________________
શ્રી
વનિક્રૂત્ર મgic૨ - ભાગ 3
છઠું અધ્યયન
તથા ચાર પગવાળાંના દશ ભેદ તથા કુષ્યનો એક ભેદ એ બધા મળીને કુલ ચોસઠ ભેદ સમજવા. IR૫૮.
कामो चउवीसविहो, संपत्तो खलु तहा असंपत्तो । संपत्तो चउदसहा, दसहा पुण होअसंपत्तो ॥२५९॥
"કામ ઓઘથી ચોવીસ પ્રકારનો છે તેમાં સંપ્રાપ્ત ચૌદ પ્રકારનો છે અને અસંપ્રાપ્ત દશ પ્રકારના છે. તેનો ખુલાસો હવે કરે છે. ||ર ૫૯.
तत्य असंपत्तो अत्थो, १ चिंता, २ तह सद्ध ३ संसरणमेव ४ ।
विक्कवय ५ लज्जनासो ६ पमाय ७ उम्माय ८ तब्भावो ९ ॥२६०॥ પ્રથમ થોડું કહેવાનું હોવાથી દશ પ્રકારનો અસંપ્રાપ્ત કામ કહે છે. (૧) જોયા વિના ફક્ત કાને સાંભળીને તે તરફ કાન ખેંચાય (૨) તેનું રૂપ વિગેરે ગુણોને સાક્ષાત્ જોઈ તેને મેળવવાની ચિંતા કરે (૩) તથા મોહિત થઈ સંબંધ કરવાની ઇચ્છા કરે (૪) તેનું રૂપ ચિતરેલ વિગેરે જોવું. (૫) તેના વિયોગમાં આહાર વિગેરે ઊપર અરતિ થાય (૬) લજ્જાનો નાશ ને વડીલના દેખતાં પણ દુરાચારની પ્રશંસા (૭) પ્રમાદ એટલે તેને માટે સર્વ આરંભમાં તૈયાર થવું તથા (૮) ઉન્માદ તે ગમે તેમ બકવું, બોલવું (૯) ભાવના તે થંભા વિગેરેને પણ સ્ત્રીના આલિંગનની બુદ્ધિએ ભેટવું. l/ર૬olી. . मरण१० च होइ दसमो, संपत्तपिअ समासओ वोछ । दिट्ठीए संपाओ १ दिट्ठीसेवा य संभासो २ ॥२६॥ - (૧૦) તે સ્ત્રીનો મેલાપ ન થાય તો તેના શોકથી મરણ પામે આ પ્રમાણે સ્ત્રીની પ્રાપ્તિ ન થાય અને તેના ઊપરનો મોહ ન છોડે, તો દસમી અવસ્થા એ મરણ પામે છે. હવે પ્રાપ્તિ થાય તો શું થાય? તે ટૂંકામાં કહે છે. (૧) કુબુદ્ધિએ જોવું (૨) તેની સાથે ભાષણ કરવું આમાં કુબુદ્ધિએ પુરુષ દેખવો તેને દૃષ્ટિ સેવા કહેવાય અને બંનેની આંખ મળે તો ભાવસાર કહેવાય તથા સંભાષણમાં બંને એકાંતમાં મળતાં સંસારની વાતો કરે તે છે.ર૬ના
हसिअ ३ ललिअ ४ उवगृहिअ ५ दंत ६ नहनिवाय ७ चुंबणं ८ होइ।
आलिंगण ९ मायाणं १० कर ११ सेवण १२ संग १३ किडा १४ अ ॥२६२॥ (૩) હસવું (૪) કામ જાગે તેવા મધુર ગર્ભિત વચનો બોલવાં (૫) પાસા વિગેરેથી ખેલીને મેલાપ કરવો. (૬) દંતનિપાત (૭) નખનિપાત (નખ વડે ઉઝરડાં કરવાં) (૮) ચુંબન (૯) આલિંગન થોડો સ્પર્શ કરવો (૧૦) આદાન (સ્તન ઊપર હાથ નાખવો) (૧૧) સેવન (૧૨) કર (૧૩) સંગ અને ભોગ (૧૪) ક્રીડા તેમાં પાછળના ૧૧-૧૨-૧૩-૧૪ એ ચાર ભાગ તે મૈથુન સેવનના અનુક્રમે જાણવા કામનું સ્વરૂપ બતાવીને કહે છે. ધર્મ વિગેરે ત્રણેનું સંપન્નતા (વિરોધ) તથા અસપત્નતા તે (અવિરોધ) બતાવે છે. ર૬૨||
- धम्मो अत्यो कामो भिन्ने ते पिंडिया पडिसवत्ता । जिणवयणं उत्तिन्ना असवत्ता होति नायव्वा ॥२६३॥ - ધર્મ–અર્થ અને કામ એ ત્રણે સાથે લઈએ, તો પરસ્પર વિરોધી છે તેવું લૌકિક જે જૈનેતર વચન છે. તેમાં આ પ્રમાણે કહેલું છે કે અર્થનું મૂળ નિકૃતિ (લાભ) તથા ક્ષમા (સહનશીલતા) છે. અને કામનું મૂળ પૈસા શરીર અને યોગ્ય ઉંમર છે. તથા ધર્મનું મૂળ દાન-દયા અને દમન છે. અને મોક્ષનું મૂળ બધાથી મોહ ઉતારવો અને ધર્મ ક્રિયામાં તત્પર રહેવું તે છે. ર૬૩ "अर्थस्य मूलं निकृतिः क्षमा च, कामस्य वितं च वपुर्वयश्च । धर्मस्य दानं च दया दमथ, मोक्षस्य सर्वोपरमः क्रियाध ॥१॥
આ બધા પરસ્પર વિરોધી છતાં જિન વચનને અનુસાર કુશળ બુદ્ધિના યોગથી વ્યવહારથી ધર્મ વિગેરે તત્ત્વના સ્વરૂપને વિચારવાથી અથવા નિશ્ચયથી જોતાં પરસ્પર અવિરોધી થાય છે. તેમાં પ્રથમ વ્યવહારથી અવિરોધ બતાવે છે. [૧]
૧ ઉત્તરાધ્યયન નિયુક્તિ ૨૪૦ - ૨૮