SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનવકાર મહામ્ય નવકારથી વાતાદિ ત્રણે દોષ કેમ ટળે ? શ્રીનવકાર એ પરમેષ્ઠિ સ્તુતિરૂપ હોવાથી દર્શનરૂપ, મહાશ્રુતસ્કંધરૂપ હોવાથી જ્ઞાનરૂપ અને પંચાંગ પ્રણિપાતરૂપ તથા સામાયિક સૂત્રના પ્રારંભમાં હોવાથી ચારિત્રરૂપ પણ છે. જ્ઞાનગુણમાં મનોયોગની પ્રધાનતા છે અને “યત્ર મન તંત્ર મરુ' એ ન્યાયે જ્યાં મન જાય ત્યાં “વાત’ને જવું જ પડે છે એટલે શરીરમાં જે વાયુનો પ્રકોપ કે દોષ સંગૃહીત હોય છે તે શિથિલ-ઢીલો થવા માંડે છે. દર્શનગુણમાં વચનયોગ-ઇષ્ટની સ્તુતિ-ભક્તિ વગેરેની મુખ્યતા છે. વળી આ. ભક્તિભાવ મધુર-સ્નેહના પરિણામરૂપ હોવાથી પિત્તનો દોષ-પ્રકોપ તેનાથી શમવા માંડે છે. ચારિત્રગુણમાં કાયયોગની પ્રધાનતા હોવાથી શારીરિક હિલચાલ પ્રવૃત્તિ ઉષ્ણતાદિ વધી જાય છે આથી શરીરમાં જે કફ જામી ગયો હોય છે તે પીગળવા માંડે છે, છૂટો પડે છે અને તેથી કફનો દોષ શમી જાય છે. આથી કહી શકાય કે નવકારરૂપ જ્ઞાનાદિ ત્રણમાં મન વગેરે ત્રણ યોગની ક્રિયાથી વાતાદિ ત્રણે દોષો જીતાય છે અને ધર્મધ્યાનને અનુકૂળ વાતાવરણ સર્જાય છે. નવકારમાં સૂર્યની શક્તિ કેવી રીતે ? શ્રીનવકારના પ્રથમ પદમાં સાતવર્ગો-અક્ષરો છે અને સૂર્યના કિરણમાં પણ સાત વર્ણો-રંગો રહેલા છે. છતાં તે બધા મળીને શ્વેત વર્ણ થાય છે. તેમ પ્રથમ પદનું ધ્યાન પણ શ્વેત વર્ષે જ કરવાનું વિધાન છે. - સૂર્યના કિરણોમાં જેમ પ્રકાશ-ઉષ્ણતા અને શ્વેતતા છે તેમ નવકારમાં શ્રુતજ્ઞાનનો પ્રકાશ, કર્મદાહક ઉષ્ણતા અને ચૂલિકા તથા પ્રથમપદમાં શ્વેતવર્ણનું ધ્યાન કરવાનું વિધાન છે. તેથી યાવત્ શુક્લધ્યાન કે શુક્લલશ્યાની પ્રાપ્તિ થાય છે. સૂર્યના રથ કે વિમાનને પણ સાત ઘોડા જોડ્યા છે તેથી તેને સપ્તાશ્વ -સૌં: કહ્યો છે. નવકારના પ્રથમ પદમાં સમગ્ર નવકારની પણ ઘટના થઈ શકે છે. એ પ્રથમ પદમાં સાત જ વર્ણો છે તેથી નવકારને અપેક્ષાએ સપ્તવર્ણાત્મક પણ કહી શકાય. ૨૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy