SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ अध्ययन ४ જૂઠૂં બોલું, પણ ઉતાવળથી એકદમ વિના વિચારે સાચું બોલે કે મેં જોયાં છે તો એ આ ભાવથી જૂઠું છે. પણ દ્રવ્યથી નહિ. ત્રીજો જૂઠો પડું તે સમજીને જ જૂઠું બોલે તે દ્રવ્યથી પણ, અને ભાવથી પણ જૂઠું છે. ચોથો ભાંગો શૂન્ય છે. अहावरे तच्चे भंते ! महव्वए अदिन्नादाणाओ वेरमणं, सव्वं भंते ! अदिन्नादाणं पच्चक्खामि, से गामे वा नगरे वा रन्ने वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं अदिन्नं गेहेज्जा नेवऽन्नेहिं अदिन्नं गेण्हावेज्जा अदिन्नं गेण्हंते वि अन्ने न समणुजाणेज्जा । जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करेंतंपि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं वोसिरामि । तच्चे भंते । महव्वए उवट्ठिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ।। ३ ।। सू० ५ ) બીજું મહાવ્રત કહ્યું, હવે ત્રીજું કહે છે. અહાવરે ઇત્યાદિ હવે ગુરુને શિષ્ય કહે છે. હે ભદન્ત ! આ ત્રીજા મહાવ્રતમાં અદત્ત આદાન છે. (પૂછ્યા વિના લેવું તે ચોરી છે) તેનાથી હું સર્વથા પાછો ફરું છું. એટલે ચોરીને હું ત્યાગુ છું એ બધું પહેલા માફક લેવું. જેમ કે ગામમાં, નગરમાં, અરણ્ય વિગેરેમાં, ચોરી ન કરૂં. વિગેરે જાણવું. આ વચનથી ક્ષેત્રનો પરિગ્રહ થયો. તેમાં ગામ કોને કહેવું ? ઉત્તર = બુદ્ધિ વિગેરે ગુણોને ગ્રસિત (ઓછી) કરે તે ગ્રામ (ગામ) છે. અને જ્યાં રાજાવિગેરેનો કર નહોય, તે નકર (નગ૨) જાણવું. તથા અરણ્ય એટલે વિના વસતિનું વન તે તથા અલ્પ, ઘણું તે નાનું મોટું, ચિત્ત અથવા અચિત્ત ન લઉં. આ વચનથી દ્રવ્ય નિક્ષેપો લીધો જાણવો તથા અલ્પ તે ઓછા મૂલ્યવાળું તે હીરો વિગેરે છે, અણું તે પ્રમાણથી હીરો વિગેરે છે અને સ્થૂલથી એરંડાનું લાકડું વિગેરે છે. આ સચિત્ત હોય અથવા અચિત્ત હોય એટલે ચેતનવાળું અથવા અચેતન હોય તે હું પોતે બીજાનું ન આપેલું ન લઉં, તેમ બીજા પાસે ન લેવડાવું તથા કોઈ લેતા હોય, તો તેમને સારા ન જાણું આ આખી જીંદગી સુધીનું વ્રત છે, એનો ભાવાર્થ પૂર્વ માફક જાણવો વિશેષ આ છે : - આ અદત્તાદાન (ચોરી) ચાર પ્રકારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી છે. દ્રવ્યથી અલ્પ, બહુ નાનું મોટું, મોટું વિગેરે ક્ષેત્રથી ગામ વિગેરેમાં તથા કાળથી રાત્રિ વિગેરેમાં અને ભાવથી રાગ દ્વેષથી હું ચોરી ન કરૂં; હવે દ્રવ્યાદિની બીજી ચોભંગી છે. જેમ કે કોઈ દ્રવ્યથી લે, પણ ભાવથી નહિ, કોઈ ભાવથી પણ દ્રવ્યથી નહિ; કોઈ દ્રવ્યથી તથા ભાવથી, તથા કોઈ ન દ્રવ્યથી તથા ન ભાવથી, તેમાં અ૨ત તથા અદ્વેષી સાધુને કોઈ જગ્યાએ ખાસકારણે રસ્તામાં પડેલા ભૃણને માલિકને પૂછ્યા વિના લે તો દ્રવ્યથી ખરું પણ ભાવથી નહિ અને ચોરી કરવા ગયેલાને ઉદ્યમ કરવા છતાં ન મળે તો દ્રવ્યથી નહિં પણ ભાવથી ચોરી લાગુ પડે, કોઈ ચોરીની બુદ્ધિથી ચોરી કરે તે દ્રવ્યથી તથા ભાવથી. ચોથો ભાંગો શૂન્ય છે. (આ પ્રમાણે સાધુ સમજીને ચોરી ન કરે હું પણ તે પ્રમાણે ચોરી ત્યાગું છું.) (૧) આ.વ.નિ. ગા.૭૨૧ [84]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy