SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ अहावरे दोच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं, सव्वं भंते! मुसावायं पच्चक्खामि, से कोहा वा लोहा वा, भया वा हासा वा, नेव सयं मुसं वएज्जा नेवऽन्नेहिं मुसं वायवेज्जा मुसं वयंतेऽवि अन्नेन समणुजाज्जा । जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेम करेंतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं वोसिरामि । दोच्चे भंते ! महव्व उवट्ठिओमि सव्वाओ मुसावायाओ वेरमणं २ ।। सू० ४) હવે બીજું વ્રત કહે છે. ‘અહાવરે’ ઇત્યાદિ. હે ભદન્ત ! હવે આ બીજા મહાવ્રતમાં જૂઠું બોલવાથી પાછા હઠવાનું છે. તે સર્વ મૃષાવાદને ત્યાગું છું. તે આ પ્રમાણે, ક્રોધથી, લોભથી, ભયથી અથવા હાસ્યથી, ક્રોધ લોભ લેવાથી તેની વચમાંના માન-માયા પણ લેવા. આ પ્રમાણે ભય અને હાસ્ય લેવાથી તેની સાથેના પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન (ખોટું તહોમત) વિગેરેથી પણ જૂઠું ન બોલું. એટલે હું પોતે જૂઠૂં ન બોલું, તેમ બીજા પાસે પણ જૂઠું ન બોલાવું, તેમ બીજા જૂઠું બોલનારાઓને ટેકો ન આપું, તે પણ આખી જીંદગી સુધી આ વ્રત પાળીશ. તે બધો પૂર્વ પ્રમાણે અર્થ લેવો. વિશેષ આ છે. તે મૃષાવાદ ચાર પ્રકારનો છે. (૧) .ખરી વાતનો નિષેધ, (૨) ખોટી વાતને સાચી ઠેરવવી અથવા (૩) બદલાવી નાંખવો (૪) નિંદારૂપે કહેવો તેમાં પહેલો ભંગ ખરી વાતનો નિષેધ આ પ્રમાણે છે. જેમ કે કોઈ બોલે કે આત્મા છે જ નહિ તથા પુણ્ય પાપ છે જ નહિ, તથા બીજો ભંગ ખોટી વાતને સાચી કહેવી. જેમ કે આત્મા સર્વગત (સર્વવ્યાપી) નથી છતાં સર્વ વ્યાપી માને અથવા શ્યામાક તંદુલ જેવડો માને વિગેરે છે તથા અર્થાન્તરમાં ગાયને બદલે ઘોડો કહે તથા ગહ એટલે કોઈ કાણો હોય તેને કાણો કહેવો તે વિગેરે છે. વળી આ ક્રોધાદિ ભાવથી ચાર પ્રકારે ઓળખાવ્યો છે. તે આ પ્રમાણે દરેકમાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી છે દ્રવ્યથી સર્વ દ્રવ્યોમાં જેવું હોય તેથી ઉલટું બોલવું, ક્ષેત્રથી લોક અલોકમાં જે કંઈ હોય તેનાથી વિરુદ્ધ બોલે તથા કાળથી રાત્રિ વિગેરેમાં જૂઠું બોલવું, ભાવથી ક્રોધ,વિગેરેથી જૂઠું બોલવું અથવા દ્રવ્ય વિગેરેથી આ ચોભંગી છે. अध्ययन ४ दव्वओ णामेगे मुसावाए णो भावओ भावओ णामेगे णो दव्वओ एगे दव्वओऽवि भावओऽवि एगे णो दव्वओ णो भावओ । तत्थ कोइ कहिंचि हिंसुज्जओ भणइ-इओ तए पसुमिणा (गा) इणो दिट्ठति ? सो दयाए दिट्ठावि भणड़-ण दिट्ठत्ति, एस दव्वओ मुसावाओ नो भावओ, अवरो मुसं भणीहामित्तिपरिणओ सहसा सच्चं भणइ एस भावओ नो दव्वओ, अवरो मुसं भणीहामित्तिपरिणओ मुसं चेव भणइ, एस दव्वओऽवि भावओऽवि, चरमभंगो पुण सुण्णो २ ।। દ્રવ્યથી કોઈ જૂહૂં બોલે પણ ભાવથી નહિ, બીજો માણસ ભાવથી જૂહૂં બોલે પણ દ્રવ્યથી નહિ, ત્રીજો દ્રવ્યથી પણ જૂઠૂં બોલે, ભાવથી પણ જૂઠૂં બોલે, ચોથો દ્રવ્યથી પણ જૂઠું ન બોલે, ભાવથી પણ ન બોલે, તે પહેલાં ભાગમાં કોઈ પણ માણસ કોઈ જગ્યાએ હિંસામાં તત્પર થઈ રહેલા હોય તે બીજાને પૂછે કે તેં મૃગ પશુ વિગેર જોયાં ? બીજો માણસ દયાને લીધે પશુઓ જોયાં હોય, છતાં જૂઠું બોલે કે દેખ્યાં નથી તે પહેલો ભાંગો છે. જેમાં દ્રવ્યથી જૂઠૂં છે, પણ ભાવથી નહિ, બીજો હું (૧) A વિશેષ વર્ણન માટે મ.આ.નિ. ગા. ૮થી વિશેષા ભા. ૩૬૯ થી. B ભાષાના વર્જનીય સ્થાન જુઓ ઉત્તરા. અ. ૨૪/૯/૧૦ C દશવૈ. અ. ૭મું [83]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy