________________
શાસ્ત્રકારો કહે છે કે આ નિયમ છે. આ નિયમ દર્શાવે છે કે વિશ્વવ્યવસ્થામાં, વિકાસનો ક્રમ (Cosmic Evolution) સદાસર્વદા ચાલુ છે.
વિશ્વમાં વિકાસ (Cosmic Evolution) શા માટે ? શુભનું બળ અધિક શાથી છે? અશુભ કરતા શુભમાં વિશેષ શક્તિ કેમ છે ?
સૂક્ષ્મ વિચાર કરતાં તેનું કારણ સ્પષ્ટ સમજાય છે.
સર્વથી અધિક દુષ્ટ એવો કોઈ પણ જીવ જગતનું અહિત ચિંતવશે તો પણ તે પોતાનું અહિત તો નહિ જ ચિંતવે. તેથી અહિતની ભાવના ગમે તેટલી તીવ્ર હોય તો પણ સમગ્રતાનું બળ (Force of Totality) પ્રગટાવી શકે નહિ.
સમગ્ર વિશ્વનું અહિત ચિંતવનારના હૈયામાં પણ પોતાનું તો હિત જ વસ્યું છે. એવો કોઈ જીવ નથી જે પોતાનું હિત, પોતાનું સુખ ન ઇચ્છે.
જ્યારે વિશ્વમાં એવા પણ મહાસત્ત્વો છે, જેઓ જગતના સર્વજીવોનું હિત ઇચ્છે છે. જેમાં એકેય જીવ બાકી રહેતો નથી, તેથી શુભની ભાવના તીવ્રતમ બને છે અને આ ભાવનાને સમગ્રતાનું બળ (Force of Totality) મળે છે.
“ભવી જીવ કરું શાસનરસી” એમ નહિ પણ “સવિ જીવ કરું શાસનરસી.’ વિશ્વમાં સર્વજીવોનું હિત ઇચ્છનારા મહાસત્ત્વો સદાય હતા, છે અને રહેશે અને તેથી અશુભના બળ કરતાં શુભનું બળ વિશેષ જ હોય અને વિશેષ જ રહેવાનું.
વિશ્વના સર્વજીવોનું કલ્યાણ કરવાની કામનામાં શ્રીતીર્થંકર પરમાત્માઓ સર્વથી
મુખ્ય છે.
ત્રણ ભુવનમાં એવો કોઈ જીવ નથી જેનું હિત શ્રીતીર્થંકરદેવોના આત્માઓએ ન ચિંતવ્યું હોય !
સમ્યગ્દષ્ટિ આત્મા કઈ રીતે તીર્થંક૨૫દ પામે છે, તે ખૂબ સુંદર રીતે પૂજ્ય શ્રીહરિભદ્રસૂરિજીએ “યોગબિંદુ” ગ્રંથમાં દર્શાવ્યું છે.
मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन् धर्मतेजसि ॥
આ સમ્યગ્દષ્ટિ આત્મા વિચારે છે કે : “મહાખેદની વાત છે કે ધર્મનો પ્રકાશ વિદ્યમાન હોવા છતાં જીવાત્માઓ મોહના અંધકાર વડે ગહન એવા સંસારમાં દુઃખી બનીને પરિભ્રમણ કરી રહ્યા છે.”
अहमेतान् अतः कृच्छाद् यथायोगं कथंचन । अनेनोत्तारयामीति, वरबोधिसमन्वितः ॥
૭૨ ૦ ધર્મ-ચિંતન