________________
श्री दशवकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ४
तत्थ धम्मत्थिकाओ गइलक्वणो, अधम्मत्थिकाओ ठिइलक्खणो, आगासत्थिंकाओ अवगाहलक्खणो,तथा चैतत्संवाद्यार्षम् - "दुविहा हुँति अजीवा पोग्गलनोपोग्गला य छ तिविहा परमाणुमादि पोग्गल णोपोग्गल धम्ममादीया ।। १ ।। सुहुमसुहुमा य सुहुमा तह चेव य सुहुमबायरा णेया । बायरसुहमा बायर तह बायरबायरा चेव ।। २ ।। परमाणु दुप्पएसादिगा उ तह गंधपोग्गला होन्ति । वाऊ आउसरीरा तेऊमादीण चरिमा उ ।। ३ ।। धम्माधम्माऽऽगासा लोए णोपोग्गला तिहा होति । जीवाईण गइट्ठिइअवगाहणिमित्तगा णेया ।। ४
"આ નિચ્ચે છઠ્ઠો જીવનિકાય ત્રસકાય કહેવાય છે. આ પ્રમાણે જીવાભિગમ બતાવ્યો. હવે અજીવાભિગમ બતાવે છે. અજીવ બે પ્રકારના છે. પુદ્ગલ અને અપુદ્ગલ, પુદ્ગલ છ પ્રકારના છે. (૧) સૂક્ષ્મ સૂક્ષ્મ, (૨) સૂક્ષ્મ (૩) સૂક્ષ્મબાદર (૪) બાદર સૂક્ષ્મ (૫) બાદર (૬) બાદર બાદર છે. સૂક્ષ્મ સૂક્ષ્મમાં પરમાણું પુદ્ગલ લેવા. અને સૂક્ષ્મમાં બે પ્રદેશથી લઈને યાવતું સૂક્ષ્મ પરિણામે પરિણમેલા, અનંત પ્રદેશનો સ્કન્ધ છે, તે જાણવો. સૂક્ષ્મ બાદરમાં ગંધના પગલા લેવા. અને બાદર સૂક્ષ્મમાં વાયુકાયનાં શરીર લેવાં. બાદરમાં ઓસ વિગેરે પાણીનાં શરીર લેવાં અને બાદર બાદરમાં અગ્નિ, વનસ્પતિ, પૃથ્વી તથા ત્રસનાં શરીર લેવાં. અથવા ચાર પ્રકારના પુદ્ગલો છે. (૧) સ્કન્ધ (૨) સ્કન્ધદેશ (૩) દેશ, સ્કન્ધના પ્રદેશ (૪) પરમાણુ પુદ્ગલ આ પુદ્ગલ અસ્તિકાય સમજવા માટે કહ્યો. હવે નો પુદ્ગલાસ્તિકાય ત્રણ પ્રકારના છે તે બતાવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તથા આકાશાસ્તિકાય, તેમાં ધર્માસ્તિકાય જીવાદિને ગતિ આપવાના લક્ષણવાળો કહ્યો, તથા અધર્માસ્તિકાય, ગતિ અટકાવવા (સ્થિરતા માટે) કહ્યો. તથા આકાશાસ્તિકાય, અવગાહ લક્ષણવાળો છે. આ બધાના સંગ્રહને માટે ઉપર ચાર ગાથાઓ બતાવી છે.
इच्चेसिं छहं जीवनिकायाणं नेव सयं दंडं समारंभेज्जा नेवन्नेहिं दंडं समारंभावेज्जा दंड समारंभंतेवि अन्ने न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं वाय़ाए काएणं न करेमि न कारवेमि करेंतं पि अन्नं न समणुजाणामि तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं વોસિરામિ | (સૂત્ર ૨)
જીવ અભિગમ (સ્વરૂ૫) બતાવ્યો. હવે ચારિત્રધર્મ બતાવે છે. તેમાં કહેલા સંબંધવાળું એ સૂત્ર છે. વિગેરે, બધા પ્રાણીઓ પૂર્વે કહ્યા મુજબ પરમ ધર્માણ છે. એટલે તેઓ સુખ વાંછે છે. માટે સર્વે જીવોને એટલે જ જીવનિકાયને પોતે દુઃખ ન દેવું. એટલે સંઘટ્ટન, પરિતાપ વિગેરે થાય, તેવું ન કરે. બીજા ચાકર વિગેરે પાસે દંડ ન અપાવે. અને તેવો દંડ આપનારાને ઉત્તેજન ન આપે. (દંડ એટલે દુઃખઃ આ પ્રમાણે જીવોને દુઃખ ન આપવું, એવું ભગવાનનું વચન છે. એવું જાણીને દરેક સાધુ પ્રતિજ્ઞા કરે કે, હું જીંદગી સુધી છોડું છું. એટલે કહેલા વચનને બરોબર સ્વીકારીને, દરેક જીવને દુઃખ ન થાય. માટે મન, વચન, કાયાથી, ન કરવું ન કરાવવું, ન કર્તાને ભલો, જાણું. એ પ્રમાણે નવ પ્રકારનો દંડ છોડું છું આમ સાધુ બોલતો ગુરુ આગળ કહે છે કે, હે ! ભદન્ત હું તે સઘળા દંડથી પાછો હઠું છું. આ ત્રિકાળ વિષયનો દંડ છે. તેના સંબંધી ભૂત અવયવને આશ્રયીને પાછો હઠું છું. અર્થાત્
(૧) ઉત્તરા. ક. ૩૬ ગા. ૧૦-૧૧-૩૭ જોવી.
[19]