SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ . अध्ययन १ तस्यात्मा संयमो यो हि सदाचारे रतः सदा । स एव धृतिमान् धर्मस्तस्यैव च जिनोदितः ॥ તેનો આત્મા સંયમ યુકત છે જે નિરંતર સદાચારમાં રકત છે. અને જે ધીરજવાન છે તેનો ધર્મ જિનેશ્વરે કહેલો છે. (આમાં જિનેશ્વરે પોતાનો પક્ષ ન રાખતાં ધર્મનું ખરું સ્વરૂપ બતાવી ન્યાય પક્ષ સ્થાપ્યો છે. અર્થાત્ મારું તે સાચું નહિ પણ સાચું તેજ મારું છે હવે ત્રીજા અધ્યયનમાં કહેલો આચાર ચોથા અધ્યયન સાથે પ્રાયઃ મળતો છે. એટલે ષડૂ – જીવ નિકાય-જીવનો સમૂહ. ગોચર સબંધી તે ષડૂ જીવ નિકાય ગોચર પ્રાયઃ ચોથા અધ્યયનમાં છે. એટલા માટે આત્માનો સંયમ તે અન્ય જીવનેજ રક્ષણ કરવાની પ્રતિજ્ઞા વડે તત્ત્વથી છે. આથી ખરી રીતે તેના અધિકારવાળું ચોથું અધ્યયન છે. કહે છે કે જીવ સંયમનો પણ ચોથા અધ્યયનમાં અધિકાર છે. તે સાથે (અવિ) શબ્દથી આત્માનો સંયમ પણ તે ભાવને ભાવે છે. કહ્યું છે કે छसु जीव निकाएसुं, जे बुहे संजए सया । से चेव होइ विण्णेए, परमत्थेण संजए ॥ . છજીવનિકાયમાં જે પંડિત સદાજયણાથી વર્તે, તેજ ખરો પંડિત, અને પરમાર્થથી તેજ સંયત (સ્વપરનો હિત ચિંતક) છે વિગેરે આ ધર્મ, દેહ નીરોગી હોય તોજ બરોબર પાળે છે. અને આહાર વિના શકિત સમાધિ થતી નથી. પણ આહારના બે ભેદ છે. (નિર્દોષ અને દોષિત) તેમાંનો દોષિત છોડીને નિર્દોષ લેવો એ વિષયવાળું પાંચમું અધ્યયન છે. કહ્યું છે કે ભિક્ષાની વિશુદ્ધિએ તપ અને સંયમ બન્નેને ગુણ કરનાર છે. અને તેજ પાંચમા અધ્યયનમાં અધિકાર છે. તેમાં માગીને ખાવું તે ભિક્ષા. તેની વિશુદ્ધિ એટલે દોષિતનો ત્યાગ. અને નિર્દોષનું કથન છે. તપ વડે પ્રધાન એવો સંયમ તે તપસંયમ કહેવાય. તેને ગુણ કરનાર નિર્દોષ ગોચરી છે. કહ્યું છે કે से संजए समक्खाए, निरवज्जाहार जे विऊ । धम्मकायट्टिए सम्म, सुहजोगाण साहए ॥ તેજ સંયત જાણવો કે જે વિદ્વાન નિર્દોષ આહાર લે. તેને ધર્મ કાયામાં રહેલો છે. અને શુભ યોગો સારી રીતે સાધનાર જાણવો વિગેરે. ગોચરી ગયેલ સાધુને આચાર પૂછવામાં આવે અને તે જાણવા છતાં પણ લોકોના સમૂહની આગળ વિસ્તારથી કથન કરવા ઉભા ન રહેવું. પણ પોતાના સ્થાનમાં ગુરુ કહેશે એમ કહેવું. આ બતાવનારૂં છઠું અધ્યયન છે. કહે છે કે છઠા અધ્યયનમાં શું વિષય છે ! ત્રીજા અધ્યયનમાં આચાર કથા છે તે ત્યાં ટુંકી છે અને અહીં વિસ્તારથી જાણવી. તે આગળ કહેશે કે गोअरग्गपविढे उ न निसिएज्ज कत्थई । कहच न पबंधिज्जा चिट्टित्ताण व संजए ॥१॥ ગોચરી ગએલાએ કોઈ સ્થળે બેસવું નહિ તેમજ બેસીને કોઈ પણ સ્થળે કથા કરવી નહિ વિગેરે, ઉપાશ્રયે ગએલાએ પણ પોતે એટલે જે ગુરુ હોય અને બોલવાના ગુણ દોષ જાણતા હોય તેણે નિરવદ્ય વચન વડે આચાર કથા કહેવી. (કથાનો અર્થ અહીં કથન લેવો), એટલા માટે તે અધિકારવાળું સાતમું અધ્યયન છે. કહે છે કે વયણ વિભત્તિ' વિગેરે વિભિન્ન, ખુલાસાથી કહેવું તે વિભકિત. એવું નિર્દોષ (એટલે આ વચનથી નિર્દોષ અને આ વચનથી દોષિત એવો વિવેક જે બતાવે) વચન બોલે છે. પુનઃ શબ્દ બીજા અધ્યયનના વિષયથી એનો વિષય વિશેષ અર્થવાળો છે. એ પ્રમાણે સાતમા અધ્યયનમાં નિર્દોષ વચનનો અધિકાર છે. કહ્યું છે કે सावज्जणवज्जाणं वयणाणं जो ण याणइ विसेसं । वोत्तुं पि तस्स न खमं किमंग पुण देसणं काउं ॥ જે સાધુ સાવદ્ય અને નિરવદ્ય વચનો વિશેષ રીતે જાણતો નથી તેને બોલવાનો પણ અધિકાર નંથી તો ઉપદેશ આપવાનો અધિકાર કયાંથી હોય?
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy