________________
श्री दशकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
છોડીને જે જુદું દ્રવ્ય કૃત તે પુસ્તક પાનામાં લખેલું દ્રવ્ય મૃત જાણવું. અથવા રેશમ, ઉનનાં જે કોકડાં બનાવે છે તે દ્રવ્ય સૂત્ર (ગુજરાતીમાં જેને સૂતર કહે છે) આગમથી જ્ઞાતા અને ધ્યાન રાખનારા(ઉપયોગ વાળા ઉપયુકત) તે ભાવ શ્રત તે ગીતાર્થ મુનિ જાણવા. નો આગમથી દશ વૈકાલિકનો જે વિષય તે 'નોશબ્દનો અર્થ દેશ વચન પણું હોવાથી એજ પ્રમાણે 'નો આગમથી સ્કંધ શબ્દના નિક્ષેપોમાં સમજવું દ્રવ્ય :- આગમ નો આગમ
ભાવથી - આગમ નો આગમ જ્ઞ શરીર ભવ્ય શરીર તદ વ્યતિરિફત સામાયિક આદિ ૬ અધ્યયનનો સમુદાય
શરીર
સચિત્તા
અચિત્ત
મિશ્ર
હાથીનો સ્કન્ધ ઘોડાનો સ્કન્ધ બે પ્રદેશથી અનન્ત પ્રદેશ સેનાની ટુકડી (A) સ્કન્ધના પર્યાયનામ (૧) ગણ (૨) કાય (૩) નિકાય (૪) સ્કન્ધ (૫) વર્ગ (૬) રાશિ (૭) પૂંજ (૮) પિંડ (૯) નિકર (૧૦) સંઘાત (૧૧) આકુલ (૧૨) સમુહ આ ૧૨ પ્રકારે પર્યાયના નામ થયા.
નો આગમથી શરીર, ભવ્ય શરીર, વ્યતિરિક્ત દ્રવ્ય સ્કંધ સચેતનાદિ તેના ત્રણ ભેદ સચિત્ત તે બે પગવાળા વિગેરે અને અચિત્ત તે બે પ્રદેશવાળા વિગેરે, મિશ્ર તે સેના વગેરે (લશ્કરનો સમૂહ) ભાવ સ્કંધ તે આગમથી તેના અર્થને ધારણ કરનાર–તેમાં ધ્યાન રાખનાર સાધુ, નો આગમથી ભાવ સ્કંધ તે આ દશવૈકાલિક સૂત્ર સ્કંધજ જાણવો ('નો' શબ્દનું દેશ વચન પણું હોવાથી કેમકે દસ વૈકાલિક તે શ્રતનો એક દેશ છે)
હવે અધ્યયન ઉદ્દેશના વર્ણનનો અવસર કહે છે. તે અનુયોગ દ્વારોના પ્રકરણમાં આવેલા દરેક અધ્યયનને જ્યાં બને ત્યાં સમુદાય આશ્રયી નિક્ષેપમાં થોડા સમજાવવા માટે આગળ કહીશું. તેથી કહ્યું હતું કે દશ કાલિકના શ્રુત સ્કંધને અધ્યયન ઉદ્દેશાનો નિક્ષેપ કરવા માટે એનો અનુયોગ (કથન) કરવાનું છે. (યથા યોગ્ય રીતે સંભાવનાને આશ્રયીને ઓઘ નિષ્પન્ન નિક્ષેપોમાં લાઘવતા ને માટે કહ્યું) તે થોડા અંશમાં કહ્યું. હવે પ્રસ્તુત ગ્રન્થથી ઉત્પન્ન થયેલા કથનને કહેવાની ઈચ્છાથી કહે છે.
जेण व जं व पडुच्चा जत्तो जावंति जह य ते ठविया ॥ सो तं च तओ ताणि य तहा य कमसो कहेयध्वं ॥१३॥
જે આચાર્યે જે વસ્તુને આશ્રયીને આત્મપ્રવાદાદિ પૂર્વમાંથી જેટલાં અધ્યયન જે જે પ્રકારે ઉદ્ધરીને સ્થાપ્યાં છે તે આચાર્યો જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે અનુક્રમે કહેવું જોઈએ. આ ગાથાનો ટુંકો અર્થ છે. અને અવયવનો અર્થ તો દરેક સ્થળે નિયુકિતકાર અવસરે અવસરે કહે છે. આ દશ કાલિક સૂત્રના કર્તાના સ્તુતિ દ્વાર વડે કયા આચાર્યું કર્યું તે જણાવવા કહે છે.
सेज्जंभवं गणधरं जिणपडिमादंसणेण पडिबुद्धं मणगपिअरं दसकालियस्स् निज्जुहगं वंदे ॥१४॥ दारं।
શદ્વૈભવ ગણધર (અહીં 'ગણધર' નો અર્થ સર્વોત્તમ જ્ઞાન, દર્શન ચારિત્ર, ધર્મ વિગેરે સમુદાયને ધારણ કરવાથી ગણધર એમ જાણવો–પણ તીર્થકરના ગણધર ન જાણવા) જિન પ્રતિમાના દર્શનથી તેઓ પ્રતિબોધ પામેલા છે. જિન એટલે રાગ દ્વેષ, કષાય, ઈદ્રિય પરિષહ ઉપસર્ગ વિગેરે જીતવાથી જિન (તીર્થકર) गणकाप्ट अ निकाए, खंधे वगे तहेव रासी / पुंजे पिंडे निगरे. संघाए आउल समूह ।।१।। A અ. રાજેન્દ્રકોષ ભાગ- ૩–૭૦૧ પેજ.