SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ કહેવાય તે ઉદ્દેશો. તેનો ખુલાસો થાય તે સમુદેશ. બે સમજાયા પછી તેની આજ્ઞા અપાય તે અનુજ્ઞા. એ ત્રણ સાથે મળે ત્યારે ઈચ્છિત વિષયનું કથન થાય તેનું નામ અનુયોગ છે. આટલા માટે નિયુકિતકારે કહ્યું છે કે “શ્રુતશાડ નુયોનાઘwતમ્ !” શ્રુતજ્ઞાનમાં અનુયોગ વડે અધિકાર છે. આ અનુયોગ ચાર પ્રકારે જાણવો૧. ચરણ કરણ અનુયોગ. જે કરાય–આચારમાં મૂકાય તે કર્મ-કરણ કહ્યું છે કે वय समणधम्मसंजमवेयावच्चं च बंभगुत्तीओ । णाणादितियं तव कोहनिग्गहाई चरणमेयं ॥१॥ પંચ મહાવ્રત, દશ પ્રકારે શ્રમણ ધર્મ, સત્તર પ્રકારે સંયમ, દશ પ્રકારની વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની નવ વાડ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, બાર પ્રકારનો તપ, ક્રોધાદિ ચાર કષાયનો નિગ્રહ એ સિત્તેર ભેદે ચારિત્ર જાણવું. કરાય તે ક્રિયા, પિંડ વિશુદ્ધિ વિગેરે. જેમકે पिंडविसोही समिईभावण पडिमा य इंदियनिरोहो । पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ॥ १ ॥ પિંડ વિશુદ્ધિ ચાર પ્રકારની, પાંચ પ્રકારની સમિતિ, બાર ભાવના, સાધુની બાર પ્રતિમા, પાંચ દ્રિયનો નિરોધ. પચ્ચીસ પ્રકારે પડિલેહણની શુદ્ધિ, ત્રણ ગુપ્તિ. ચાર પ્રકારે અભિગ્રહ તે કરણ જાણવું. આ ચરણ કરણનો અનુયોગ તે ચરણ કરણાનુયોગ. અનુયોગ-મળતો યોગ (વ્યાપાર) તે અનુયોગ એટલે સૂત્રનો અર્થ સાથે સરખો સંબંધ કહેવો અર્થાતુ સૂત્રનો અર્થ બતાવવો. આમાં અકારાંત છે. તે પ્રાકૃત શૈલિએ પ્રથમા દ્વિતીયામાં પણ દેખવો જેમકે 'કયરે' ઈત્યાદિ (આ દિવ્ય રૂપવાળો કોણ આવે છે?) વિગેરે ધર્મ એટલે ધર્મ કથાનું કથન તે ધર્મ કથાનુયોગ જાણવો. કાળ (વખતનું કથન કરવું તે ગણિતાનુયોગ જાણવો. (આમાં વિશેષ કરીને ચાર ગતિનાં આયુષ્ય જ્યોતિષની ચાલ વિગેરે બતાવાય છે. દ્રવ્યોનું વર્ણન કરવું તે દ્રવ્યાનુયોગ. તેમાં કાલિક શ્રત છે તે ચરણ કરણાનુયોગ જાણવા. ઉત્તરાધ્યયન જે ઋષિ ભાષિત છે તે વિગેરે ધર્મ કથાનુયોગ જાણવાં, સૂર્ય પ્રજ્ઞપ્તિ વિગેરે ગણિતાનુયોગ અને દૃષ્ટિવાદ એ દ્રવ્યાનુયોગ જાણવાં. કહ્યું છે કે कालियसुअं च इसिभासियाइ तइया य सूरपन्नत्ती सम्बो य दिठिवाओ चउत्थओ होइ अणुओगो ॥ १ ॥ કાલિક શ્રત, ઋષિભાષિત, તથા સૂર્યપ્રજ્ઞપ્તિ એ ત્રણે અનુક્રમે ચરણ કરણાનુયોગ, ધર્મકથાનુયોગ, અને ગણિતાનુયોગ છે. આખો દૃષ્ટિવાદ જે બારમું અંગ છે તે ચોથો દ્રવ્યાનુયોગ જાણવો. ગાથાનો અર્થ સમાપ્ત. અહીં અર્થથી અનુયોગ બે પ્રકારે અપૃથકત્વ અનુયોગ અને પૃથકત્વ અનુયોગ એટલે એકજ સૂત્રમાં ચારે અનુયોગ કહેવાય? તે અપૃથકત્વ (ચાર સાથે) જાણવા. કારણ કે સૂત્રોના અનંત ગુણ અને પર્યાય હોવાથી બધા અનુયોગ સાથે લેવાય. પૃથકત્વ અનુયોગમાં કોઈ સૂત્રમાં ચરણ કરણ, કોઈમાં ધર્મ કથા વિગેરે પ્રત્યેક અનુયોગ જુદો જુદો આવે. આ માટે એવું બોલાય છે કે जावंत अज्जवइरा अपुहुत्तं कालियाणुओगस्स । तेणारेण पुहुत्तं कालियसुय दिट्टिवाए य ॥ १ ॥ જ્યાં સુધી આર્ય વજસ્વામી હતા, ત્યાં સુધી ચારે અનુયોગ કાલિક અનુયોગમાં સાથે હતા. ત્યાર પછી કાલિક શ્રુતમાં અને દૃષ્ટિવાદમાં ઉપર કહેલ જુદા જુદા અનુયોગ થયા. આ બધો વિસ્તાર વિશેષ આવશ્યક સૂત્રથી જાણવો. આપણે અહીં પૃથકત્વ એટલે ચારે જુદા જુદા અનુયોગ વડે અધિકાર છે તે જ નિર્યુકિતકાર
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy