SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशकालिकसूत्र भाषांतर - भाग ३ પાંચમું અધ્યયન તપ-વચન-રૂપ-આચાર અને ભાવ એ પાંચની ચોરી કરે, તે આ પ્રમાણે છે. પોતે તપ ન કરતો હોય છતાં કુદરતી દુર્બળ હોય. તેથી કોઈ પૂછે કે આપ તપસ્વી છો? તો મૌન રહે અથવા હા કહે તો તે તપચાર જાણવો. તેજ પ્રમાણે ધર્મ કથા કહેતાં ક્યાંયથી થોડું સાંભળી કથા કરે તો કોઈ પૂછે કે આપ શાસ્ત્ર જાણો છો? ન ભણ્યો હોય છતાં કહે અથવા મૌન રહે તો વચનચોર જાણવો. એ પ્રમાણે રૂપવાળો જોઈ કોઈ પૂછે કે આપ રાજકુમાર છો તો હા કહે તો તે રૂપચાર જાણવો. તેજ પ્રમાણે સારા આચારવાળાના નામે પૂજાય તો તે આચારચાર જાણવો. તથા બીજાના કહેલા સિદ્ધાંત રહસ્યને પોતાને નામે બતાવે તો તે ભાવચોર જાણવો. આ પ્રમાણે ચોરી કરવાથી કિલ્બિષિક દેવમાં ઉત્પન્ન થાય. I૪૬ लणवि देवत्तं, उववन्नो देवकिब्बिसे । तत्थावि से न याणाइ कि मे किच्चा इम फलं? ॥४७॥ તે પ્રમાણે આવી હલકી ગતિ પામ્યા છતાં, અને સારી ક્રિયાથી દેવપણું પામ્યા છતાં વિશુદ્ધ અવધિજ્ઞાનના અભાવે જાણતો નથી કે મેં પૂર્વે ચોરી કરી તેનું આ ફળ છે. ૪૭ तत्तोवि से चइत्ताण, लब्मिही एलमूयगं । नरय तिरिक्खजोणिं वा, बोहि जत्थ सुदुल्लहा ॥४८॥ હવે બીજા દોષો કહે છે. દેવલોકમાંથી નીકળીને મનુષ્યપણામાં એડમૂકતા (ગાંડાપણું વિગેરે અથવા બકરા જેવી ન સમજાય તેવી ભાષામાં) ઉત્પન્ન થશે. અને પરંપરાએ નરક અને તિર્યંચ ગતિને મેળવશે. તથા સર્વ સુખોનું મૂળ જૈન ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ થશે, ટીકામાં એડમૂકતા એ જગ્યાએ વારંવાર દુઃખ પામવાનું સૂચવે છે. તથા ભવિષ્યકાળમાં પણ પરંપરાએ દુઃખ ભોગવશે. એમ સૂચવે છે. ૪૮ી. ___ एयं च दोस दळूण, नायपुत्तेणं भासियं । अणुमायं पि मेहावी, मायामोसं विवज्जए ॥४९॥ તેથી ઉપદેશ આપે છે કે આ પ્રમાણે મહાવીર જિનેશ્વરે કહ્યું. તે દોષોને જાણીને મર્યાદામાં રહેલો સાધુ - જરાપણ ખોટું માન ન લે અને માયા લાઠને સર્વથા ત્યાગે છે.ll૪૯ll सिक्खिऊण भिक्वेसणसोहिं, संजयाण बुद्धाण सगासे । તત્વ રમવધુ સુખહિલા, તિવ્રતાપૂર્વ વિદ્યારિ ધણી तिबेमि समत्त पिंडेसणानामज्झयण पंचमं ॥५॥ . • અધ્યયન સમાપ્ત કરતાં ગુરુ કહે છે કે વિદ્વાન ગુરુ પાસે ભિક્ષાની શુદ્ધિ શિખીને પોતાની ઇન્દ્રિયો કબ્બામાં રાખીને ઉત્કૃષ્ટ સંયમ પાળતો, તથા સૂત્રમાં બતાવેલી વિધિએ સમાચારી કરતો, પોતે ગુણવંત સાધુ થઈ વિચરે તેવું હું કહું છું. વિગેરે બધું પૂર્વ માફક જાણવું. બીજો ઉદેશો આ પૂરો થયો. સૂત્ર અનુગમ કહ્યા તથા નયનું વર્ણન પૂર્વ માફક જાણવું. પિંડેષણા નામનું પાંચમું અધ્યયન સમાપ્ત થયું. આવા ગુરુ ભગવંતની પાસે ચાગ્રિહાણ (દીક્ષા લેવી) કરૂં તે હિતકારી છે. (૧) જેમણે વિધિપૂર્વક જ દીક્ષા લીધેલ હોય. (૨) ગુરુ ભગવંતની ઉપાસના કરવાંવાળાં હોય (૩) અખંડિત વ્રતવાળાં હોય (૪) વિધિપૂર્વક આગમજ્ઞાનને પ્રાપ્ત કરેલું હોય (૫) અતિ નિર્મલ બુદ્ધિનો વિકાસ થયેલો હોય (૬) કપાયભાવો પણ જેનાં ઉપશાન્ત થયેલાં હોય (૭) સકલ સંઘનાં પ્રત્યે વાત્સલ્યભાવવાળાં હોય (૮) બધાંજ જીવોના હિતેચ્છુ હોય (૯) આદેય વચન યુક્ત હોય (૧૦) અનુવર્તક હોય (૧૧) ગંભીર હોય (૧૨) વિષાદ રહિત હોય (૧૩) ઉપશમ લબ્ધિયુક્ત હોય (૧૪) સૂત્રાર્થ પ્રરૂપક હોય (૧૫) સ્વગુરુથી ગુરુપદ પામેલાં હોય (૧૬) ગીતાર્થ હોય (૧૭) કૃત યોગી (યોગોદ્દવહન કરેલાં હોય) એવાં ગુરુની પાસે દીક્ષા, ચારિત્ર લેવું જોઈએ. આવી દીક્ષાને આગમોક્ત દીક્ષા કહેવામાં આવેલી છે. ૨૪
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy