SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તેની સમીપમાં રહેવાથી શુભ વિચારના બીજને પોષણ મળે છે, તેવે વખતે સદ્વર્તન રાખવાનું કામ સહેલું પડે છે. આનું કારણ માત્ર એ જ છે કે તે સત્પરુષોના સદ્વિચારોના આંદોલનો અને તેથી બંધાયેલું તેમની આસપાસનું પવિત્ર વાતાવરણ આપણને આવી સુંદર સ્થિતિમાં લાવી મૂકે છે. જુદા જુદા વિચારવાળાનાં આંદોલનો જુદા જુદા પ્રકારે વહ્યા કરે છે. વૈરાગીના મનમાંથી વૈરાગ્યનું વાતાવરણ પ્રગટ થાય છે, ત્યાગીના મનમાંથી ત્યાગના, તપસ્વીના મનમાંથી તપશ્ચર્યાના, યોગીના મનમાંથી યોગના, જ્ઞાનીના મનમાંથી જ્ઞાનના, ભક્તના હૃદયમાંથી ભક્તિના અને સંયમીના હૃદયમાંથી સંયમના વિચારનો પ્રવાહ વહ્યા કરે છે અને તેથી તે તે જાતનાં આંદોલનોનો પ્રવાહ તે તે જાતની લાગણી ધરાવનારા તથા તે તે સંસ્કારવાળા જીવોના મનને તે તે જાતનો વિચાર વધારે ઝડપથી અસર કરનાર નીવડે છે.. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે જેવા વિચારો આપણે કરીશું, તેવા વિચારવાળા જીવો આપણા તરફ આકર્ષાશે. અને તેવી અસર વિશ્વના મનુષ્યો ઉપર આપણે કરી શકીશું. જેવા વિચારોનું કેન્દ્રસ્થાન આપણે બનીશું. તેવા સજાતીય વિચારવાળાને આપણે મદદગાર બનીશું. અથવા મુશ્કેલીમાં ઉતારનારા કે સન્માર્ગથી પતીત કરનારા થઈ શકીશું. આપણા વચનને માટે આપણે જેટલા જવાબદાર છીએ તેના કરતાં પણ આપણા વિચારો માટે આપણે વધુ જવાબદાર છીએ. કારણ કે વચન કરતાં વિચારો ઘણાં દૂર જાય છે અને મનુષ્યોને ઘણી સૂક્ષ્મ અસર કરે છે. મનુષ્યમાં રહેલા સત્તાગત સંસ્કારોને વિશેષ પ્રેરક અને પોષક બને છે. સંશય અને જ્ઞાન જાણવા માટેનો સંશય હિતકારક છે. તે જિજ્ઞાસારૂપ હોવાથી તારક છે. ન માનવા માટેનો સંશય નાશક છે. એક સંશય છે, સત્યને ખોજવા માટે. સંશોધન માટેનો સંશય છે હાર્દિક. તેમાં નમ્રતા સંશોધન માટેનો છે. અવિશ્વાસ જનિત સંશય બૌદ્ધિક છે. હાર્દિક જિજ્ઞાસા લાભદાયી છે. બૌદ્ધિક જિજ્ઞાસામાં તર્ક હોય છે. તે તત્ત્વમાં શ્રદ્ધા નથી જામવા દેતો, માટે અહિતકારી છે. ધર્મ-ચિંતન • ૩૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy