SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ-ધ્યાન શ્રી સૂરજચંદજી ડાંગી (નવપદનું ધ્યાન કરવાથી જીવ ઇન્સાન, શ્રેષ્ઠ સબળ બનીને શુક્લધ્યાન, પરમેષ્ઠિ, પ્રબળ એવું ભગવાનનું પદ કેવી રીતે મેળવી શકે છે, તેની વિધિ યથામતિ, યથાશાસ્ત્ર, યથાનુભવ અહીં બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. સં.) દુનિયામાં અધિકાંશ પ્રાણી આર્તધ્યાન રૌદ્રધ્યાનથી પીડિત છે. સર્વત્ર સર્વદા અને સર્વથા સંસારમાં દુ:ખ છે. તેને પરકૃત (બીજાએ કરેલું) સમજીને જીવ બીજાઓ પ્રત્યે ક્રોધ કરે છે. અથવા બીજાઓથી ભયભીત રહે છે. એ રીતે ભય પામવાવાળા જીવ આર્તધ્યાની છે. તેથી કનિષ્ઠ છે, હૈવાન છે, નિર્બળ છે અને ભય પમાડનારા જીવો રૌદ્રધ્યાની છે તેથી દુષ્ટ છે, શૈતાન છે, દુર્બળ છે (એનું બળ દુષ્ટ હોવાથી દુર્બળ છે, કમજોર છે.) ધર્મધ્યાની શ્રેષ્ઠ છે તેથી ઇન્સાન છે, સબળ છે. 'કેમ કે તે સર્વનો ભય મીટાવે છે. સર્વને અભયદાન આપે છે. ભગવાન તો શુક્લધ્યાની હોવાથી પરમેષ્ટિ-પરમ-શ્રેષ્ઠ છે, પ્રબળ છે, પૂર્ણ નીડર છે, તેમના તરફથી કોઈને ભય નથી. નવપદનું ધ્યાન કરવા પહેલાં નવ તત્ત્વોનું જ્ઞાન કરી લેવું આવશ્યક છે. સમ્યજ્ઞાન વિના સાચું ધ્યાન થતું નથી. અને સાચું (શુક્લ) ધ્યાન થયા વિના કેવળજ્ઞાન થતું નથી. જ્ઞાન અને ધ્યાનનો મધુર સંબંધ છે. જ્ઞાન અને ધ્યાનને આપણે જુદા કહી શકીએ છીએ, પરંતુ જુદા કરી શકતા નથી. સૌથી પ્રથમ શુદ્ધ જીવતત્ત્વનું જ્ઞાન કરવાથી સિદ્ધપદનું ધ્યાન થઈ શકે છે. સિદ્ધચક્રના ધ્યાનમાં પ્રવેશ કરવા માટે શુદ્ધ જીવ તત્ત્વ શું છે એની પીછાન કર્યા વિના ચાલતું નથી. શુદ્ધ જીવતત્ત્વની પીછાન કર્યા પછી અન્ય સર્વ જીવદ્રવ્યોની સાથે સહાનુભૂતિ શીખવી પડે છે. એ માટે ‘મિત્તૌ મે સમૂછ્યુ' એ મંત્ર છે તે દ્વારા શ્રીસિદ્ધચક્રના ધ્યાન પર અધિકાર પ્રાપ્ત થઈ શકે છે. જેટલું જેટલું જીવતત્ત્વનું જ્ઞાન વધતું જશે. તેટલું તેટલું સિદ્ધપદ પ્રત્યે પ્રસ્થાન વધતું જશે. જીવને અનાદિ અભ્યાસથી જડદ્રવ્યો પ૨ અધિક પ્રેમ છે. દા. ત. રસ્તામાં અશુચિસ્થાન પર પણ જો ચાંદીનો ટુકડો પડ્યો હશે, તો તેને લેવાનું મન થશે પરંતુ રસ્તામાં પડેલા ત્રણ દિવસના પણ ભૂખ્યા મનુષ્યજીવ તરફ સહસા ધ્યાન નહિ ખેંચાય—હવે વિચારો કે સિદ્ધપદની તરફ પ્રયાણ કેવી રીતે થાય ? જેમ જેમ જીવતત્ત્વ તરફ પ્રીતિભાવ વધતો જશે તેમ તેમ અજીવતત્ત્વ દૂર થતું જશે. અને પોતાનું જીવદ્રવ્ય શુદ્ધ થતું જશે. ૨૯૦૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy