SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સમગ્ર વિશ્વમાં સર્વના કલ્યાણની ભાવનાનો પુંજ સદા સર્વદા સતત (Constant flow of supervibrations) વહી રહ્યો છે. આપણે આ ભાવનાની સન્મુખ બનીએ તો આપણું હિત જરૂર થાય. આપણે આ ભાવનાથી વિમુખ થઈએ તો આપણું અહિત પણ જરૂર થાય. આ ભાવનાના ફળરૂપે તીર્થની સ્થાપના છે. અનેક આત્માઓ ધર્મમાર્ગે જોડાય છે. ધર્મના પ્રભાવથી સૂર્ય ચંદ્ર નિયમિત ઉગે છે. પૃથ્વી આધાર વિના ટકી રહી છે. જગતમાં સર્વને હિતકારક જે કંઈ થઈ રહ્યું છે તે તીર્થકરોના હૈયામાં રહેલી વિશ્વકલ્યાણકર ભાવનાનો પ્રભાવ છે, એમ માની શકાય. ભાવનાનું વિદ્યુલેત્ર આ ભાવનાની અસરો સમગ્ર વિશ્વમાં વ્યાપક છે. તીર્થંકરદેવોના આત્માઓમાં પ્રગટતી હોવાથી આ ભાવનાનું બળ અચિંત્ય છે અને ક્ષેત્ર (Electro-magnetic Thought Field) સમસ્ત બ્રહ્માંડ છે. સામાન્ય શુભ વિચારો અન્યને અસર કરે છે તો પછી આ અસામાન્ય સર્વોત્કૃષ્ટ ભાવના માર્ગે શું કહેવું !. ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ આત્માઓનું હૈયું આ ભાવનાનું ઉત્પત્તિ સ્થાન છે. સર્વોચ્ચ પ્રકારના વિશુદ્ધ આત્મ દ્રવ્યમાંથી આ ભાવનાનો પુંજ પ્રગટે છે. જગતના સર્વ જીવો આ ભાવનાના પાત્ર બને છે. એક પણ જીવ તેમાં બાકી રહેતો નથી અને તેથી સારું વિશ્વ આ ભાવનાના કાર્ય માટેનું ક્ષેત્ર છે. - વિશ્વમાં દ્રવ્ય અરિહંતો સદા સર્વદા હોય છે તેથી આ ભાવના સદાય હતી, છે અને રહેશે. આ ભાવનાનો મહાપુંજ અખંડ વહી રહ્યો છે. એવો કોઈ કાળ નહિ હોય જ્યારે આ ભાવનાનો અભાવ હોય. | સર્વ શુભ ભાવનાઓમાં આ ભાવના ઉત્કૃષ્ટ છે. સકલ વિશ્વમાં આથી અધિક સુંદર ભાવના એકેય નથી. હું મોક્ષ પ્રાપ્ત કરું” અને “વિશ્વના સર્વ જીવો મોક્ષ પ્રાપ્ત કરો” આ બંને ભાવનાઓમાં કઈ ભાવના આપણને સ્પર્શે છે ? જો સર્વ કલ્યાણનો ભાવ આપણને ન સ્પર્શે તો જાણવું કે “સર્વના હિતના ભાવ સાથે જ આપણું હિત સંકળાયેલું છે” એ સત્ય હજી આપણને સ્પર્યું નથી. “સર્વ જીવો કંઈ મોક્ષ પામવાના નથી, માટે આવી અશુદ્ધ ભાવના શા માટે ધર્મ-ચિંતન ૮૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy