________________
સાચું માધ્યથ્ય (ભાવનું સર્વોચ્ચ શિખર છે માધ્યચ્યભાવ. એ ભાવનો તત્ત્વતરબોળ અર્થ ગહન અનુભૂતિમાંથી પ્રગટેલા આ લેખમાં છે. સં.)
સાચું માધ્યય્ય સઘળા શ્રેષ્ઠભાવોનું શ્રેષ્ઠતમત્વ જેનામાં સમાયેલું છે, તે માધ્યચ્ય ભાવની સાધના માટે મળેલો માનવનો ઉત્તમભવ મૈત્રી, પ્રમોદ અને કારુણ્ય વડે જ સાર્થક થાય.
- હિત ચિંતા એ જ ખરું માઘથ્ય છે. ગુણ બહુમાન એ જ ખરું માધ્યથ્ય છે. દુઃખિત-દુઃખ-પ્રહાણેચ્છા એ જ ખરું માધ્યચ્યું છે. માધ્યશ્ય ભાવની ટોચે પહોંચેલા સિદ્ધ પુરુષોની સહાયથી જ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય વિકસે છે. પોતાના પક્ષપાત જેવો જ બીજા જીવોનો પક્ષપાત એ જ સાચું માધ્યય્ય. છે. | સર્વ આચારનું મૂળ વિનય છે. વિનયનું પ્રેરક તત્ત્વ કૃતજ્ઞતા છે. તીર્થકરો ઉપરનો ભક્તિભાવ, “કૃતજ્ઞતા' ગુણના વિકાસ ઉપર આધાર રાખે છે. તીર્થંકરદેવોના ઋણ તળે સમગ્રવિશ્વ આવેલું છે. તેમાં મુખ્ય કારણ તેઓના આત્મદ્રવ્યનું વૈશિસ્ત્ર છે. ભૌતિક વિશ્વ ઉપર આહત્યનો પ્રભાવ છે. આહત્યની ભક્તિથી જ ભૌતિક સમૃદ્ધિનું અસ્તિત્વ છે. વ્યવહાર ધર્મનું મૂળ કૃતજ્ઞતાભાવ છે. નિશ્ચય ધર્મનું મૂળ મૈત્રીભાવ છે. કૃતજ્ઞતાભાવ છે. તીર્થંકર પરમાત્માના ઉપકારની કબૂલાત કરાવે છે. મૈત્રીભાવ સર્વજીવના આત્મદ્રવ્યની કિંમત સરખી છે, તેનો એકરાર કરાવે છે.
સર્વજીવનું જીવત્ર આત્મતુલ્ય છે, એમ જાણ્યા છતાં સંસારમાં તીર્થકર દેવાધિદેવનું આત્મદ્રવ્ય સર્વાધિક છે, એમ જો ન જાણવામાં આવે તો પણ મુક્તિના દ્વાર ખુલ્લાં થતાં નથી.
સર્વ સાથેનો સમાનભાવ ઉપકારક છે. પરંતુ ગુરુ સાથેનો સમાનભાવ ઉપકારક નથી, તો પછી પરમગુર, આદ્યગુરુ, વિશ્વગુરુ તીર્થંકર દેવાધિદેવ પરમાત્મા સાથે એકાંત તુલ્ય ભાવ કેટલો ઘાતક બને ? તેમના ઉપકારનો અપલાપ કરનારો તે કૃતજ્ઞતારૂપી મહાપાપને પુષ્ટ કરનારો થાય. આ વ્યવહારનો સિદ્ધાંત છે. વ્યવહારમાં અતિનિષ્ણાંત નિશ્ચયધર્મનો અધિકારી નથી.
તીર્થંકર પરમાત્માઓની સર્વાધિકતા અને સર્વોપકારકતા હૃદયભૂમિમાં જ્યાં સુધી સ્થિર ન થાય, દઢપણે ન સ્થપાય, ત્યાં સુધી સર્વ આત્માઓ આત્મતુલ્ય છે કે,
ધર્મ-ચિંતન ૩૯