SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ ૧. દ્રવ્યાર્થિક નયનું વચન પર્યાય નયના વિષયમાં કહેવું એજ પ્રતિકૂળ, અને સુખ દુઃખાદિનો અભાવ ઉલટો ઉલટો કહેવો તે પ્રતિકૂળ કહેવાય. ૨. એમ કહે છે, દુષ્ટ વાદી કંઈ બોલે તે પ્રતિકૂળ હોય અને આપણા લાભને નુકશાન કરતું હોય તો તેનાથી ઉલટું સિદ્ધ કરી તેનું ખંડન કરવું. જેમકે વાદી જીવ અજીવ બે રાશિ કહે તો જીવ અજીવ નો જીવની ત્રણ રાશિ સ્થાપના કરવી. (આ જીત થાય. પણ તે જૈન ધર્મથી વિરૂદ્ધ હોવાથી જીત પણ હાર કરતાં બુરી છે.) આમાં ઉદાહરણનો દોષ આ છે, પહેલા પક્ષમાં સાધ્ય અર્થની સિદ્ધિ થતી નથી અને બીજા પક્ષમાં શાસ્ત્ર વિરૂદ્ધ દોષ લાગે. હવે આત્મ ઉપન્યાસ દ્વારનું વર્ણન કરે છે. ॥ ૮૨ u अत्त उवनासंमि य तलागभेयंमि पिंगलो थवई । ટીકાનો અર્થ- આત્માનો જ ઉપન્યાસ બતાવવો તે આત્મ ઉપન્યાસ. એમાં દૃષ્ટાંત. તળાવ ભેદમાં પિંગલ કારીગરનું ઉદાહરણ છે. તેના ભાવાર્થની કથા કહે છે. એક રાજાએ આખા રાજનું સારભૂત તળાવ બનાવ્યું. પણ તે તળાવ દર વરસે ભરાઈને ખાલી થઈ જાય. તેથી રાજાએ વિચાર્યું કે તેનો ઉપાય શું કરવો ? જેથી પાણી કાયમ રહે, ત્યાં એક કપિલ નામનો કારીગર કહે છે, 'હે મહારાજ, પિંગલ એટલે જેનાં દાઢી મૂછ કપિલ રંગના હોય તેમ માથું પણ તેવાજ રંગનું હોય તેને અહીં જીવતાંજ મારીને દાટો , તળાવ ન ભેદાય. ત્યારે રાજપુત્ર જે પ્રધાન હતો તેણે કહ્યું, 'હે રાજન, એવો માણસ શોધ્યો જડતો નથી. માટે આ તેવો દેખાય છે તેનેજ ઉપયોગમાં લો. રાજાએ પણ તેમજ કર્યું. આનો સાર એ છે કે એવું ન બોલવું જેથી પોતાનોજ નાશ થાય. જેવું આ લૌકિક છે એવુ એર્ક જાતિવાળું હોવાથી લોકોત્તર પણ જાણી લેવું. તેમાં ચરણ કરણાનુયોગમાં પણ એવું ન બોલવું. જેમકે 'लोइयधम्माओविहु जे पभट्टाणराहमा ते उ कह दव्वसोयरहिया धम्मस्साराहया होंति ? ॥ १ ॥ જે નરાધમો લૌકિક ધર્મથી પણ અતિશય ભ્રષ્ટ થયેલ છે અને જેઓ દ્રવ્ય શોચ પણ કરતા નથી તેમને ધર્મ આરાધના (પવિત્ર શોચ) કયાંથી થાય ? વિગેરે દ્રવ્યાનુંયોગમાં એકેન્દ્રિય જીવો વ્યક્ત ઉચ્છ્વાસ, નિશ્વાસ વિગેરે વાળા હોવાથી જીવ છે. અને જે જીવ લિંગના સદ્ભાવવાળા નથી તે જીવ નથી. જેમકે ઘટ, તેથી એમાં અસદ્ભાવ નથી. તેથી તે જીવોજ છે. એમાં આત્માનું પણ તદ્રુપની આપત્તિ વડે આત્માનું ઉપન્યાસ પણું • ભાવવું. આમાં ઉદાહરણનો દોષ આત્માના ઉપઘાતને ઉત્પન્ન કરવા વડે પ્રકટ અર્થવાળો હોવાથી કહેતા નથી. (આમાં જે ઘટનું દૃષ્ટાંત આપ્યું છે તે ખોટું છે. અને બોલનારને બોલતાં ન આવડે તો પોતાને હાથે પોતાનું બોલવું ખંડિત કરાવે તેનું આ પ્રત્યક્ષ દૃષ્ટાન્ત છે. કારણ કે પોતે એકેન્દ્રિય જેવો ગણાય એવુ ટીકાની ટીપપ્પણી માં કહ્યું છે.) હવે દુરૂપનીતદ્વાર કહેવાની ઇચ્છાથી કહે છે ઞિિમસમિદળ, ભિખ્ખુન ટુરુવળીણ વાદરગં ॥ ૮રૂ ૫ ટીકાનો અર્થ- અહીં અનિમિષ માછલાં તેના ગ્રહણમાં ભિક્ષુનું ઉદાહરણ છે. આ લૌકિક છે તેથી લોકોત્તર પણ જાણી લેવું. તે સંબંધી આ કથા છે, કોઈ એક બૌદ્ઘ હાથમાં જાળ લઈ માછલાં મારવા ચાલ્યો રસ્તામાં કોઈ ધૂર્તે પૂછ્યું, હે આચાર્ય, આ તમારી ગોદડી ઘણી ફાટેલી છે ? ઉત્તર એ તો જાળ છે. વિગેરે कथाssचार्याघना ते ननु शफरवधे जालमश्रासि मत्स्यान् ? ते मे मद्योपदंशान् पिबसि ननु ? युतो वेश्यया यासि वेश्याम् ? कृत्वाऽरीणां गले ही क्व नु तव रिपवो ? येषु सन्धि छिनमि, चौरस्त्वं ? द्यूत हेतोः कितव इति कथं ? યેન વાસી સુતોઽસ્મિ 1 ? 1 (૧) રોહ ગુપ્તનું ઉદાહરણ જોવું. પ
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy