________________
‘સ્વ' અને ‘પર’નો ભેદ વ્યવહારથી છે. નિશ્ચયથી કોઈ ૫૨ નથી, કોઈ સ્વ નથી, કિન્તુ સર્વ સમાન છે. ત્યાં સ્વ-પર શબ્દનો વ્યવહાર નથી, પણ આત્મ શબ્દનો વ્યવહાર છે. કહ્યું છે કે આત્મા વડે આત્મા, આત્માને, આત્મામાં જાણે-જુએ, તેને જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે.
સ્વનો વિચાર એ દુષ્કૃત, તેની જુગુપ્સા જોઈએ, સર્વનો વિચાર એ સુકૃત, તેનું અનુમોદન જોઈએ. સર્વમાં સ્વ સમાઈ જાય છે.
સાચો શરણભાવ સ્વદોષની જુગુપ્સા અને સર્વ સુકૃતોના અનુમોદનમાં છુપાયેલો છે.
હૃદયમાં પ્રત્યેક જીવાત્મા પ્રત્યે પ્રેમભાવનો પૂર્ણ અગ્નિ પ્રગટાવવો જોઈએ. મનને સમતોલ બનાવવાનો, સુખી અને શાંત બનાવવાનો, આનંદી અને સુખી કરવાનો એ સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહિ. પ્રેમવડે સર્વવ્યાપક એકતાનો સાક્ષાત્કાર કરવો એ જ હૃદયની શુદ્ધિ છે. પ્રેમનું અમૃત જ દ્વેષાગ્નિને શાંત કરે છે. પરમ સુખના ઇચ્છુકે પ્રત્યેક જીવ સાથે પ્રેમનું જોડાણ આદરવું જોઈએ. હૃદય સ્વચ્છ કરવાની એ પ્રથમ કુંચી છે.
વિચારોની જેટલી ઉચ્ચતા, ભવ્યતા, શુદ્ધતા તેટલી તેની તેજસ્વીતા અધિક હોય છે. સદ્ભાવના અને સદ્વિચારના બીજ રોપનાર જ સુખ અને શાંતિના પાક લણી શકે છે.
સુખદુઃખનાં કારણો એ વિચારોનો જ માત્ર પ્રભાવ છે. તાર વગરના દોરડાની જેમ વિચારો પોતાના સમાન ગુણધર્મી વિચારો સાથે વાતો કરે છે. તેમાં હદ વગરનું (Magnetism) ચુંબકત્વ રહેલું છે. વિચારો પરસ્પરને ખેંચે છે. જે વિચારોનું બળ વધારે છે, તે નબળા વિચારને નમાવે છે, દબાવે છે, તેના પર શાસન કરે છે. વિચારોના બળનો આધાર તેની દઢતા અને એકાગ્રતા ઉપર છે.
હું સૌનો મિત્ર છું, તેથી મારું કોઈ શત્રુ રહી શકે તેમ નથી. દઢતાથી કરેલા આ જાતિના વિચારો સજાતીય વિચારોને જગાડે છે અને વિજાતીય વિચારોને દૂર કરે છે. મનને આ રીતે મૈત્રી બાંધવાનું સુંદર ક્ષેત્ર (Field) બનાવવું જોઈએ.
૩૪ ૦ ધર્મ-ચિંતન