SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું અધ્યયન "श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३ - સાધુએ વિચારીને બોલવું, ત્યાર પછી તેને લગતું બીજુ પણ કહે છે. “સંખડી’ એટલે જેમાં જીવોનું આયુ (આઉખ) નાશ પામે. (મરણ પામે) તે સંખડી એટલે સ્થાવર જીવોને દુઃખરૂપ મરણનું જમણ જાણીને સાધુ ત્યાં ગયો હોય તો એમ ન બોલે કે આ બાપને માટે કરવા યોગ્ય છે. જો બોલે તો મિથ્યાત્વની વૃદ્ધિ થાય તથા ચોરને દેખીને એમ ન બોલવું કે આ બાંધવા યોગ્ય છે. જો બોલે તો એમ મનાય કે આ ખરેખર ચોર જ છે. (વખતે તે ચોર ન પણ હોય તો સાધુને જૂઠનો દોષ લાગે અને કદાચ ખરો ચોર હોય તો તેનાં સગાંવહાલાં સાધુ ઊપર દ્વેષ કરીને તેને અથવા બીજા સાધુને હેરાન કરે) નદી જાણીને એમ ન બોલવું કે આ સારું તીર્થ છે કે આ ખરાબ તીર્થ છે. (જો બોલે અને સારું તીર્થ કહે તો લોકો નાહવા આવે, અથવા તે બાને પાણીના જીવોને હેરાન કરે, અને ખરાબ કહે તો તેને માનનારાને દ્વેષ થાય.) પણ કારણ કરીને બોલવું પડે તો તેની વિધિ કહે છે. સંખડીને સંખડી જ કહે એટલે કોઈ વખતે વર્ણન કરવું પડે તો એમ કહે કે ખીચોખીચ સંખડી (જમણવાર) હતી. ચોર માટે કહેવું હોય તો વર્ણનમાં પણિત અર્થ છે, એટલે એણે પોતાનો જીવ મૂકીને ધનની મૂછ કરી છે, આ ચેલાને અથવા બીજા કોઈને ઉપદેશ આપવો હોય તો કર્મના ફળ આવાં ભોગવવાં પડે છે. તે બતાવવા કહેવું અને નદી સંબંધી સાધુને બીજા સાધુ સાથે વાત કરવી પડે તો કહેવું કે આ નદીનું પાણી ઉતરવાની જગ્યા એ સમાન છે. જ્યાં નદીમાં ઉતરાતું હોય તેને તીર્થ કહે છે. ૩૬-૩૭ll तहा नईओ पुण्णाओ, कायतिज ति नो वए । नावाहिं तारिमाओ त्ति, पाणिपेज्ज ति नो वए ॥३८॥ નદી ભરેલી હોય તો પૂરી ભરેલી છે. એમ ન કહેવું કારણ કે તેથી તેમાં ઉતરતાં માણસો પાછા ઘેર જશે તેથી સાધુને તેની ક્રિયાનો દોષ લાગશે, તથા શરીરથી તરવા યોગ્ય છે એમ પણ ન કહેવું. જો તેમ કહેતો હવે વિબ નથી, એમ જાણીને લોકો નદીમાં પડી પાણીના જીવોને દુઃખ દેશે. નાવથી ઉતરવા યોગ્ય છે, એમ પણ ન બોલે, જો બોલે તો બીજી રીતે વિદ્ધ થશે. એમ જાણીને નાવ મૂકી ઉતરતાં નાવનો દોષ મુનિને લાગશે, તથા કિનારાનું પાણી પીવા યોગ્ય છે, એમ પણ ન બોલવું. કારણ કે તેથી લોકો પાણી પીવા લાગી જાય, માટે તેવું પણ મુનિએ ન બોલવું. ૩૮| बहुवाहडा अगाहा, बहुसलिलुप्पिलोदगा । बहुवित्थडोदगा यावि, एवं भासेज पण्णवं ॥३९॥ પ્રયોજનમાં બોલવું પડે અને બીજા મુનિને રસ્તો બતાવવો હોય તો કહેવું કે પ્રાયઃ નદી ભરેલી છે તથા અગાધ (ઘણું પાણી) છે, તથા બીજાં ઝરણાં, તથા નાળાંથી ઘણા પાણીવાળી નદી છે તથા પોતાના કાંઠાને પાણીથી ભીંજાવવા તૈયાર થએલી છે. આ પ્રમાણે બુદ્ધિમાન સાધુ કારણ કરીને બોલે, કોઈ ગૃહસ્થ અથવા અન્ય કોઈ આવીને પૂછે તો મુનિ એમ ન બોલે કે હું કાંઈ જાણતો નથી. જો એવું જૂઠું બોલે તો પ્રત્યક્ષ જુઠ દેખીને બીજા માણસને દ્વેષ થાય. ૩૯ तहेव सावज्ज जोग, परस्सट्ठाए निद्रियं । कीरमाणं ति वा णच्या, सावज्ज नाऽऽलवे मुणी ॥४०॥ વળી બોલવાની વિધિમાં એવું બીજાં કહે છે. સાવધ વ્યાપારવાળું વચન પારકાના માટે ભૂત, વર્તમાન કે ભવિષ્ય કાળ સંબંધી જાણીને ન બોલે તેનો ખુલાસો આગળ કહે છે. Ilol सुकडे ति सुपक्के ति सुच्छिन्ने सुहडे मडे । सुनिट्ठिए सुलट्टे त्ति, सावज्ज बज्जए मुणी ॥४१॥ "આ સભાની બાંધણી સારી કરી છે અથવા આ સહસ્ત્ર પાક’ વિગેરે સારો પકાવ્યો છે. આ વન વિગેરે સારૂં છેડ્યું છે. તથા કૃપણનું ધન વિગેરે ઠીક ચોરાઈ ગયું છે, તથા આ શત્રુ મરી ગયો તે સારું થયું, આ ધનના અભિમાનીનું ધન ઠીક વપરાયું, તથા આ કન્યા બહુ સુંદર છે, એવું સાવદ્ય વચન મુનિ ન બોલે, જો બોલે તો તેની સંસારિ પ્રવૃત્તિમાં જે દોષ લાગે તેની અનુમતિનો દોષ મુનિને લાગે, પણ નિરવદ્ય વચનને જરૂર પડે બોલે, જેમ કે એણે વડીલોની સેવા સારી કરી, આ સાધુએ બ્રહ્મચર્ય બહુ સારું પાળ્યું, આ ઉત્તમ પુરુષે સંસારનું બંધન ઠીક છેડ્યું ૧ A ઉત્ત. નેમિચંદ્રસૂરિ વૃત્તિ-૧/૩૬ ૩ આ.ચ, -૪/૨૩ ૫૧
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy