SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સુખનો ખરો માર્ગ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ કે પરિગ્રહ નથી, કિંતુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે, સુખ એ અપીડારૂપ છે, બીજાને પીડા આપવાથી અપીડારૂપ સુખના અધિકારી બની શકાતું નથી. હિંસા, અસત્ય વગેરે બીજાને પીડવાના માર્ગ છે, તેથી પાપસ્વરૂપ છે. તેનાથી સુખની આશા એ આકાશકુસુમવત્ છે. વિજ્ઞાનથી થનારાં ઉત્તમ પ્રકારનાં રૂપ, રસાદિનો ભોગ કે તેની પ્રાપ્તિ પાપ કર્યા વિના થઈ શકતી નથી. પાપના માર્ગે સુખની શોધ એ અવળો ધંધો છે, તેથી રૂપરસાદિની પ્રાપ્તિ માટે વિજ્ઞાનના માર્ગે આગળ વધનારા પાપના માર્ગે જ આગળ વધે છે અને પાપના માર્ગે આગળ વધનારા સાચા સુખની પ્રાપ્તિ કરી શકે, એ ત્રિકાળમાં અશક્ય છે. શાસ્ત્રકારોની દૃષ્ટિએ ભૌતિક સુખની સિદ્ધિનો આધાર પણ ધર્મ જ છે અને તે પુણ્યરૂપી ધર્મ છે. આ પુણ્યરૂપી ધર્મની સિદ્ધિ માટે શાસ્ત્રકારો ‘આદ્યબાલ શરીર’નું દૃષ્ટાંત આપે છે. યુવાન શરીરનું કારણ જેમ બાલ શરીર છે, તેમ બાલ શરીરનું કારણ પણ કોઈ હોવું જોઈએ. બાલ શરીરનું કારણ જો ગર્ભશરી૨ માનીએ તો આદ્યગર્ભશરીરનું પણ કોઈ ઉપાદાન કારણ હોવું જોઈએ, તેનું જ નામ કર્મ શરીર છે. શાસ્ત્રકારોની ભાષામાં તેને કાર્મણ શરીર કહેવાય છે અને તે શુભાશુભ કર્મના પુંજરૂપ છે. શુભ શરીરનું આદ્યકારણ પુણ્યકર્મ છે. અશુભ શરીરનું પ્રથમ કારણ-મૂળકારણ પાપકર્મ છે. એકને ધર્મ કહેવાય છે, બીજાને અધર્મ કહેવાય છે. એ રીતે ભૌતિક શુભશરીર એ ભૌતિક શુભકર્મની નીપજ છે. જો શરીરની નીપજ કર્મથી છે અને કર્મ સિવાય અન્ય કોઈ વસ્તુથી નથી, તો પછી એ શરીરનાં સારાં નરસાં સાધન અને એ શરીરને સુખ-દુઃખનાં શુભાશુભ નિમિત્તની ઉત્પત્તિનું આદિમ કારણ પણ કર્મ જ છે. બીજું કોઈ જ નથી. આદ્ય કારણ શું ? સ્થૂલ દૃષ્ટિથી આદ્યકારણ નજરે ચડતું નથી, ત્યારે સંસર્ગમાં આવતાં અન્ય અન્ય નિમિત્તોને જ તેનાં કારણો તરીકે વર્ણવવામાં આવે છે. શરીર, શરીરનાં સંબંધીઓ અને શરીરનાં સુખ-દુઃખનાં બાહ્ય હેતુઓના મૂળમાં શુભ અશુભ કર્મ છે, તેને જ શાસ્ત્રકારો ધર્મ અને અધર્મના નામથી સંબોધે છે. આ રીતે સારાયે જગતમાં, સચરાચર જીવસૃષ્ટિમાં વિશ્વના પ્રાણીમાત્રની વિવિધ અવસ્થાઓમાં આદ્ય અને પ્રથમ શુભ પ્રેરક હેતુ જો કોઈ હોય તો તે ધર્મ જ છે અને તે ધર્મના પ્રભાવે જ સઘળી ઇષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ છે. શાસ્ત્રકારોની દૃષ્ટિએ ઉત્તમ પ્રકારનાં રૂપ-૨સ-ગંધ-સ્પર્શ-શબ્દ, તે બધાની ઉત્પત્તિ, પ્રાપ્તિ ધર્મ-ચિંતન - ૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy