________________
(૪) સમાનભાવ અને સમાનદ્રવ્યને ધારણ કરનાર વ્યક્તિઓમાં ભેદ પાડવાની શક્તિ દેશકાળમાં નથી તેથી તેઓનું એક સ્વરૂપ “વિશ્ચાત્તાઘનવચ્છિનાનંતવિત્રસ્નાત્રમૂર્તિઃ ' કહેવાય છે.
(૫) દેશ-કાળનો ભેદ કથંચિત્ બુદ્ધિ પ્રકલ્પિત છે. સાધનામાં તે ભેદ પ્રયોજનભૂત નથી, તેથી તેને બાધ કરીને અવિશેષ રહેનાર ભાવ અને દ્રવ્યને મુખ્ય કરાય છે. તે સર્વ અરિહંતોમાં સ્વરૂપથી સમાન હોવાના કારણે એકની પૂજામાં સર્વની પૂજા અને એકની હીલનામાં સર્વની હીલનાનો નિયમ સચવાય છે.
(૬) પ્રભુના આત્મદ્રવ્યની પૂજા પોતાના આત્મદ્રવ્યની પૂજા સ્વરૂપ જ છે. પ્રભુનું ધ્યાન એ પોતાના આત્માનું જ ધ્યાન છે અને તેથી કંઈક વિશેષ છે, કેમ કે તેમાં પોતાથી અધિકનું પણ ધ્યાન થાય છે.
(૭) પ્રભુના ભાવનું બહુમાન એ પોતાના ભાવને ઊંચા લાવવાનું સાધન છે. ભાવથી ભાવ વધે છે. સજાતીયને સજાતીય મળવાથી બંનેની શક્તિ વધે છે. સજાતીય અને વિજાતીય મળવાથી બંનેની શક્તિ ઘટે છે. પ્રભુના ધ્યાનથી સજાતીયતાના કારણે આત્મા સબળ બને છે.
મનનું મૌન મનનું મૌન એ છેવટનું મૌન છે. મનમાં સંકલ્પનો ઉદય જ ન થાય, એવી ઉન્મની અવસ્થામાં શાંતિનો ચિર નિવાસ હોય છે.
મનનો વિક્ષેપ એ મૌનનો ભંગ છે. મનને નિસ્તરંગ કરી સમાધિમાં લીન કરવાનો અભ્યાસ એ ખરો મૌન સાધવાનો પ્રયોગ છે. યોગ દ્વારા મનનો પર તત્ત્વમાં રોધ, એ મહામૌન છે. આવા મૌનની અસર વિશ્વજનને થાય છે. એવા માણસ જ્યારે બોલે ત્યારે એનો બોલ શાસ્ત્ર બને છે.
જ્ઞાન-દર્શન-ચારિત્ર રાગ એ આત્માની અવજ્ઞારૂપ છે. દ્વેષ એ વિશ્વની અવજ્ઞારૂપ છે.
જીવતત્ત્વની અવજ્ઞા ઘોર કર્મ ઉપાર્જન કરાવીને ભવાટવીમાં ભટકાવે છે. જીવતત્ત્વની વિરાધનાથી જ જીવ ભવમાં ભટકે છે. જ્યાં સુધી એ વિરાધના ન ટળે ત્યાં સુધી ભવભ્રમણ માટે એમ નથી.
૩૮ - ધર્મ-ચિંતન