SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ટૂરાવાનિસૂત્ર ભાષાંતર્ભે - માગ રૂ સાતમું અધ્યયન तहेव गंतुमुज्जाणं, पब्वयाणि वणाणि य । रुक्खा महल्ल पेहाए, एवं भासिज्ज पण्णवं ॥३०॥ તેથી ઉદ્યાન, પર્વત અને વનમાં ગએલો હોય, ત્યાં મોટાં મોટાં ઝાડ દેખીને જરૂર પડે તો આ પ્રમાણે સાધુએ બોલવું. ॥૩૦॥ जाइमंता इमे रुक्य्या, दीहवट्टा महालया । पयायसाला विडिमा, वए दरिसणि त्तिय ॥३१॥ આ વૃક્ષો અશોક વિગેરે છે. તે ઉત્તમ જાતિનાં છે. આ અનેક જાતનાં ઝાડ નાળીએરી વિગેરે ઊંચા છે. અને નંદી વૃક્ષ વિગેરે ગોળાકારે છે, અને વડ વિગેરે વિસ્તારવાળાં છે. આ ઝાડો ઘણી ડાળવાળાં છે. આ જોવા યોગ્ય વૃક્ષો છે, તે પણ સાધુ વિશ્રાંતિ લેવા બેઠો હોય, ત્યાં જોયાં હોય તો બીજા સાધુને નિશાની બતાવવા કહેવું પડે ત્યારે જ બોલવું. (પણ વિના કારણે ગમે ત્યાં બોલવું નહિ.) ૩૧॥ तहा फलाई पक्काई, पायखज्जाई नो वए । वेलोइयाई टालाई, वेहिमाई ति नो वए ॥ ३२ ॥ હવે ફળના આશ્રયીને કહે છે. આ આંબા વિગેરેનાં ફળ પાકેલાં છે. ખાવા યોગ્ય છે. એમાં જાળ બંધાયેલી છે. ખાડા નાંખીને કોદરા અથવા પરાળ (ઘાસ) વિગેરે નાંખીને પકાવીને ખાવા યોગ્ય છે, એમ સાધુ ન બોલે અથવા આ વધારે પાકેલી હોવાથી આંબો વેડી (ચુંટી) લેવા યોગ્ય છે, અથવા આ ગોટળી બંધાયા વિનાની છે, માટે કોમળ છે. તથા આ ગોટળી બંધાયાથી બે ફાડચાં (ચીરવા) યોગ્ય છે. આવું વચન સાધુ ન બોલે, કારણ કે ગૃહસ્થ એમાં મહેનત કરે અને પ્રયાસ કરતાં સાધુને અનુમોદનાનું પાપ લાગે. તથા ફળ પાકેલાં ન હોય તો ગૃહસ્થને સાધુ પર દ્વેષ થાય. ૩૨|| • असंथडा इमे अंबा, बहुनिव्वट्टिमाफला । वएज्ज बहुसंभूया, भूयरूव त्ति वा पुणो ॥३३॥ કારણે કરી સાધુએ કેમ બોલવું તે વિધિ કહે છે. આ આંબા ફળથી ભરેલા છે, તેથી ઘણા ભારથી નીચા નમી ગયા છે, અને ભાર ઊંચકવાને સમર્થ નથી. આંબા લેવાનું કારણ એ છે કે તેમાં ફળ ઘણાં તથા ઉપયોગી હોવાથી તે પ્રધાન વૃક્ષ છે અથવા એમાં ગોટલી બંધાએલાં ફળ ઘણા છે, અને ઘણાં પાકેલાં હોવાથી તથા વેડવા (ચુંટવાને) યોગ્ય હોવાથી તેવાં પ્રકારનાં છે. તથા આ કોમળ ફળવાળાં છે. (આ સાધુ બીજા સાધુને માર્ગની નિશાની બતાવે તેવા સમયે બોલવાનું છે. તેજ પ્રમાણે પોતે ક્યાં રહ્યા તે કોઈ પૂછે તો તે નિશાની બતાવવામાં બોલવા યોગ્ય છે.) ૧૩૩॥ તો (હેવો)સહિયો પણઓ, નીતિયાઓ વી રૂ હૈં । लाइमा भज्जिमाओ त्ति, पिहुखज्ज ति नो वए ॥३४॥ હવે અનાજ પાક્યું હોય તો તેની બોલવાની વિધિ કહે છે. આ ડાંગર, કમોદ, ભાત, વિગેરે પાકી ગયા છે, તથા તેની કાન્તિ લીલા રંગની છે. અથવા વાલ, ચોળા, ગવાર વિગેરેની ફળી ચુંટવા યોગ્ય થઈ છે. તથા આ ફળીઓ (શીંગો) વિગેરે ભૂંઝવા યોગ્ય છે, તથા આ અનાજનો પોંક (અડધું પાકેલું અનાજ) પાડવા યોગ્ય છે. આવું વચન સાધુ ન બોલે, કારણ કે તેથી ગૃહસ્થ આરંભ કરે તેનું પાપ સાધુને લાગે એ પૂર્વે બતાવ્યું છે.૩૪|| विरूढा बहुसंभूया, थिरा ऊसढा वि य । गब्मियाओ पसूयाओं, ससाराओ त्ति आलवे ॥३५॥ જરૂર પડેથી બોલવાની વિધિ કહે છે. આ રૂઢ છે, એટલે બહુ પાકેલ છે, અથવા પાકી જવા જેવા છે. આ પાકી ગયેલા છે, આને માથે ડુંડા (કણસલાં) આવેલાં છે. આ ગર્ભવાળાં છે, એને ડુંડાં (કણસલાં) આવ્યાં નથી. ફક્ત મુછ આવેલી છે (મુછ એટલે ચોટલી, રૂવાંટી) ડાંગર વિગેરે આ પ્રમાણે છે. એમ બોલવું. પાકેલાને માટે કેવી રીતે બોલવું તે ઊપર બતાવ્યું છે.।।૩૫।। तहेव संखडि नच्या, किव्यं कज्जं ति नो वए । तेणगं वा वि वज्झे त्ति, सुतित्थे त्ति य आवगा ॥३६॥ संखडि संखडि बूया, पणियठ्ठे त्ति तेणगं । बहुसमाणि तित्याणि, आवगाणं वियागरे ॥ ३७ ॥ ૫૦
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy