SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર મહામંત્ર અંગે મનનીય વક્તવ્ય (તા. ૫-૨-૧૯૬૧ ને રવિવારના રોજ મુંબઈમાં યોજાયેલ “શ્રીનમસ્કાર સ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ) પ્રકાશન-સમારંભ નિમિત્તે શેઠશ્રી અમૃતલાલ કાલિદાસ દોશીએ રજૂ કરેલ મનનીય વક્તવ્યમાંથી.) શ્રીનમસ્કાર સ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ)ના પ્રકાશન સમારંભના શુભ પ્રસંગે શ્રીપંચમંગલ-મહાશ્રુતસ્કંધ અપરનામ શ્રીનમસ્કાર મહાસૂત્ર કે શ્રીનમસ્કાર મહામંત્ર વિષયક મારા અભ્યાસનો આછો ખ્યાલ આપવો જોઈએ તે દૃષ્ટિથી બે બોલ આપ સમક્ષ રજૂ કરું છું. જ્યારે કોઈ પણ શબ્દનો આપણે વિચાર કરીએ ત્યારે તેના સ્વરૂપ, અભિધેય અને તાત્પર્યનો વિચાર કરવો જોઈએ અને તે પ્રમાણે કરીએ તો તે વિશે મહદ્ અંશે સંપૂર્ણ વિચાર કર્યો ગણાય. શ્રીનમસ્કાર મહાસૂત્ર કે મહામંત્રનું સ્વરૂપ વાણીના સ્વરૂપમાં સમાવિષ્ટ થાય છે, તેથી વાણીના સ્વરૂપનો વિચાર શાસ્ત્રીય પદ્ધતિથી કર્યો અને તે નીચે પ્રમાણે :: વાણીના દ્રવ્ય અને ભાવ એમ બે ભાગ છે. દ્રવ્ય વાણીના પણ દ્રવ્યાત્મિક અને પર્યાયત્મિકા એ પ્રમાણે બે પેટા વિભાગ છે. દ્રવ્યાત્મિકાવાણી શબ્દપુદ્ગલરૂપા છે, જે સંજ્ઞા અક્ષર છે અને પર્યાયાત્મિકાવાણી શ્રોત્રમ્રાહ્યપરિણામાપના છે, જેને વ્યંજનાક્ષર અથવા વૈખરી કહેવાય છે. ભાવવાણી (લબ્ધિ અક્ષર)ના બે પેટાવિભાગ છે. એક વ્યક્તિ બોધ-ઉપયોગ) જે મધ્યમા કહેવાય છે અને બીજો શક્તિ (ક્ષયોપશમ શક્તિરૂપા) જેને પશ્યન્તી કહેવાય છે. દ્રવ્યાત્મિક વાણી (સંજ્ઞા અક્ષર) પ્રથમ નમસ્કાર મહામંત્રનો શબ્દપુદ્ગલરૂપ દેહ અથવા તેના સંજ્ઞા અક્ષરોનો વિચાર અથવા તેની લિપિનો વિચાર તે નમસ્કાર મહામંત્ર વિશે દ્રવ્યાત્મિકા વાણીનો વિચાર છે. પર્યાયાત્મિકા વાણી (વ્યંજનાક્ષર) | નમસ્કાર મહામંત્ર વિશે અમે પર્યાયાત્મિકા વાણીનો જે વિચાર કર્યો તે દર્શાવીએ છીએ. નમસ્કાર મહામંત્રના ઉચ્ચારણ માટે– (૧) યોગા વીર્ય વડે શબ્દ પ્રયુક્ત થાય છે તેથી તેનો ઉદ્દભવ વાણીના યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને તેઓનું ઉપાદાન કરીને) ધર્મ-ચિંતન ૩૩૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy