SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ - “હું આ સર્વજીવોને કોઈપણ ઉપાય વડે જેમ બને તેમ આ ભયંકર દુ:ખમાંથી ઉગારું.” એમ શ્રેષ્ઠ બોધી એટલે સમ્યગ્દર્શનથી યુક્ત એવા તે મહાત્મા વિચારે છે. करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान्, वर्धमानमहोदयः ॥ કરુણાદિ ગુણોવાળા, સદાય પારકા કાર્ય કરવામાં અત્યંત તત્પર અને પ્રવર્ધમાન પુણ્યવાળા તે જ મુજબ પ્રયત્નો કરે છે. तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्वमाप्नोति, परं सत्वार्थसाधनम् ॥ સર્વ જીવાત્માઓના હિત માટે તે તે હિતકર કાર્યોને કરતા તે મહાત્મા શ્રીતીર્થંકરપણાને પામે છે. જે જીવોના કલ્યાણનું પરમ સાધન છે. શ્રીતીર્થંકરદેવોના આત્માઓએ પોતાની ભાવનામાં એકપણ જીવની ઉપેક્ષા ન કરતાં પ્રત્યેક જીવ માટે સર્વ સુખની કલ્યાણકામના કરી છે. . એમની ભાવના માત્ર ભવી જીવને જ શાસનરસી બનાવવાની નહિ પણ “સવિ જીવ કરું શાસનરસી”ની હોય છે. - અભવ્યો મોક્ષ પામે નહિ માટે તેમનું કલ્યાણ ન ઇચ્છવું એમ નથી પરંતુ કલ્યાણ તો સર્વજીવોનું ઇચ્છવાનું છે. | સર્વ જીવાત્માઓના હિત માટે હિતકર કાર્યોને કરતા તે મહાત્મા સર્વજીવોને પરમ ઉપકારી બને છે. અને આજે પણ, આ ક્ષણે પણ શ્રી તીર્થંકરદેવને આત્માઓ સર્વજીવોનું હિત . ચિંતવી રહ્યા છે, કરી રહ્યા છે. મારું હિત, તમારું હિત તથા સર્વનું હિત ! જેમાં એકેય જીવ બાકી ન રહી જાય. કેટલી પ્રશસ્ત છે “હું સર્વ જીવોને આ સંસાર દુઃખથી ઉગારું” એવી ઉદાત્ત ભાવના ! કેવો કલ્યાણકારી છે. આ પરિહિતચિતનનો પ્રબળ અધ્યવસાય ! ભાવનાનો પૂંજ વિશ્વમાં આજે અનેક મહાત્માઓ સર્વના કલ્યાણની આ શ્રેષ્ઠ ભાવના ભાવી રહ્યા છે. ભૂતકાળમાં થઈ ગયેલા મહાસત્ત્વોએ આ ભાવના ભાવી છે. આપણે સ્વીકારવું જ પડશે કે સમગ્ર વિશ્વમાં આ શ્રેષ્ઠ ભાવનાનો પૂંજ સદા સર્વદા સતત (Constant flow of super vibrations) વહી રહ્યો છે. ધર્મ-ચિંતન ૭૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy