SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ કહેલોજ અર્થ છે. એજ વચનનો આ અર્થ છે. અયુ વય ઈત્યાદિ દંડક ધાતુ પાઠથી દોરે તે નયન. ભાવમાં 'લુ પ્રત્યય છે તેનો સામટો અર્થ પરિચ્છેદ છે. 'અધિક નયનમ્ એટલે અધિક જ્ઞાનમાં ઉતારે તે અર્થથી અધ્યયન ઈચ્છે છે. 'ચ' શબ્દનો ગૂઢાર્થ છે. અધિક તે સાધુ પામે છે, એથી એમ સમજવું કે આ કારણભૂત અધ્યયન વડે સાધુ મુનિરાજ બોધ સંયમ અને મોક્ષ તરફ અધિક અધિક સમીપ જાય છે. તેથી અધ્યયન શબ્દને આચાર્યો ઈચ્છે છે, અહીં સર્વત્ર અધિક કથન તે અધ્યયન એવી યોજના કરવી. આ ગાથાનો અર્થ છે. અક્ષીણ શબ્દનું વર્ણન : નામ સ્થાપના દ્રવ્ય છોડીને ભાવ અક્ષીણ આજ છે. શિષ્યને આપવાથી તે અક્ષય પણાને પામે છે. જેમ એક દીવાવડે સેકડો દીવા સળગાવાય છે અને તેથી મૂળ દીવો પણ દીપે છે અને બીજા દીવા પણ દીપે છે તેજ પ્રમાણે દીપ સમાન આચાર્ય પોતાની નિર્મલ બુદ્ધિ વિગેરેના ઉપયોગ સહિત હોવાથી (કર્મની નિર્જરા અને જ્ઞાનનો પ્રકાશ થવા વડે) પ્રકાશે છે અને પોતાની નિર્મળ બુદ્ધિ વડે શિષ્યને નિર્મળ બુદ્ધિવાળા બનાવે છે. આ ગાથાનો પરમાર્થ છે. આય શબ્દનું વર્ણન : ભાવ આય તે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને જ્ઞાનમાં મતિજ્ઞાન વિગેરે છે. દર્શનમાં ઉપશમ વિગેરે છે. ચારિત્રમાં સામાયિક વિગેરેનો લાભ છે. એલાભ જે વડે થાય છે. ભાવાય, આય એટલે લાભ જાણવો. અધ્યયનના હેતુ વડે જ્ઞાન વિગેરેનું આગમન થાય છે. ક્ષપણા. : - તે ક્ષપણા ભાવથી આ પ્રમાણે જ છે. આઠ પ્રકારના કર્મની રજ તેમાં જીવ રગદોળવામાં પરવશ પણે હોવાથી રજ તે કર્મ રજ. પુરાણું તે પહેલાનું યોગ એટલે અંતકરણ વિગેરેથી એટલે અંતર ભાવથી (મોઢેથી બોલતો) શરીરને ઉપયોગમાં લેતો અને અધ્યયન ભણતો) કર્મ ખપાવે એટલા માટે અધ્યયન તે કારણ છે અને કાર્ય તે ક્ષપણા છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અધ્યયનને પણ કહ્યું (લોકમાં સારો વરસાદ વરસે અને અનાજ પાકે તો સારો વરસાદ કારણ છતાં અનાજ કાર્યમાં લઈ અનાજ વરસે છે એમ લોકો પણ કહે છે) - તે પ્રમાણે આ ભાવ અધ્યયનની યોજના કરવી. શામાં? તો કે અધ્યયન અક્ષણ, આય અને ક્ષપણામાં. તે ગાથાનો અર્થ છે, ર૯ થી ૩૩ // - આ ઓઘ નિષ્પન્ન નિક્ષેપો બતાવ્યો. હવે નામ નિષ્પન્ન બતાવે છે. ઓઘ નિષ્પનમાં જે અધ્યયન બતાવ્યું તેને બદલે નામ નિષ્પનમાં દ્રુમપુષ્પિકા કહેવું, (અર્થાત્ મોઘમ હતું તે ખુલ્લ નામ કહ્યું) ઓઘ એટલે મોઘમ. હવે દ્રુમ શબ્દનો શું શબ્દાર્થ છે તે કહે છે 'દુ' અને દ્ર' એ ગતિ અર્થના ધાતુઓ છે. એ પ્રમાણે 'દુ' જે દેશમાં વિદ્યમાન છે તે એનું છે અથવા એમાં છે. તે પા. ૫-૨-૯૪ સૂત્ર પ્રમાણે 'મત' પ્રત્યય લાગીને પા ૫–૨–૧૦૮ પ્રમાણે દ્રુમ' શબ્દ બને છે. હવે દ્રુમ પુષ્પ' એ બન્નેના નિક્ષેપાની પ્રરૂપણા કરે છે. णामदुमो ठवणदुमो दवदुमो चेव होइ भाव दुमो । एमेव य पुप्फस्स वि चउविव्वहो होड़ निक्वेवो ॥३४॥ ટીકાનો અર્થ - નામ દ્રુમ તે જેનું વૃક્ષ હોય છે અથવા જેનું નામ દ્રુમ હોય. સ્થાપના તૂમ તે ઝાડનું ચિત્ર વગેરે છે દ્રવ્ય દ્રુમ તેજ ભાવ દ્રુમ થાય છે. તે દ્રવ્ય દ્રુમ ૧) આગમથી અને ૨) નોઆગમથી બે પ્રકારે છે. આગમથી કુમ' શબ્દનો જાણનારને પણ ઉપયોગ ન હોય અને નોઆગમથી ૧) જ્ઞ, શરીર, ૨) ભવ્ય શરીર . અને ૩) બન્નેથી જુદો વ્યતિરિકત,) એમ ત્રણ ભેદ જાણવો. બન્નેથી જુદું એના એક ભવિક ૨) બદ્ધ આયુષ્ક અને ૩) અભિમુખ નામ ગોત્ર એમ ત્રણ ભેદ છે. ૧) કોઈ પણ ગતિવાળો જીવ જેણે બીજા ભવમાં દ્રુમ થવાને ર૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy