________________
ભાવનું મહત્ત્વ-૧
(ભવોભવની ભાવઠ ભાંગનારા આત્માના ભાવને ભાવ આપવાની અતિ અગત્યની વાત આ લેખમાં અદ્ભુત રીતે ગૂંથાયેલી છે. આ લેખનો પ્રત્યેક શબ્દ જીવતત્ત્વને ભાવ આપવાની દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાની અનુપમ પ્રભાવના સમાન છે. સં.)
તે પોતાનામાં બધાને અને બધામાં પોતાને જોવા તેનું નામ ભાવ છે, ભક્તિ છે. ભક્તિથી સ્વપરનો ભેદ મટી જાય છે.
- ઈશ્વરની ભક્તિ કરવાવાળાની આત્મભાવના વધતી જાય છે. ઈશ્વરનિષ્ઠ માણસ આત્મજ્ઞાની બને છે. તેનું જીવન આનંદમય થાય છે.
જગત સાથે આત્મતુલ્ય ભાવ જેને પ્રાપ્ત થયો નથી અને પરમાત્મા સાથે પણ જેને તુલ્ય ભાવ સાધ્ય થયો નથી, તેની ગતિ અહંકારી થાય છે.
ભાવ એ જગતની મૂડી છે. તેથી તે કેવળ પોતાને માટે વાપરવો એ ગુન્હો છે. જે બીજાને ભાવ આપી શકતો નથી, તે ભાવથી દરિદ્ર છે, અભાવવાળો છે, ભાવશૂન્ય છે. . - પરને આત્મસમાન ન ગણે તે પોતે પોતાના ભાવથી હણાય છે. વિવેકશક્તિ, ન્યાયબુદ્ધિ નીતિ, પ્રામાણિકતા, પ્રીતિ, ભક્તિ, વગેરે સર્વ સદ્ગણોને હણનારો થાય છે.
પ્રભુનો જે ભાવ છે તે ભાવ જ્યાં સુધી ઉગતો નથી ત્યાં સુધી તે ભાવના વિરહનો વિલાપ, વિરહનું દુઃખ થવું જોઈએ. એ ન થાય ત્યાં સુધી તે ભાવ આવવો શક્ય નથી.
ભાવના વિરહનો વિલાપ એ જ ભાવનમસ્કાર ભાવનું સ્મરણ એ જ રસ છે. એ રસ જયારે તીવ્ર બને, ત્યારે જ સાચું દુષ્કૃતગણ અને સુકૃત અનુમોદન થાય છે અને તો જ પંચપરમેષ્ઠિ નમસ્કારનું ભાવથી શરણ થાય છે. ભાવથી ભાવ વધે છે. વિશ્વના જીવોને ભાવ આપવાથી પરમેષ્ઠિ નમસ્કારનો ભાવ વધે છે અને પરમેષ્ઠિ નમસ્કારના ભાવથી વિશ્વના જીવો પ્રત્યે હિતનો ભાવ વધે છે.
પર એટલે શત્રુ, શત્રુભાવ મોક્ષમાં બાધક છે. મિત્રભાવથી જ તે દૂર થાય છે. મિત્રભાવ એ મોક્ષનું સાધન છે.
ધર્મ-ચિંતન 33