________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
થાકતો નથી તેમ પોતે પણ ભણાવવામાં થાકતા નથી. માતા સંબંધી તે જાતિ ઉત્તમ હોવાથી વિનયવાન્ હોય છે. રૂપવાન હોવાથી તેનું વચન બીજા ગ્રહણ કરે છે કારણ કે આકૃતિમાં ગુણો રહે છે (એવી લોક માન્યતા છે). સંઘયણ ને ધીરજવાળો હોવાથી વ્યાખ્યાન, તપસ્યા કે અનુષ્ઠાનની વિધિ કરાવવામાં ખેદ પામતા નથી. અનાશંસી હોવાથી સાંભળનાર પાસે વસ્ત્રાદિ ન ઇચ્છે, વિકથાનો ત્યાગી હોવાથી ઘણું બોલનારો નથી (જરૂર જેટલુંજ બોલે.) અમાયી હોવાથી કપટ રહિતપણે શિષ્યોને સારે માર્ગે દોરે છે. સ્થિર પરિપાટી હોવાથી ભણેલા સૂત્રને ભૂલતા નથી. ગૃહિત વાક્ય હોવાથી બીજાને તેમનું વચન માન્ય થાય છે. જીત પરિષદ્ હોવાથી અન્ય મતવાળાઓ સાથે વાદ કરતાં સભામાં ડરતા નથી. અપ્રમાદી હોવાથી અલ્પ નિદ્રાવાળા હોય છે. તેથી વ્યાખ્યાનમાં આનંદ આવે છે અને જે શિષ્યો ઉંઘણસી હોય અથવા ઘણીવાર આળસ કરતા હોય તેને પ્રેરણા કરી ઠેકાણે લાવે છે. મધ્યસ્થ હોવાથી ન્યાયવાળા હોય છે. દેશ, કાળ ભાવના જાણ હોવાથી દેશ વિગેરેના ગુણ જોઈ અપ્રતિબદ્ધપણે વિચરે છે અને ઉપદેશ આપે છે, તર્કવાદી હોવાથી અન્યદર્શની કુતર્ક કરીને જીતવા જાય તો પણ સામેના માણસનું કહેવાનું તાત્પર્ય સમજી તુરત ઉત્તર દેવાને સમર્થ થાય છે (ન્યાય સૂત્રના પંચમ અધ્યાયમાં એનું વ્યાખ્યાન વિસ્તારથી‘કહેલું છે.) જુદા જુદા દેશની ભાષા જાણનાર હોવાથી જુદા જુદા દેશના જન્મેલ શિષ્યોને સુમાર્ગે દોરવવા સમર્થ થાય છે. જ્ઞાનાદિ પંચ આચાર યુક્તહોવાથી તેમનું વચન શ્રદ્ધા કરવા યોગ્ય હોય છે. સૂત્ર અર્થ ઉભયને જાણનાર હોવાથી યોગ્ય રીતે ઉત્સર્ગ અપવાદના બતાવનાર થાય છે. ઉદાહરણ, હેતુ, કારણ, નયમાં નિપુણ હોવાથી તેમાં રહેલ ભાવોને સમ્યક્ષણે દેખાડે છે, નહિ કે અમારા સિદ્ધાંતમાં કહેલું તેજ માનો એવું તે બોલે પણ એમ બોલે કે 'સિદ્ધાંત સાથે ન્યાયથી પણ મેળવી લો' ગ્રાહણ કુશળ હોવાથી શિષ્યોને અનેક પ્રકારે હૃદયમાં ઉતારી શકે છે. સ્વ અને પર સિદ્ધાંતના જાણ હોવાથી બીજાના મતનું ખંડન કરી પોતાનો સિદ્ધાંત બતાવે છે (એટલે જૈન મતની ઉત્તમતા જણાવી શકે.) ગંભીર હોવાથી શિષ્યના મોટા ગુન્હામાં રોષાયમાન થતા નથી. તેજસ્વી હોવાથી ૫૨ વાદીઓને ક્ષોભ પમાડે છે. મંગળ કારી હોવાથી એમના જ પુણ્ય બળના અતિશયથી મરકી વિગેરેના રોગો શાંત થાય છે. શાંત મુદ્રા હોવાથી બધા માણસોની પ્રીતિ મેળવે છે. આવા સર્વ ગુણવાળાજ સિદ્ધાંતના સારને કહેવા સમર્થ થાય છે, જેથી તે અનેક ભવ્ય જીવોને બોધ હેતુ થાય છે.
गुणसुअस्स वयणं घयमहुसित्तोव्व पावओ भाइ । गुणहीणस्स न सोहइ णेहविहीणो जह पईवो ॥ क्षीरं भाजनसंस्थं न तथा वत्सस्य पुष्टिमावहति । आवल्गमानशिरसो यथा हि मातृस्तनात्पिबतः ॥१॥ तद्वत्सुभाषितमयं क्षीरं दुःशीलभाजनगतं तु । न तथा पुष्टिं जनयति यथा हि गुणवन्मुखात्पीतम् ॥२॥ शीतेऽपि यनलब्धो न सेव्यतेग्निर्यथा श्मशानस्थः । शीलविपन्नस्य वचः पथ्यमपि न गृह्यते तद्वत् ॥३॥ चारित्रेण विहीनः श्रुतवानपि नोपजीव्यते सद्भिः । शीतलजलपरिपूर्णः कुलजैश्चाण्डालकूप इव ॥४॥
ગુણ યુક્ત વચન ઘી અને મધ સીંચેલા અગ્નિ માફક દીપે છે. અને ગુણ હીનનું વચન ઘી વિનાના દીવા જેવું છે. એટલે કે તે શોભતું નથી. તથા અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે વાસણમાં રહેલું દૂધ બાળકને જોઈએ તેવી પુષ્ટિ આપનારૂં નથી. પણ માતાના સ્તનનું પાન કરનાર માથું નમાવી ખોળામાં પડેલ બાળકજ પુષ્ટિ પ્રાપ્ત કરે છે. તેવી રીતે સારૂં બોલેલું પણ દુરાચારી માણસનું વચન જેમ ખરાબ વાસણમાં દૂધ શોભતું નથી તેમ દુરાચારીનું વચન લોક માનતા નથી. પણ ગુણવાન માણસનું વચન. સારા વાસણમાં રહેલ દૂધ પીધાની માફક માનનીય હોય છે. અને લોકોને જેમ દૂધ પુષ્ટિ કરે છે તેમ સારૂં વચન સુમાર્ગે દોરે છે. વળી શીયાળાની ઠંડીમાં પણ મહેનતથી મેળવેલ દેવતા હોય પણ તે સ્મશાનનો હોય તો તેની પાસે તાપવા બેસતા નથી તેવી જ રીતે પતિતનું વચન હિતકારક હોય તો પણ લોકો વિશ્વાસ કરતા નથી. તેવી જ રીતે સત્પુરુષો સિદ્ધાન્તના જાણકાર પણ
,