________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ જેમ ચંદ્ર એકલો બધાં પાણીનાં સ્થાનોમાં દેખાય છે તેમજ એકજ ભૂતાત્મા દરેક ભૂતમાં રહેલો છે. એક પ્રકારે અને અનેક પ્રકારે આનું ખંડન સર્વ શબ્દથી થાય છે. જો એકજ ભૂત હોય તો પછી એક મોક્ષમાં ગયો. એટલે મોક્ષ પ્રવાહ બંધ થયો અને બીજા જીવોનો મોક્ષ થવાનો અભાવ થાય (આટલા માટે જૈન ધર્મવાળા એક ભૂતાત્મા ન માનતાં સર્વ આત્મા જુદા માનીને જે જે મોક્ષમાં જાય અને ગયેલા છે તે બધાને નમસ્કાર કરે છે.)
'નમીને' એ વડે સમાન કર્તાઓનો પૂર્વકાળમાં કતા' પ્રત્યય વડે નિત્ય અનિત્ય એવા બે એકાંત વાદ માનનારાઓનું દૂષણ બતાવે છે. જો નિત્ય એકાંત માનનારાઓને સંબંધક કૃદંત લાગે નહિ. એકાંત નિત્યવાદી જે નાશ ન થાય ઉત્પન્ન સંથાય; નિશ્ચલ રહે તે નિત્ય. હવે જો બદલાય નહિ તો સંબંધક કૃદંત ન આવે. પૂર્વમાંથી પછીનામાં કંઈ ફેરફાર કરવો હોય ત્યારે જ સંબંધક કૃદંત આવે છે.
આવી જ રીતે સંબંધક કૃદંતથી ક્ષણિક વાદીઓનું ખંડન થાય છે. તેઓ એવું માને છે કે પૂર્વ અને પછી બે કાલમાં એક દ્રવ્ય ન રહે. પૂર્વનું પણ જુદું એમ માનવાથી પૂર્વ અને પશ્ચિમનો સંબંધ તૂટી જતાં બે ક્રિયાઓ એક કાર્યને લાગુ ન પડે. નમન ક્રિયા યોગમાં ચોથી વિભૂતિ થાય છે. અહીં અધિકારવાળી ગાથાના સૂત્રની બીજી રીતે ઉત્પત્તિ ન થાય; વળી ભદ્રબાહુ સ્વામી જેવા આપ્ત પુરૂષ નિયંતિકાર છે (માટે તેમનું વચન તેઓ ચૌદ પૂર્વી હોઈને આપણને પ્રમાણભૂત છે) વળી 'બાપને,' જન્મ આપનારને હું નિરંતર નમું છું એવા વિચિત્ર પ્રયોગો જોવામાં આવે છે તો 'સર્વ સિદ્ધોને કર્મના સંબંધે દ ી જાણવી.
હવે સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને શું કરવાનું છે તે કહે છે દશવૈકાલિકની નિયુકિત હું કહીશ. કાળમાં જે ઉત્પન્ન થાય તે કાલિક. અહિં પ્રમાણ કાળને ઉપયોગમાં લેવો એ કહેવાનો ભાવ છે. દશ અધ્યયનના ભેદ રૂપ હોવાથી દશ પ્રકારનું કાલિક છે. તેમાં પ્રકાર શબ્દનો લોપ થવાથી દશ કાલિક જાણવું. વિશબ્દનો અર્થ આગળ અમે કહીશું.
નિર્યુકિત એટલે શું? નિયંતજ, સૂત્ર અને અર્થોની યુતિ એટલે પરિપાટી (અનુક્રમે જોડવું) તે નિર્યુકિત યુકિત. આમાં યુકત શબ્દનો લોપ થવાથી નિયુકિત શબ્દ બન્યો. તે છૂટી જુદી બાબતોની યોજના ખુલાસાથી કહીશું. (૧ લી ગાથાનો અર્થ સમાપ્ત.)
શાસ્ત્રો આદિ, મધ્ય અને અંતમાં વિધિ પૂર્વક મંગળનો પરિગ્રહ કરીને (શાસ્ત્રો) કરવાં. * आइ मज्ावसाणे काउं मंगल परिग्गहं विहिणा।
ટીકા :-આદિ મધ્ય અને અંતમાં મંગળ ગ્રહણ કરીને વિધિયુકત શાસ્ત્ર કરવાં. શા માટે તે મંગળ ની કલ્પના કરવી? વાદી અથવા ન સમજતા શિષ્યને આચાર્ય ઉત્તર આપે છે. પહેલું મંગળ બધાં વિઘ્નો દૂર કરવા વડે ઇચ્છિત શાસ્ત્ર, અને તેના અર્થનો પાર પહોંચાય છે. (સુખેથી ભણાય) તેમાટે છે. ભણેલું સૂત્ર તથા અર્થ આત્મામાં સ્થિર રહે (ભૂલી ન જવાય) તે માટે મધ્ય મંગળ જાણવું. વળી તેજ સૂત્ર અને અર્થ શિષ્ય પરંપરામાં નાશ થયા વિના ચાલ્યું આવે માટે છેવટનું મંગળ જાણવું.
શંકા સમાધાન- વાદીની શંકા અને આચાર્યનું સમાધાન અત્રે બતાવવું જોઈએ પણ તે વિશેષ આવશ્યક નામના મહાન સૂત્રથી જાણી લેવું. અહીંયાં સામાન્યથી આખું શાસ્ત્ર મંગળરૂપ છે કારણ કે નિર્જરાનો વિષય હોવાથી તપ કરવાની માફક, આ હેતુ અસિદ્ધ નથી. આનું કારણ એ કે વચન વિજ્ઞાન રૂપ આ શાસ્ત્ર છે
થી મંગલ વિ. ભાષ્ય ગા.
ની તુલના કરો.