SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાવ ત્રિવતસૂત્ર મપાંતજ - માગ 3 પાંચમું અધ્યયન ગોચરી ગએલો સાધુ ઘરમાં કે દેવળમાં બેસી ન રહે, કારણ કે સંયમને નુકશાન થાય છે. તેમ ધર્મ કથા પણ કહેવા ન બેસે. અને પ્રશ્નનો ઉત્તર આપવા પણ બેસે નહિ, એટલે ઘણો કાળ ગૃહસ્થના ઘરમાં બેસી રહેવાથી સાધુ માટે ગોચરી બનાવે તો દોષ લાગે તથા ઘરના માણસોને રાગદ્વેષ થાય, પણ એક પ્રશ્ન પુછે તો તેનો ઉત્તર ઉભા રહીને આપે. (તે આગળ કહેશે.) હવે દ્રવ્ય યતના કહે છે. દા. अग्गलं फलिहं दारं, कवाडं वावि संजए । अवलंबिया न पिढेज्जा, गोयरग्गगओ मुणी ॥९॥ ઉલાળો જે દરવાજામાં કમાડ પછવાડે રાખવામાં આવે છે તે તથા પરીઘ (મુંગળ) જે (ભીતની અંદર લાકડાની ખેંચવાની રાખવામાં આવે છે તે.) આ નગરના દરવાજે વિશેષ કરીને હોય છે. તેને તથા બારણું તથા કમાડ વિગેરેને અટકીને સાધુએ ઉભા ન રહેવું. તેથી સાધુને લઘુતા અને જીવ વિરાધનાનો દોષ લાગે છે. (સંયતા અને મુનિ બંને એક જ અર્થમાં છે.) Nell. समणं माहणं वा वि, किविण वा. वणीमगं । उक्सकमत भत्तट्ठा, पाणट्ठाए व संजए ॥१०॥ હવે ભાવ યતના કહે છે. સાધુ ગોચરી જાય ત્યાં સામે બૌદ્ધના સાધુ, બ્રાહ્મણ, કૃપણ, પિંડોલક (ભિક્ષુ અથવા ભિક્ષાચર-ભિખારી) તથા વનપક (દરિદ્રી) આમાંનો કોઈ ખાવા પીવાનું લેવાને માટે આવ્યો હોય. ll૧૦માં तं अइक्कमित्तु न पविसे, नवि थिटे यक्खुगोयरे । एगंतमवक्कमित्ता, तत्थ चिट्ठज्ज संजए ॥११॥ - તો તેને ઉલંધીને સાધુએ ઘરમાં જવું નહિ. અથવા તેની નજર પડે ત્યાં પણ ઉભા ન રહેવું. માટે થોડે દૂર એકાંતમાં જઈને ત્યાં મુનિએ ઉભા રહેવું. ll૧૧|| : वणीमगस्स वा तस्स, दायगस्सुमयस्स वा । अप्पत्ति सिआ होजा, लहुत्त पवयणस्स वा ॥१२॥ જો ત્યાં જાય તો શું દોષ લાગે તે કહે છે. લેનારને તથા આપનારને આપતાં વિઘ્ન થાય, તેથી અપ્રીતિ થાય, અથવા તેઓ જૈન ધર્મની નિંદા કરે કે તેમને આવો સાદો વિવેક પણ ધ્યાનમાં નથી, કે ઘરમાં ઉલ્લંઘીને દાખલ થાય છે. ll૧૨ // पडिसेहिए व दिन्ने वा, तओ तम्मि नियत्तिए । उवसकमेज भत्तट्ठा, पाणट्ठाए व संजए ॥१३॥ એટલા માટે જ્યારે ગૃહસ્થ તેને ના પાડે અથવા તેને આપે તો તેના ગયા પછી મુનિએ આહાર પાણી લેયાં ત્યાં જવું. /૧૩ उप्पल पउम वा वि, कुमुयं वा मगदंतियं । अन्न वा पुष्फसच्यित्त, तं च संलुचिया दए ॥१४॥ મુનિએ પરપીડા ન કરવી તે કહે છે કે ઘરમાં નીલકમલ તથા પદ્ધ જાતિનાં કમલ તથા મલ્લિકા જાતિનાં ફૂલ અથવા સચિત્ત ફૂલ વિગેરે હોય તેને છેદીને મુનિને આપવા માંડે તો, II૧૪માં .(तं भवे)तारिस भत्त-पाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥१५॥ | મુનિએ કહેવું કે એ મુનિને લેવું અયોગ્ય છે. અમને તેવું જોઈતું નથી. ll૧૫ उप्पलं पउम वा वि, कुमुयं वा मगदंतियं । अन्नं वा पुप्फसच्चित्तं, तं य समदिआ दए ॥१६॥ ઊપર પ્રમાણે કોઈ પણ જાતના ફૂલો હોય અને તેને મર્દન કરીને (ચોળીને) મુનિને આપે. ll૧૬/ तारिस(तं भवे) भत्त-पाणं तु, संजयाण अकप्पियं । देतियं पडियाइक्ने, न मे कप्पड़ तारिस॥१७॥ તો તેણે કહેવું કે અમારે તેવું લેવું ઉચિત નથી. લંચન અને મદનની જે વાત આવી છે તેમાં પહેલાં બતાવી ગયા છીએ કે પ્રાણ બીજ તથા વનસ્પતિને દુઃખ દઈને વહોરાવે તો ન લેવું. એમ કહ્યાં છતાં આ બે ગાથા ફરી શા માટે કહી? આચાર્યનો ઉત્તર-પહેલાંમાં સામાન્ય અને બીજામાં વિશેષ નામ લઈને કહ્યું છે. II૧૭ll ૨૦
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy