SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી ?” આવી દલીલ જો બુદ્ધિ કરે તો જાણવું કે બુદ્ધિ હજી સમ્યગ્ બની નથી. તીર્થંકરદેવોએ જે ભાવના કરી છે તે ભાવનાની અરુચિનું ઝેર બિમાર બુદ્ધિમાંથી દૂર કરવું પડશે. અને મન તથા બુદ્ધિ સંપૂર્ણ નિર્મળ થતાં, દર્શનવિશુદ્ધિ પ્રાપ્ત થતાં સ્પષ્ટ સમજાશે કે ત્રણ ભુવનમાં : આ ભાવના પરમ સત્ય છે. આ ભાવના પરમ શિવ છે. આ ભાવના પરમ સુંદર છે. નવકાર વડે ધર્મસત્તાનો પરિચય વિશ્વમાં તીર્થંકરદેવોનું શાસન છે એટલે વિશ્વમાં સર્વ હિતની સર્વોત્કૃષ્ટ ભાવનાનું શાસન છે. ધર્મમહાસત્તાનું શાસન છે. ધર્મમહાસત્તાનો સમગ્ર વિશ્વમાં જે ઉપકાર છે તેની પ્રતીતિ સમ્યગ્-જ્ઞાન વડે થાય છે. ધર્મમહાસત્તા ઉપર અનન્ય ભાવ સમ્યગ્દર્શન વડે પ્રગટે છે. ધર્મમહાસત્તા સાથેનું તાદાત્મ્ય સમ્યક્ ચારિત્ર વડે અનુભવાય છે. ધર્મમહાસત્તા સાથે સંબંધ જોડાયા વિના કોઈ પણ આધ્યાત્મિક સાધના સફળ નહિ થાય. સર્વના હિતની ભાવનાપૂર્વક ધર્મમહાસત્તા સાથે સંબંધ જોડાયા પછી કોઈ પણ સાધના સફળ થયા વિના રહેશે નહિ. સામાયિક ધર્મના બે મહત્ત્વના અંગો શ્રુતસામાયિક અને ચારિત્ર સમાયિક છે, નવકાર અને સામાયિક છે. નવકાર વડે ધર્મમહાસત્તાનો પરિચય થાય છે. સામાયિક વડે ધર્મમહાસત્તાનું પરિણમન થાય છે. નવકારમાં સર્વના હિતનો ભાવ ભરેલો છે. તે ભાવ સર્વ પાપનો નાશ કરે છે અને તેમાં સર્વના હિતનો ભાવ કરનારા શ્રીપંચપરમેષ્ઠી પ્રત્યે ભક્તિનો ભાવ ભરેલો છે, તે ભાવ સર્વ મંગળોમાં પહેલું મંગળ બને છે. સર્વ જીવોથી નિરપેક્ષપણે સ્વસુખનો ભાવ એ સર્વ પાપનું મૂળ છે. સર્વહિતનો ભાવ જ અનાદિકાળના તે પાપના મૂળને કાપી શકે, અને તે વડે સર્વ પાપનો નાશ થઈ શકે. ૮૨ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy