SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ श्री वीतरागाय नमः | दशवैकालिक भाषांतर अध्ययन १ प्रथम अध्ययन (શ્રી ભદ્રબાહુ સ્વામી કૃત નિર્યુક્તિ સાથે શ્રી શય્યભવ સૂરિ મહારાજે ઉદ્વા૨ ક૨ેલું અને હરિભદ્ર સૂરિ મહા૨ાજે મોટી ટીકા કરેલી તે દશ વૈકાલિક સૂત્ર, નિર્યુક્તિ અને ટીકાનું ભાષાંતર) 'जयति विजितान्यतेजाः सुरासुराधीशसेवितः श्रीमान् । विमलस्वासविरहितस्त्रिलोकचिन्तामणि वीरः ॥१॥ અન્ય તેજોને જીતનારા, સુર અને અસુરના ઇંદ્રોથી સેવાયેલા, નિર્મલ, ત્રાસથી રહિત, ત્રણ લોકને વિષે ચિંતામણિ રત્ન સમાન, શ્રીમાન વીરપ્રભુ જયવંતા વર્તે છે. અહીં અર્થથી તીર્થંકરના કહેલા અને સૂત્રથી ગણધર ભગવાનના રચેલા પૂર્વમાં રહેલા (વિષયો) નો ઉદ્ધાર કરીને શરીર, મન વિગેરેનાં કડવાં દુઃખોની પરંપરાના વિનાશ હેતુ રૂપ દશ વૈકાલિક સૂત્રમાં અતિ સૂક્ષ્મ મહાન અર્થ રહેલો છે તેની વ્યાખ્યા કરાય છે. તેમાં ચાલુ વિષય પ્રકટ કરવાની ઇચ્છાથી ઇંષ્ટ દેવને નમસ્કાર કરવા દ્વારા સર્વ વિઘ્ન વિનાયકના નાશ માટે શિક્તમાન એવી પરમ મંગળ સ્થાન રૂપ આ પ્રતિજ્ઞાની ગાથાને નિર્યુક્તિકાર ભગવંત કહે છે. सिद्धिगइमुवगयाणं कम्मविसुद्धाण सव्वसिद्धाणं । नमिअगं दसकालियणिज्जुत्ति कित्तइस्सामि ||१|| નિર્યુક્તિ ગાથાનો અર્થ :– જેમને સિદ્ધ ગતિ પ્રાપ્ત થયેલ એવા કર્મ વિશુદ્ધ સર્વ સિદ્ધોને નમસ્કાર કરી દશવૈકાલિક નિર્યુક્તિ હું કરૂં છું. ટીકાનો અર્થ – સિદ્ધ ગતિ પામેલાને નમસ્કાર કરીને દશ વૈકાલિક નિર્યુક્તિ હું કરીશ એ ક્રિયા છે. ક્રિયા એટલે કરવાનું, તત્ર—તેમાં સિદ્ધિ પામે છે એટલે સંપૂર્ણ અર્થ પ્રાપ્ત કરેલા જેમાં થાય છે તે સિદ્ધિ. તે સિદ્ધિ લોકના અગ્ર સ્થાનનું રૂપ છે. કહ્યું છે કે 'અહીં શરીરને ત્યાગીને ત્યાં જઈ સિદ્ધ થાય છે. જવાય તે ગતિ, કર્મનું સાધન તે સિદ્ધિજ છે. જવાય તેથી ગતિ એટલે સિદ્ધ ગતિ ત્યાં પહોંચેલા છે તેમને સકળ લોકના છેડાના ભાગે પ્રાપ્ત થયેલા જાણવા. આમાં પ્રાકૃત ભાષાને લઈને ચોથીના અર્થમાં છઠ્ઠીનો ઉપયોગ થયો છે. કહ્યું છે કે 'છઠ્ઠી વિભક્તિમાં ચોથી વપરાય એટલે સંસ્કૃતમાં ચોથીનો પ્રયોગ થાય ત્યાં માગધીમાં છઠ્ઠી વિભક્તિ નો ઉપયોગ કરવો (જેને નમસ્કાર કરવો હોય તેને માટે સંસ્કૃતમાં ચોથી અને માગધીમાં છઠ્ઠી વપરાય છે.) તેમાં એકેન્દ્રિય વિગરે કર્મ સહિત જીવો પણ રહેલા છે. તેથી સિદ્ધના જીવો પણ તેવા રૂપ વાળા ગણાઈ જાય માટે વિશેષણ મૂક્યું છે. કર્મથી વિશુદ્ધ (સિદ્ધના જેવું ) કરાય તે કર્મ જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મ અંતરાય કર્મ સુધી છે તેનાથી વિશુદ્ધ–રહિત તે કર્મ વિશુદ્ધ. કર્મ વિશુદ્ધ એટલે કર્મ કલંકથી મૂકાયેલા તે કર્મ વિશુદ્ધ જીવો સિદ્ધના છે. વાદી કહે છે 'જો એમ હોય તો સિદ્ધિ ગતિ ને પામેલા એમ ન બોલો. એમાં વ્યભિચારનો દોષ લાગતો નથી, કારણકે કર્મથી વિશુદ્ધ જીવો સિદ્ધિ ગતિમાં જ પહોંચે છે.' આચાર્ય કહે છે' એમ ન બોલો. ગમે તે ક્ષેત્રના વિભાગમાં રહેલાં સિદ્ધ જીવોને માનનારા દુર્રયના વાદને દૂર કરવા માટે આ વિશેષણની જરૂર છે. કેટલાક એવું ૧. તુલના – સકલાર્હત્ સ્તોત્ર ગા. ૨૭. ૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy