SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ न पक्खोडावेज्जा न आयावेज्जा न पयावेज्जा अन्नं आमुसंतं वा संफुसंतं वा आवीलंतं वा पविनंतं व अक्खोडेंतं वा पक्खोडेंतं वा आयावेंतं वा पयावेंतं वा न समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करेंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं वोसिरामि ।। ( सू० ११) अध्ययन ४ ‘સેમિમ્મૂ’ વિગેરે બધું પૂર્વમાફક જાણવું. એટલે જેમ પૃથ્વીકાયના આલાવામાં તેને દુઃખ ન થાય, તેમ સાધુ સંભાળથી પ્રવર્તે. તેવી જ રીતે હવે અકાયને દુઃખ ન થાય, માટે તેના ભેદો પ્રથમ બતાવે છે. તે આ પ્રમાણે. ઉદર્કવા, એટલે કુવામાં જે નાના ઝરણની શેર આવે તે, તથા અવશ્યાય, તે ઓસ, તથા હિમ, તે બરફ, મહિકા, ઝીણી ફરફર વરસે તે, કરા, આકાશમાંથી બરફ જેવા નાના ટુકડા પડે તે, હરિતનું, એટલે પૃથ્વીને ભેદીને જે ઘાસ વિગેરે ઉપર આવે તેના ઉપર જે પાણીના બીંદુ દેખાય તે, શુદ્ધોદક એટલે વરસાદનું પાણી જે અદ્ધર ઝીલાય તે, અથવા વરસાદ વિગેરે પાણીથી ભીંજાએલી પોતાની કાયા તથા વરસાદ વિગેરેના પાણીથી ભીંજાએલા પોતાનાં વસ્ત્ર હોય. અહીં ભીંજાએલું એટલે પાણીના છાંટા નીચે પડતાં હોય તે, હમણાં કહેલાં પાણીના ભેદોવાળા હોય તે, તથા સ્નિગ્ધ કાયા અથવા વસ્ત્ર હોય, અહીંયાં સ્નિહ ધાતુનું ભૂતકૃદંત સ્નિગ્ધ છે. તેનો અર્થ પાણીના બીંદુ ન પડતાં હોય તે છે. આ પાણીને અથવા ભીંજાએલા વસ્ત્રો અથવા કાયાને પાણીના જીવોને દુઃખ ન થાય, માટે સાધુઓએ શું કરવું તે કહે છે. તેને ન મૃષે, (વસ્ત્રને સળે નહિ) તથા પીડા ન કરે, તથા સ્ફોટન ન કરે. તેને તપાવે નહિ. આ પાપકૃત્ય પોતે ન કરે, ન બીજા પાસે કરાવે, અને બીજો કરતો હોય તેની પ્રશંસા પોતે ન કરે, એમાં થોડું, તથા એકવાર કરે, તે સ્ફોટન કહેવાય. અને વારંવાર ઘણું કરે તો પ્રસ્ફોટન કહેવાય છે. આ મન, વચન, કાયાથી, ન કરવું ન કરાવવું ન કર્તાને ભલો જાણું. એ બધું પૂર્વ માફક જાણવું. | સૂ ૧૧ ॥ से भिक्खु वा भिक्खूणी वा संजय - विरय- पडिहय-पच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से अगणि वा इंगालं वा मुम्मुरं वा अच्चि व जालं वा अलायं, वा सुद्धागणि वा उक्कं वा न उंजेज्जा न घट्टेजा न उज्जालेज्जा न निव्वावेज्जा अन्नं न उंजावेज्जा न घट्टावेज्जा न उज्जालावेज्जा न निव्वावेज्जा अन्नं उजंतं वा घट्टंतं वा उज्जातं वा निव्वावतं वा न समणुजाणेज्जा । जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न करावेमि करेंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं • વોસિરામિ ।। (સૂ॰ ૧૨) ‘સેમિવ્રૂ’ વિગેરે પૂર્વ માફક છે. એટલે પ્રથમના બે આલાવામાં પૃથ્વીકાય તથા અકાયનું રક્ષણ બતાવ્યું. હવે અગ્નિકાયનું રક્ષણ બતાવવા તેના ભેદો કહે છે. તે આ પ્રમાણે. ૧ અગ્નિ તે લોઢાને ગરમ કરતાં લાલચોળ દેખાય તે, અંગાર તે બળતા (જ્વાળા) વિનાનો અગ્નિ છે. વિરલ અગ્નિકણ તે મુર્મુર (તણખા) કહેવાય છે. તથા બળતાં તે જ્વાળા કહેવાય છે. પણ જો અગ્નિથી જુદી ન પડી હોય તો તે જ્વાળા છે. અને છૂટી પડી ગઈ હોય તો, રાળના ભડકા જેવી અર્ચિ કહેવાય. અલાત, તે ઉત્સુક [90]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy