________________
પાપને પ્રશંસવાથી, ધર્મને નિંદવાથી અને પરમ શ્રદ્ધેય તથા અનન્ય શરણભૂત અરિહંતાદિ ચારને નહિં નમવાથી (અનન્યભાવે તેમના શરણે નહિં રહેવાથી એ તેમના સિવાય અશરણભૂત એવા સમગ્ર સંસારના ભરોસે–શરણે રહેવાથી) જીવની અપાત્રતા, અયોગ્યતા, ભવભ્રમણ શક્તિ વધે છે. તેનાથી વિરુદ્ધ પાપને નિંદવાથી, ધર્મને પ્રશંસવાથી, અને અરિહંતાદિ ચારને અનન્ય ભાવે શરણે રહેવાથી મુક્તિગમનની યોગ્યતા વધે છે, સદ્ગુણવિકાસ અને સદાચાર નિર્માણ આપોઆપ થવા લાગે છે. શ્રીનવકારમાં ‘નમો' પદ દુષ્કૃતગર્તા અર્થમાં ‘રિહં' પદ સુકૃતાનુમોદન અર્થમાં અને ‘તા', પદ શરણગમન અર્થમાં તથા ચૂલિકાના પહેલાં બે પદ દુષ્કૃતગઈ અર્થમાં અને છેલ્લાં બે પદ સુકૃતાનુમોદના અર્થમાં લઈ શકાય છે.
એ રીતે ભાવપૂર્વક, હેતુપૂર્વક અને ઉપયોગપૂર્વક નમસ્કારનું સ્મરણ તથા રટણ સતત થતું રહે તો જીવને ભાવધર્મની સિદ્ધિ થાય છે. ભાવ ધર્મની સિદ્ધિ માટેનાં ચાર અંગો આ પ્રકારે કહ્યાં છે :
: રત્નત્રયષ્યામ િસ્વાર્થ ઘા. * ગુમવત્તા સંસારનુકુણા રેતિ ભાવના છે.
- ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પ્રથમ પર્વ, ગ્લો૦ ૧૫ (૧) રત્નત્રયધરને વિશે અનન્ય ભક્તિ. (૨) તેમની સેવા–પરિચર્યા. (૩) સર્વના શુભ માટેની જ એક ચિંતા, તથા (૪) ચતુર્ગતિરૂપ અથવા ચાર કષાયરૂપ સંસારની જુગુપ્સા.
ભાવધર્મના એ ચાર અંગો છે. ભાવધર્મના આ ચારે અંગો શ્રીનમસ્કાર મહામંત્રના આરાધન વડે વિકસે છે. તેથી ધર્મના અર્થી જીવો માટે તેનું આરાધન–તેનું આલંબન પરમ આવશ્યક છે, પરમ હિતકર છે, પરમ કલ્યાણકર છે.
'शुभं भवतु सर्वेषाम् ।'
.
૧. વર્ષોધાનુ%નો વ્યાપાર: નમસ્કાર: /
ધર્મ-ચિંતન : ૧૯