________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
(१) जहा चत्तारि घुणा पण्णत्ता, तंजहा - तयक्खाए छल्लिक्खाए कट्टक्खाए, सारक्खाए, एवामेव चत्तारि “भिक्खुगा पन्नत्ता, तं जहा - तयक्खाए छल्लिक्खाए कट्टक्खाए, सारक्खाए तयवखाए, णामं एगे नो सारफखाए सारक्खाए णामं एगे नो तयक्खाए एगे तयक्खाए वि सारक्खाए वि एगे नो तयक्खाए णो सारक्खाए । तयक्खायसमाणस्स णं भिक्खुस्स सारक्खायसमाणे तवे भवइ, एवं जहा ठाणे तहेव दट्टव्यं ।
ત્વક્ એટલે અસાર ખાવું પણ તે ગૃહસ્થના ઘરે વધેલું તે એટલે । બોજો ન વધે અને તે ભીખ માગતો ન થાય. અને સાધુઓ ઉપરથી તેની શ્રદ્ધા પણ ઉઠી ન જાય આ ચાર ભેદનાં ફળ. જે ત્વક્ ખાય, તે સાધુને સાર ખાવાના સમાન તપ થાય છે (અર્થાત્ મહાન્ પુણ્ય બંધાઈ દેવલોકાદિ સુખનો ભાગી થાય). એ પ્રમાણે બધા ભાંગાનું સમજવું. એટલે ત્વમ્ભોક્ત (ખાનાર)ને વજ્રસાર જેવો તપ થાય છે. મૂળ ગાથામાં (ઉંછ) શબ્દ છે તે અજ્ઞાત પિંડ નો 'ઉંછ' સૂચક છે. અર્થાત્ સાધુ જાણીતા ઘરમાં સ્વાદિષ્ટ આહારની ઇચ્છાથી ન જાય પણ નિર્દોષ ગોચરી લેવા ઓચિંતો અણજાણ્યે ઘેર જાય. મેષનો દૃષ્ટાંત જેમ મેષ (ઘેટું) થોડા પાણીમાં પણ પાણીને ડોળ્યા વિના પોતે પાણી પીએ છે તેમ સાધુએ પણ ભિક્ષા લેવાને પેસતાં થકાં ગૃહસ્થના ઘરમાં બીજ વિગેરે પડ્યાં હોય તો તે આકુળ વ્યાકુળ થઈ દાબવાં નહિ પણ સ્થિરતાથી ધ્યાન રાખી ભિક્ષા લેવી. આ અર્થ સૂચવનારૂં આ અધ્યયન છે. તેથી તેનું મેષ નામ જાણવું જલોકા (જળો) તે અનેષણા પ્રવૃત્તિમાં દેનાર હોય તેના ભોળા ભાવના નિવારણ માટે આમાં સૂચના છે. (કોઈ ભોળો માણસ સાધુને ન ખપતી અથવા દોષિત ગોચરી આપે તો સાધુએ ના પાડવી). સર્પ એટલે સાપ પોતે એક સરખી નજરે ચાલે છે તેમ સાધુએ ગોચરી જતાં સંયમ તરફ ધ્યાન રાખી જવું. આ અર્થ સૂચવનારૂં છે. અથવા જરા પણ સ્પર્શ કર્યા વિના જેમ સાપ દરમાં ઉતરે છે તેમ સાધુએ ગોચરી કરતાં સ્વાદ કર્યા વિના ખાવું. તથા
व्रणलेपाक्षोपाङ् वदसङ्गयोगभरमात्रयात्रार्थम् । पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ॥१॥
વ્રણ એટલે રાગ દ્વેષ કર્યા વિના સાધુએ ભોજન કરવું. ગુમડા ઉપર લેપ કરે તેમાં કોઈ ખુશ થતા નથી તેને તો એમજ મનમાં આવે છે કે ક્યારે રોગ મટે તેમજ સાધુ પણ (અનાહારી થવાની અને મોક્ષ પદની વાંછા કરે છે) અક્ષ ઉપાંગ દાન માફક (એટલે ગાડાની અંદર ધરી હોય અને તેમાં તેલ નંખાય છે) સાધુ પણ કાયાનો ઘસારો અટકાવવા માટે જ આહાર લે છે. કહ્યું છે કે વર્ણલેપ-ધરીના ઉપાંગ માફક સાધુ ગોચરી વાપરે અને
ગોચરી જતાં બીજી જગ્યાએ ધ્યાન રાખે તો સ્વપરને પીડાકારી થઈ પડે.
શરીર નિભાવવા માત્ર આહાર લે. સાપની માફક એટલે સાપ સીધો દરમાં ઉતરે તેમ સાધુ આહાર કરતાં કોળીયો ગળામાં ગુપચુપ ઉતારે તથા સંતાનના માંસ માફક આ છેલ્લું દૃષ્ટાંત એટલા માટે આપ્યું છે કે સાધુ છ કાયનો રક્ષક છે એટલે એકેન્દ્રિય જીવ પણ તેને પુત્ર સમાન છે. તેને પોતાને માટે રંધાવી ભક્ષણ કરવું તે તેને માટે પાપ છે. વિગેરે. ઈષુ-શર—બાણ છે. તે સૂચવે છે.
जह रहिओऽणुवउत्तो इसुणा लक्खं ण विंधइ तहेव । साहू गोअरपत्तो संजमलक्खम्मि नायव्यो । २थि માણસ પ્રમાદ યુકત થઈ તીર વડે લક્ષ્ય સાધે તો તે બાણ વડે વીંધી શકતો નથી તેવી જ રીતે સાધુ ગોચરી જતાં બીજી જગ્યાએ ધ્યાન રાખે તો સ્વપરને પીડાકારી થઈ પડે. ગોલનું વર્ણન
जह जगोलो अगणिस्स णाइदूरे ण आवि आसन्ने । सक्कड़ काऊण तहा संजमगोलो गिहत्थाणं ॥ १ ॥ दूरे अणेसणाऽदंसणाइ इयरम्मि तेण संकाइ । तम्हा मिय भूमीए चिट्टिज्जा गोयरग्गगओ ॥ २ ॥
જેમ લાખનો ગોળો અગ્નિથી દૂર અને ઘણો પાસે ન હોય તો લાખનો ઉપયોગ થઈ શકે તેમ સાધુ
23