SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય-કષાય તથા પ્રમાદનો ત્યાગ કરવાથી ચારિત્રગુણ પ્રગટે છે. આત્મસ્વરૂપમાં લીનતા, એકતા અને ધ્યાનથી વીર્યગુણ પ્રગટે. મનોયોગમાં શ્રદ્ધાન છે, વચનયોગમાં જ્ઞાન છે. કાયયોગમાં ચારિત્ર છે. રુચિ પરિણામે વીર્ય પ્રવર્તે છે. નામ જીનનું સ્થાનક જિલ્લા છે. સ્થાપના જીનનું સ્થાનક ચક્ષુ છે. દ્રવ્ય જીનનું સ્થાનક મનોયોગ છે. ભાવ જીનનું સ્થાનક હૃદય છે. જગતમાં મુખ્યપણે જીવ અને અજીવ બે રાશિ છે. તે બે રાશિ છ દ્રવ્ય સ્વરૂપે છે. તે છ દ્રવ્યોનું નવ તત્ત્વાત્મક ભાવોવાળું સંપૂર્ણ જગતનું સ્વરૂપ જાણવા યોગ્ય છે. .. ઘણો રાગ તે દષ્ટિરાગ નહીં, પણ દોષોને ગુણ કરીને જાણે તે દૃષ્ટિરાગ. અરિહંતાદિ ચારનું શરણ , અરિહંતાદિના શરણમાં તથા સાધર્મિક વાત્સલ્યમાં મૈત્રાદિ ચારે ભાવનાઓ અંતર્ગત છે. (૧) અરિહંત શરણ : મૈત્રીભાવના. (૨) સિદ્ધનું શરણઃ પ્રમોદભાવના. (૩) સાધુનું શરણ કરુણાભાવના. ણ : માધ્યશ્મભાવના. અથવા ચારેમાં ચારે ભાવના રહેલી હોવાથી શરણ્ય છે. ભાવશરણ ભાવનાઓનું છે. ભાવનાઓ અશરણ્યને શરણ અને અસહાયને સહાય આપે છે. દુર્ગાનજનિત વિકલ્પો અશરણ છે. ભાવનાઓ જનિત શુભ ધ્યાન એ શરણ છે. અરિહંતાદિ ચારનું શરણ એ સામાન્યનું શરણ છે. ચારમાં રહેલી ચાર ભાવનાઓનું શરણ એ તેઓમાં રહેલી વિશેષતાઓનું શરણ છે. સામાન્ય વિનાનું વિશેષ અને વિશેષ વિનાનું સામાન્ય ખપુષ્પવતુ છે. તેથી સામાન્ય વિશેષ ઉભયાત્મક અરિહંતાદિનું શરણ એ જ સાચું અને પરમાર્થ શરણ છે. ૩૩૮ - ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy