SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ અર્થ દરેક જગ્યાએ સમાન છે, નામ તથા અધ્યયન પૂર્વ માફક જાણવાં, “ઇહ” શબ્દથી જાણવું કે, “મેં સાંભળ્યું,” એથી આત્માના વિચાર જણાવવા વડે એકાંત ક્ષણ ભંગ દૂર ક૨વા કહે છે. તે ક્ષણ ભંગમાં આ પ્રમાણે અર્થની ઉપપત્તિ ન થાય; કહ્યું છે કે - अध्ययन ४ एतखणियपक्खे, गहणं चिअ सव्वहा ण अत्थाणं । अणुसरणसासणाइं कुओ उ तेलोगसिद्धाई ? ।। १ ।। એકાંત ક્ષણિક પક્ષમાં સર્વથા અર્થોનું ગ્રહણજ નથી; વળી ત્રણ લોકમાં સિદ્ધ એવાં અનુસ્મરણ (યાદગિર) તથા શાસન ક્યાંથી હોય ? ॥ ૧ ॥ હે ! આયુષ્યમાન્ ! એટલે ઉત્તમ માન ગુણથી બનેલ આમંત્રણના વચન વડે ગુણવાળા શિષ્યને આગમનું રહસ્ય આપવું, પણ ગુણ રહિતને ન આપવું; તે માટે કહે છે કે, તેની અનુકંપાથી પ્રવૃત્તિ છે. કહ્યું છે કે, आमे घडे निहत्तं, जहा जलं तं घडं विणासेइ । इअ सिद्धंतरहस्सं, अप्पाहारं विणासे ।। १ ।। જેમ કાચા ઘડામાં પાણી નાંખતાં, તે પાણી જ ઘડાનો વિનાશ કરે છે તેવી રીતે આ સિદ્ધાંતનું રહસ્ય અલ્પ આંધાર (તુચ્છ બુદ્ધિ) વાળાનો નાશ કરે છે. (ગાયના ઉપર હાથીનો બોજો મૂકે તો ઉપાડવાને બદલે વિનાશ પામે. તેવી રીતે સમજવું.) વળી આયુ તે પ્રધાન ગુણ છે. આયુ લાંબુ હોય, તો પોતે પ્રથમ ભણી પછી શિષ્યોને ભણાવી પરંપરા ચાલુ રાખે; તે ભગવાને કહ્યું. એ વચનથી એમ સૂચવ્યું કે મેં પોતે મતિ કલ્પનાથી કહ્યું, તેમ નહીં. પણ શાસ્ત્ર પોતાના ગુરુ પાસે ભણવાનું બતાવ્યું, તથા સૌથી પ્રથમ ઉપદેશક તીર્થંકર છે. તે બતાવ્યું અને અસર્વજ્ઞ તથા આત્માના જ્ઞાનથી વિમુખ પુરુષે જેવો આત્મા હોય તેનાથી ઉલટો સમ્યગ્ રીતે વિચાર્યા વિના પરલોક સંબંધી ઉપદેશ ન આપવો, તે જ કહે છે, કે તેથી વિપર્યયનો સંભવ છે. કહ્યું છે કે. किं इत्तो पावयरं ? संमं अणहिगयधम्मसब्भावो । अण्णं कुदेसणाए कट्ठयरागंमि पाडेड़ ।। १ ।। જે બરોબર ધર્મ સદ્દભાવને સમજ્યા વિના અન્યને ખોટા ઉપદેશવડે અતિશય કષ્ટવાળા પાપમાં પાડે છે, તેનાથી બીજું મોટુ પાપ કયું છે ? અથવા સૂત્રના એક ભાગને બીજી રીતે સમજાવે છે. “આઽસંતેŕ” તિ આ શિષ્યને બદલે ભગવાનનું વિશેષણ લઈએ, તો આયુષ્યવાળા ભગવાને અર્થાત્ ચીરંજીવ એ મંગળકારક વચન છે. અથવા જીવતા ભગવાને સાક્ષાત્ ગણધરોને કહ્યું. આ વચન વડે ગણધરો દ્વારા પરંપરાગમ થયું. અને જીવન વિમુક્ત અનાદિ શુદ્ધ બોલનારાનો અમોહ કહ્યો. કારણકે દેહ વિગેરે વિના તેવા બોલવાના પ્રયત્નનો અભાવ થાય. (આથી એમ જણાવ્યું દેહધારક આત્મા જિનેશ્વરદેવે વિશુદ્ધ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાકાર અવસ્થામાં જ ઉપદેશ કર્યો) કહ્યું છે કે, वयणं न कायजोगाभावे ण य सो अणादिसुद्धरस । गहणंमि य णो हेऊ, सत्थं अत्तागमो कह णु ।। १ ।। કાયયોગના અભાવમાં વચન ન હોય, તથા અનાદિ શુદ્ધને કાયયોગ ક્યાંથી હોય ? અને ગ્રહણમાં હેતુ નથી. અને શાસ્ત્ર તે આપ્તનું આગમ છે. તેમાં કેવી રીતે હેતુ હોય ? ।। અથવા માગધી આવસંતેણં ॥ ત્તિ એટલે ગુરુના મૂલમાં વસતા એવા મેં આ સાંભળ્યું. એથી એમ સૂચવ્યું કે શિષ્ય ગુરુના ચરણ [70]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy