SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ - કર્મની સત્તા એક મહાસત્તા છે, એમ આપણે સૌ કોઈ માનીએ જ છીએ. પરંતુ કર્મસત્તાથી પ્રબલ એવી ધર્મમહાસત્તાને અત્યંત ભાવપૂર્વક સ્વીકારવી પડશે. તો જ આપણી ધર્મઆરાધનામાં વેગ આવશે. વિશ્વના કોઈપણ શાસન કરતાં આ શાસન વધુ વ્યવસ્થિત છે, વધુ કલ્યાણકર છે. કર્મની સત્તા નીચે રહેલા જીવોને તેમાંથી છોડાવનાર છે. દુઃખમુક્ત કરાવનાર છે. ધર્મમહાસત્તાનું શરણ લેનારને કર્મસત્તાનો ભય રહેતો નથી. ધર્મમહાસત્તાને શરણે ગયેલું કોઈ કયારેય નિરાશ થયું નથી. સમર્પિત થયેલાનું રક્ષણ, ધારણ અને પોષણ કરવાનું કાર્ય આ ધર્મમહાસત્તાએ સર્વદા કર્યું છે અને કરે છે પરમેશ્વરનું નામ લઈને એના શરણે જનારને વિશ્વના કોઈ પણ ખૂણામાં સહાયતા મળી જ છે. . ધર્મમહાસત્તાને સમર્પિત થનારનું કલ્યાણ થાય જ છે. સર્વને સુખી કરવા માટે ધર્મમહાસત્તા સદા તત્પર છે. તે માટે આપણે ધર્મમહાસત્તાને શરણે જવું જોઈએ. ધર્મનું શરણ અંગીકાર કરવું જોઈએ. શ્રી તીર્થંકરદેવ પ્રત્યે અતીવ બહુમાન કરવું જોઈએ. તેમની આજ્ઞાનું પાલન જીવનમાં થવું જોઈએ. | સર્વ જીવોના કલ્યાણની કામના જેટલી જેટલી આપણા હૃદયને સ્પર્શે છે, તેટલા તેટલા ધર્મમહાસત્તાના શરણમાં આપણે આવતા જઈએ છીએ. અને તે અનુસાર આપણું કલ્યાણ વિશેષ વિશેષ થતું રહે છે. સ્વાર્થ ઉપસર્જનતા અને પરાર્થ વ્યસનિતા - ત્રણ લોકમાં ધર્મમહાસત્તાને આધિપત્ય શાથી પ્રાપ્ત થયું વિશ્વના આ મહાશાસનમાં આવી અચિંત્ય શક્તિ કઈ રીતે પ્રગટ થઈ ? તીર્થંકરદેવનું શાસન આવું લોકોત્તર પ્રભાવવાળું શા માટે છે ? ( શ્રી તીર્થંકરદેવોના આત્માઓમાં સમગ્ર વિશ્વના વ્યક્તિગત કે સમષ્ટિગત ઉભય પ્રકારના કલ્યાણની એક સરખી ભાવના ભવો સુધી ટકે છે. આ ભાવના જ એવી છે કે જેનાથી કેવળ પુણ્યનું જ સર્જન થાય. કારણ કે તે ભાવનામાં સ્વાર્થનો એક અંશ પણ હોતો નથી અને પરાર્થમાં કંઈ જ બાકી રહેતું નથી. પ.પૂ.શ્રીહરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે શ્રીતીર્થકરોના આત્માઓમાં અનાદિકાલીન વિશિષ્ટ યોગ્યતા રહેલી હોય છે અને તે યોગ્યતા તેમના આત્મામાં એવા પ્રકારની પારકાના હિતની ચિંતા–પરાર્થરસિકતા ઉત્પન્ન કરે છે કે વરબોધિના લાભ વખતે તેઓ પોતાના સ્વાર્થને ગૌણ કરનારા અને પરના ઉપકારને મુખ્ય બનાવનારા બની રહે છે. શ્રી તીર્થંકરદેવોમાં જેવી સ્વાર્થ ઉસર્જાતા અને પરાર્થવ્યસનિતા હોય છે, તેવી બીજા જીવોમાં કદાપી પ્રગટી શકતી નથી. ધર્મ-ચિંતન 98.
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy