________________
મન હવે તમને સોંપ્યું. એની જવાબદારી હવે તમારી,” એવી ભાવના ઉપાસ્ય, દેવગુરુને—પંચપરમેષ્ટિને ઉદ્દેશીને ભાવ્યા પછી શરૂઆત કરવાથી પણ અચિંત્ય લાભ થશે. ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવામાં તેથી ખૂબ મદદ મળશે.
સૌને લાભ થાઓ, સૌનું કલ્યાણ થાઓ.
ત્રિદોષ-ત્રિગુણ
વિકૃત જ્ઞાન એ રાગ છે. વિકૃત શ્રદ્ધા એ દ્વેષ છે અને વિકૃત વર્તન એ મોહ છે. રાગ એ બીજાના ગુણને જણાવે છે. દોષને નહિ. દ્વેષ એ દોષને જ દેખાડે છે. મોહ એ ગુણ અને દોષોનો વિવેક કે વિભાગ કરવા દેતો નથી અને વર્તનને પૂર્વના અશુભ સંસ્કારોને આધીન બનાવે છે. રાગી દોષને જોતો નથી. દ્વેષી ગુણને જોતો નથી. તેથી દોષ અને ગુણનું યથાર્થજ્ઞાન કરવા માટે રાગ-દ્વેષને જીતવા જોઈએ. મોહી-મોહગ્રસ્ત જાણવા છતાં અવળું વર્તન કરે છે, અથવા તેનું જ્ઞાન અભિનિવિષ્ટ હોવાના કારણે અથવા પૂર્વગ્રહો વગેરેથી દૂષિત હોવાના કારણે યથાર્થ વર્તન થવા દેતું નથી. જ્યાં જ્યાં વર્તનમાં દોષ જણાય, ત્યાં ત્યાં જ્ઞાન દૂષિત જ હોય, એવો નિયમ નથી. પરતું નિયમ અભિનિવેષનો, દૂરાગ્રહનો, પૂર્વગ્રહનો, કુઃસંગનો, પ્રમાદશીલતાનો, અનાદિ અસદ્ અભ્યાસના બળનો સમજવો જોઈએ. રાગાદિ દોષનો નિગ્રહ કરવા માટે એક બાજુ યથાર્થ જ્ઞાન અને બીજી બાજુ યથાર્થ વર્તનનો અભ્યાસ જરૂરી છે. પંચમંગલની યથાર્થ આરાધના વડે જે સુલભ બને છે અને તેના પ્રભાવે ત્રિદોષ શમે છે. તેમજ ત્રિગુણ બરાબર પ્રગટે છે. વિષયવૃત્તિ કફ દોષને વિકસાવે છે. કષાયવૃત્તિ પિત્તદોષને વધારે છે અને આગ્રહવૃત્તિ વાતદોષને વધારે છે. વિષય વિરક્તિ કષાય નિવૃત્તિ અને નિરાગ્રહવૃત્તિ એ અનુક્રમે ઉક્ત ત્રણે દોષોને શમાવે છે. જ્યારે પણ કફ દોષની વૃદ્ધિ થાય ત્યારે વિષયોનું સેવન પ્રમાણાધિક થયું છે. તેવું અનુમાન કરવું જોઈએ. પિત્ત પ્રકોપ વખતે કષાયનું સેવન અધિક થયેલું હોવું જોઈએ અને વાતદોષના પ્રકોપ વખતે દુરાગ્રહ દુરભિનિવેશ, પૂર્વગ્રહહિતતા વગેરે બુદ્ધિના દોષોનું સેવન થયેલું હોવું જોઈએ. તેવું અનુમાન કરવું જોઈએ. બુદ્ધિના દોષને પ્રજ્ઞાપરાધ પણ કહી શકાય. અતિયોગ, હીનયોગ કે વિપરીત યોગનું મૂળ પ્રજ્ઞાપરાધ છે. તેથી પ્રજ્ઞાપરાધનું નિવારણ કરવા માટે પ્રથમ પ્રયાસ થવો જોઈએ. પછી વિષય કષાયની અધિકતાદિ યોગોનું નિરસન કરવું જોઈએ. તેથી ત્રિ-દોષ શમે છે. રાગ, દ્વેષ અને મોહ એ ત્રિ-દોષ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રિ-ગુણ છે. સમ્યગ્ જ્ઞાનની પરિણતિથી રાગદોષ શમે છે. સમ્યગ્ દર્શનની પરિણતિથી દ્વેષ દોષ શમે છે. સમ્યક્ ચારિત્રના સેવનથી મોહ દોષ જાય છે.
સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જેના મૂળ ગુણ છે. તે આત્માની જ ઉપાસના કરવામાં જીવનનું જીવિત છે. સાર સર્વસ્વનું સેવન છે. ત્યાજ્યનો ત્યાગ છે. સેવ્યની સેવા છે. પંચમંગળની સેવના કરતા જ આ અભિગમ જીવનનો ગમો (Love, Taste) બને છે. કારણ કે પંચપરમેષ્ઠી ભગવંતોને એક આત્મતત્ત્વ જ પ્રિયતમ છે. માટે તેઓને ‘પ્રિયતમા તરીકે પૂજવામાં જ આપણું' પરમ કલ્યાણ છે.
૩૨૬ ૦ ધર્મ-ચિંતન