________________
ધર્મરત્ન
ડૉ. વલભદાસ નેણસીભાઈ (મનનીય વિચાર-કણિકાઓ, રત્નના કિરણોની જેમ આ લેખમાં ઝળહળે છે. સં.) સદ્ગુરુના ઉપદેશથી, અભ્યાસથી, વૈરાગ્યની જીવ ધર્મરત્વ પામી શકે છે.
અભ્યાસ ચાર પ્રકારે : સૂત્રાભ્યાસ, અર્ધાભ્યાસ, વસ્તુ અભ્યાસ, અનુભવ અભ્યાસ.
ચક્ષુનો વિકાર નષ્ટ થાય તો : જ્ઞાન નિર્મળ થાય. મનનો વિકાર નષ્ટ થાય તો : જીનવચનમાં પ્રતીતિ થાય. (દર્શનશુદ્ધિ) નાકનો વિકાર નષ્ટ થાય તો : ચારિત્ર ગુણની સુવાસ આવે. જીલ્લાનો વિકાર નષ્ટ થાય તો : આત્મિક અનુભવ રસાસ્વાદ પામે. સ્પર્શનનો વિકાર નષ્ટ થાય તો : સ્વભાવની રમણતા પામે. ધનંબળથી દાન દેવાય. શરીરબળથી તપ થાય. મનોબળથી શીલ પમાય. જ્ઞાનબળથી ભાવૃદ્ધિ થાય.
શાતા-અશાતા જીવવિપાકી છે, માટે આત્માશ્રિત છે અને તજજન્ય, સુખ-દુ:ખ પુદ્ગલાશ્રિત છે.
નિમિત્ત આલંબનમાં જીવ પંચપરમેષ્ઠિનું સ્મરણ કરે તો ઔદયિક કર્મનું નિવારણ થાય. . '
અરિહંતના આલંબનથી : રાગ-દ્વેષ નષ્ટ થાય. સિદ્ધના આલંબનથી–અરૂપી ભાવ પામે. આચાર્યના આલંબનથી : પંચાચાર પ્રવર્તન સુલભ થાય. ઉપાધ્યાયના આલંબનથી : સૂત્રાર્થના અભ્યાસની સુલભતા થાય. સાધુપદના આલંબનથી : મુક્તિમાર્ગનું સાધન થાય. ઉદીત કર્મને જે રીતે વેદ, તે રીતે નવીન કર્મ બંધાય. ધર્મશ્રવણ અને ધર્મ સૂત્રાભ્યાસની ઉદ્યમ, રુચિ, સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ કરાવે. તત્ત્વાતત્ત્વ ગવેષણા બુદ્ધિથી સમ્યજ્ઞાન ગુણની પ્રાપ્તિ થાય.
ધર્મ-ચિંતન ૩૩૦