનિ અન્ય સર્વ યતિઓની પેઠે શુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યો. યજ્ઞદેવ સાધુ થવાથી તેની સ્ત્રી વિરહવેદના ન સહન કરી શકી, એટલે યજ્ઞદેવને વશ કરવા તેના તપના પારણે યજ્ઞદેવ ઉપર કામણ કર્યું. તેથી યજ્ઞદેવનું શરીર દુર્બળ થતું ગયું અને મૃત્યુ પામીને તે સ્વર્ગે ગયો. તેની સ્ત્રી પણ દુઃખ સહન ન કરી શકી અને જ્ઞાન થતાં તે પણ દીક્ષા ગ્રહણ કરીને, સ્વર્ગે ગઈ. પણ પોતે પોતાના સંસારીપણાના પતિ એ સાધુતા ગ્રહણ કરેલ, તેની ઉપર કામણ કરેલ તેના ગુરુ પાસે આલોયણા ન કરી. યશદેવનો જીવ સ્વર્ગથી ચ્યવી રાજગૃહ નગરમાં ધનસાર્થવાહની ચિલાતી નામની દાસીને ઉદરે પુત્રપણે ઉત્પન્ન થયો. તેનુંચિલાતી પુત્ર નામ પાડ્યું. યજ્ઞદેવની સ્ત્રીનો જીવ પણ સ્વર્ગથી ચ્યવીનેચિલાતી દાસીની શેઠાણી ધનસાર્થવાહની સ્ત્રી સુભદ્રાની કુક્ષિએ પાંચ પુત્ર ઉપર છઠ્ઠી સસમા નામે પુત્રીપણે ઉત્પન્ન થયો. ધનસાર્થવાહે પોતાની પુત્રીની રક્ષા માટે ચિલાતી પુત્રને રાખ્યો. સુસુમા અને ચિલાતી પુત્ર સાથે રમતાં પણ જ્યારે કોઈ કારણસર સુસુમા રોવા માંડે ત્યારે ચિલાતી પુત્ર તેના ગુપ્તાંગ ઉપર પોતાનો હાથ મૂકે આથી સુખ પામતી બાળા સુસુમા રડતી બંધ થતી. ર૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy