________________
પરાર્થનું વ્યસન એટલે પારકાના એકાંત હિતનો ઉત્કટ પ્રયત્ન.
આ લોકોત્તર મહાપુરષોથી સ્વાર્થ ઉપસર્જનતા વડે તથા પરાર્થવ્યસનિતા વડે ધર્મમહાસત્તાને ત્રણ ભુવનનું આધિપત્ય પ્રાપ્ત થયું છે.
વિશ્વમાં સર્વથી અધિક મૂલ્યવાન વસ્તુ સર્વ જીવોના કલ્યાણની આ ભાવના છે. આ ભાવનાનું સેવન તીર્થકરોએ ઉત્કૃષ્ટપણે કર્યું છે તેથી જ તેમને આટલી શક્તિ, આવી સમૃદ્ધિ અને આ પ્રકારની શાસક્તા પ્રાપ્ત થઈ છે. ધર્મ-ધર્મીના અભેદ ઉપચારથી કહીએ તો સર્વકલ્યાણની ઉત્કૃષ્ટ પરમમંગલ ભાવના એ જ ધર્મ તીર્થકર છે.
ધર્મમહાસત્તાનું શરણ એટલે પરમ ઉપકારી શ્રી તીર્થકર ભગવંતોનું શરણ છે. સર્વહિતકારી ધર્મનું શરણ છે. વિશ્વના સર્વ જીવોના પરમ કલ્યાણની ભાવનાનું શરણ છે.
ધર્મની આરાધનાને સફળ બનાવવા માટે પરપીડા પરિવારની ભાવનાથી તથા પરોપકારની ભાવનાથી આપણે વાસિત થવું પડશે. જેનામાં આ બેમાંથી એકેય ભાવના નથી, તેનામાં ધર્મ જ ક્યાં છે ?
“માત્ર વ્યક્તિગત સ્વાર્થની કનિષ્ટ ઈચ્છા પારાવાર હાનિકારક છે” આ સત્ય હૃદયને સ્પર્શવું જોઈએ.
સ્વાર્થગૌણતા અને પરાર્થમુખ્યતા,” એ શ્રી તીર્થંકરદેવના આરાધકની ફરજ છે. આ સત્ય સ્પર્શવું જોઈએ અને ત્યારે ધર્મમહાસત્તાનું શરણ પ્રાપ્ત થશે.
પોતાના કલ્યાણને માટે જિજ્ઞાસુએ સ્વાર્થગૌણતા અને પરાર્થમુખ્યતા જીવનમાં પ્રગટાવવાં જોઈએ.
શુભભાવનાના મહાપુંજની સહાય મેળવવા માટે, આધ્યાત્મિક શક્તિના મહાકેન્દ્રરૂપી શ્રીપંચપરમેષ્ઠી ભગવંતોનો સંપર્ક પ્રાપ્ત કરવા માટે ઉપરના સત્યો અવશ્ય સ્પર્શવા જોઈએ.
ધર્મમહાસત્તા સર્વ જીવોને કઈ રીતે સહાયક બને છે? સમર્પિત થનાર પોતાનું વિશેષ હિત શી રીતે સાધી શકે છે?
ધર્મમહાસત્તા અને કર્મસત્તાનો સંબંધ શું છે ? કર્મસત્તાના વજમય કિલ્લાને ભેદવા ધર્મમહાસત્તાની સહાય કઈ રીતે પ્રાપ્ત કરવી ?
શ્રીનવકારમંત્ર અને ધર્મ મહાસત્તાનો સંબંધ શું છે ? સામાયિક ધર્મમાં ધર્મમહાસત્તાનું સ્થાન કેવું છે? આ પ્રશ્નોનો આપણે વિચાર કરીશું.
000
૭૮. ધર્મ-ચિંતન