SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ 'चिंतेइ दटुमिच्छड़ दीहं णीससइ तह जरो दाहो । भत्तारोयग "मुच्छा ‘उम्मत्तो ण 'याणई मरणं ॥ ११॥ पढमे सोयई वेगे दटु तं गच्छई बिइयवेगे । णीससइ तइयवेगे अरुहइ जरो चउत्थंमि ॥२॥डज्झइ पंचमवेगे छट्टे भत्तं न रोयए वेगे । सत्तमियंमि य मुच्छा अट्टमए होइ उम्मत्तो ॥३॥णवमे ण याणइ किंचि दसमे पाणेहिं मुच्चड़ मणूसो । एएसिमवायाणं सीसे रक्खंति आयरिया ॥ ४ ॥ परलोइया अवाया भग्गपइण्णा पडंति नरएसु । ण लहंति पुणो बोहिं हिंडंति य भवसमुंद्दमि ॥ ५ ॥ ૧. ચિંતા, ૨. જોવાની ઈચ્છા, ૩ દીર્ઘનિઃશ્વાસ, ૪. જ્વરપ્રદાહ, અજીર્ણ ૭ મૂચ્છ, ૮ ઉન્મત્ત, ૯ ભાન વિનાનો, ૧૦મૃત્ય, એટલે એનો અર્થ આ પ્રમાણે છે. સાધુને કોઈ સ્ત્રીને જોવાની ઈચ્છા થયેલ હોય અને તે ન મળે તો ઉપર કહેલી દશ અવસ્થા પ્રાપ્ત કરી મરણ પામે એટલા માટે અપાયોથી આચાર્ય રક્ષણ કરે. એજ ગાથાનો અર્થ થયો. અને પરલોકનો અપાય આ પ્રમાણે છે. પ્રતિજ્ઞા ભંગ કરવાથી નરકમાં પડે, અને ફરી સમકિત પામે નહિ. તથા ભવ સમુદ્રમાં ભમે, આવો અર્થ ધ્યાનમાં લઈને શિષ્ય કોઈપણ વખત દુરાચાર કરે તો આચાર્યે શું કરવું તે કહે છે. તે ૬૯ -वारेयब्बु उवाएण जइवा वाऊ लिओ वदेज्जाहि । सव्वेऽवि नत्थि भावा, किंपुण जीवो स वोत्तव्यो ॥७॥ શિષ્યને ઉપાયથી જેમ તે માને, તેવા કોઈ પણ સિદ્ધાન્તમાં કહેલા ઉપાય વડે, અટકાવવો જેથી તે સારો થાય તેમ કરવું, આ લૌકિક ચરણકરણાનુયોગને આશ્રયી કહ્યું. તેમ દ્રવ્યાનુયોગને આશ્રયી કહે છે. કોઈ નાસ્તિક બકવાસ કરે કે બધા ઘટપટાદિ પદાર્થ નથી તો જીવ પણ કયાંથી હોય? તો તેને આ પ્રમાણે સમજાવવો. ૭૦ जं भणसि नत्थि भावा, वयणमिणं अत्थि नत्थि ? जइ अस्थि । एव पइन्नाहाणी, असओ णु निसेहए को णु ॥१॥ ટીકાનો અર્થ- જો તું એમ કહીશ કે પદાર્થ નથી તો આ તારૂં વચન ભાવનું પ્રતિષેધક છે કે નહિ, એવા બે વિકલ્પ તને થશે. આથી શું સમજવું? કે જો તું છે એમ કહે તો તારે આ બોલવાનું ખંડન થયું અને તેજ પ્રતિબંધક વચન કહે છે તે સાચું અને તે સાચું (તો પદાર્થને જીવ પણ સાચા). બીજો વિકલ્પ. જો તારૂં નિષેધ વચન અસત્ય હોય તો અમારા ભાવ પદાર્થના વચનને નિષેધ કરનારજ કોણ છે ! તેથી પણ પદાર્થો સત્ય થયા. વળી તે કહ્યું, 'જીવ પણ નથી.' અહીં પણ પ્રતિ ઉત્પન્ન વિનાશને અનુસરીને કહે છે. આ ૭૧ છે णो य विवक्खापुवो सद्दोऽजीवुभवोत्ति न य सावि । जमजीवस्स उ सिद्धो, पडिसेहधणीओ तो जीवो ॥७२॥ ટીકાનો અર્થ 'ચ' શબ્દનો અર્થ 'જ' છે એટલે વિવક્ષાના કારણવાળો ધ્વનિ, અજીવનો ઉદભવ અર્થાત્ વિવક્ષા પૂર્વક જીવનો નિષેધક શબ્દ અજીવ છે. તેથી જીવની વિવક્ષાનો ઉલટો અર્થ એ છે કે જીવ ધર્મની અસિદ્ધિ ન થાઓ. એટલા માટે કહે છે કે જે કારણથી અજીવની વિવક્ષાન ઘટાદિમાં અદર્શનથી નથી, પણ મનના અપરિણત, અવિત તે દ્રવ્યના સમીપ પણાથી જીવનેજ છે એથી સિદ્ધ છે કે પ્રતિષેધ કરનાર જે ધ્વનિ તે 'જીવ નથી. આથી જ જીવ–આત્મા સ્વયંસિદ્ધ થાય છે. (આ ગાથાનો સાર એમ છે કે જીવ નથી એમ કહેનાર એ પદ સિદ્ધ કરતા અને ઘટપટમાં અસિદ્ધ કરતાં પોતાને સ્વયં સિદ્ધ કરતાં બધા પદાર્થો પોતેજ સિદ્ધ થાય છે. કારણકે 'નથી' એ જ્ઞાન અજીવમાં નથી પણ એ વિવક્ષા જીવનેજ છે. અહીકં ઘણું કહેવાનું છે પણ નથી કહેતા. સમાપ્ત થયું. પ્રત્યુત્પન્ન વિનાશ દ્વારને અનુસરતા આખ્યાનથી આ ઉદાહરણ છે આ મૂળ દ્વાર છે. અને હડ તેના દેશ, દ્વાર અને અવયવ અર્થને કહે છે. ૭ર છે आहरणं तद्देसे चउहा अणुसट्टि तह उवालंभो । पुच्छा निस्सावयणं होइ, सुभद्दाणुसट्टीए ॥७३॥ ટીકાનો અર્થ- ઉદાહરણ પૂર્વ માફક છે. તેનું લક્ષણ આ છે. તેનો દેશ એટલે તદ્દેશ, ઉદાહરણ દેશ આહરણ તદેશના ચાર પ્રકાર (૧) અનુશિષ્ટિ–પ્રતિવાદીના મંતવ્ય ઉચિત અંશનો સ્વીકાર અને અનુચિત અંશ નું નિરાકરણ (૨) ઉપલબ્ન બીજાના મતને તેની માન્યતાથી દૂષિત કરવું (૩) પૃચ્છા-પ્રશ્ન-પ્રતિપ્રશ્ન દ્વારા બીજાના મતનું ખંડન કરવું (આ સિદ્ધ કરવું) (૪) નિશ્રાવચન- એકના માધ્યમથી બીજાને શિક્ષા દેવી સ્થાપનાંગ ૪/૩/૫૦૧ ૫૩
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy