________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
એ ચોર પકડનારને શોધવા માંડ્યો ચાણક્ય બાવો બની હાથમાં ત્રિખંડ રાખી તે નગરમાં ફરતાં તે નલદામ કોળી પાસે બેઠો જે કાપડ વણતો હતો તે વખતે તેના છોકરાને મકોડો કરડ્યો. વેર લેવાને કોળીએ મકોડાનું દર ખોદી મંકોડા બાળી મૂકયા. ચાણક્યે પૂછ્યું, 'આમ કેમ બાળી મૂકે છે ?' કોળીએ કહ્યું, 'જો મૂળ ન ખોદીએ તો પાછા કોઈ વખત કરડે.' ચાણક્યે વિચાર્યું 'આ ઠીક છે. બધાને જડમૂળથી ઉખેડી નાશ કરશે તેથી તેને ચોર પકડનારો બનાવ્યો. તેણે ચોરનો વેશ લઈ પોતે ચોર ભેગો મળી ગયો. અને કહ્યું કે આપણે બધા મળી ખુબ માલ લુટીએ. વિશ્વાસ લાવી ચોરે બીજા બધા ચોરોને બોલાવ્યા. એ પ્રમાણે બધા ચોરોને મેળવી કોળીએ બધા ચોરોને મારી નાંખ્યા. આ અધર્મ યુક્ત દૃષ્ટાંત કોઈને કહેવું નહિ. થોડા ગુન્હાવાળું અને બહુદોષના વિશેષ સ્થાન ને પ્રાપ્ત હોવાથી તે બીજાને પણ આલંબન રૂપથાય. જોકે આ લૌકિક છે પણ લોકોત્તર આશ્રયી ચરણકરણાનુયોગને આશ્રયીને પણ સમજી લેવું કારણ કે એકને ગ્રહણ કરતાં બીજાં સમજાય છે એ ન્યાયથી ત્યાં ચરણકરણાનુયોગથી–
वं अहम्मत्तं कायव्यं किंचि भाणियव्वं वा । थोवगुणं बहु दोसं विससओ ठाणपत्तेणं ॥ १ ॥ દ્રવ્યાનુયોગમાં પણ
वादम्मि तहारूवे विज्जाय बलेण पवयणट्टाए । कुज्जा सावज्जं पिहु जह मोरीणउलिमादीसु ॥ १ ॥
વિદ્યાના બલ વડે કોઈ સાથે વાદ થાય તો જેમ નવાં નવાં જાનવર બનાવી. શત્રુનાં બનાવેલાં જાનવરનો નાશ કરવો, કરાવવો તે અયોગ્ય છે (જેમ કે ત્રિરાશિ પંથ કાઢનારે પરિવ્રાજક સાથે વાદ કરી મોર, નોળીઓ વિગેરે બનાવી તે વડે જીવ હત્યા કરાવી) તેમ ન કરવું. કલ્પસૂત્રમાં સ્થવિરાવલિમાં આ કથા છે ત્યાંથી જોઈ લેવી જો કે તેમાં પરિવ્રાજક હાર્યો પણ જીતનાર સાધુનો ખોટો હઠવાદ વધ્યો અને જીવ હિંસા કરવાથી પોતાનું ચારિત્ર ખોઈ બેઠો. ઉદાહરણનો દોષ આ અધર્મ યુક્ત હોવાથીજ છે. આ અધર્મ દ્વાર કહ્યું અને હવે પ્રતિલોમ ઉદાહરણ દ્વારના અવયવ અર્થને વીવરીને કહે છે. u ૮૧૫
पडिलोमे जह अभओ, पज्जोयं हरइ अवहिओ संतो । गोविंद वायगोऽविय जह परपक्खं नियत्तेइ ॥८२॥
ટીકાનો અર્થ- પ્રતિલોમ ઉદાહરણ દોષ છે, તેમાં અભયકુમારનું દૃષ્ટાન્ત છે. તેણે પ્રદ્યોત રાજાને હરાવ્યો હતો. (ત્રિકાળ ગોચર સૂત્ર અર્થ બતાવે છે માટે ગાથામાં વર્તમાન નિર્દેશ છે.). ભાવાર્થ કથાથી જાણવો. જેમ આવશ્યકમાં શિક્ષા અધિકાર છે તેમાંથી જાણી લેવો. આ લૌકિક પ્રતિલોમ છે. હવે લોકોત્તર દ્રવ્યાનુયોગને આશ્રયી કહે છે.
૮૨મી ગાથાના છેવટના બે પદોમાં ગોવિંદ વાચકનો અધિકાર છે. એના વડે ચરણકરણાનુયોગને આશ્રયી પણ સૂચવેલું જાણવું. કારણ કે પહેલું છેલ્લું લઈએ તો વચલું આપો આપ આવી જાય તેમાં તે ચરણ
કરણમાં
णो किंचि य पडिलोमे कायव्वं भवभयेण मण्णेसिं । अविणीयसिक्खगाण उ जयणाइ जहोचिअं कुज्जा ॥१॥ જરાએ વિરૂદ્ધ ન કરવું જેઓ ભવ ભ્રમણનો ભય ધરાવતા હોય તેમને અતિ પીડા ન થાય અવિનીત શિષ્યોને જયણાપૂર્વક યથા ઉચિત કરવું. તેમ સમજાવવા યથોચિત દ્રવ્યાનુયોગમાં ગોપેન્દ્ર વાચકનો અધિકાર છે તેમાં પોતે પર પક્ષને નિવર્તે છે. તે પોતે પૂર્વે બૌદ્ધ હતો. બીજાનો (જૈનધર્મનો) નાશ કરવા ના આશયથી (વિશેષ જ્ઞન) વિશન (મેળવવા) માટે દીક્ષા લીધી. પાછળથી બોધ(સામયગ્દર્શન) થતાં ઉત્તમ જૈન સાધુ થયો અને મહાવાદી બન્યો
दव्यट्टियस्स पज्जवणयट्टियमेयं तु होइ पडिलोमं । सुहदुक्खाइअभावं इयरेणियरस्स चोइज्जा ॥ १ ॥ अण्णे उ दुट्टवादिम्मि किंचि बूया उ किल पडिकूलं । दोरासिपइण्णाए तिण्णि जहा पुच्छ पडिसेहो ॥ २ ॥
૫૮