________________
શ્રીનવકાર અને સામાયિક-૨
(‘જે જેના ગુણ ગાય, તે તેના જેવો થાય.' એ સૂત્રના રહસ્યને આ લેખ ખૂબ જ સરસ રીતે સ્પષ્ટ કરે છે. શ્રીનવકાર પ્રત્યેનો અવિહડ રાગ એટલે ગુણીના ગુણનો સાચો અનુરાગ એ હકીકતનું આ લેખમાં હૃદયસ્પર્શી વિવેચન છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ગુણમાં રમણતા કેળવવામાં સહાયભૂત થશે. સં.)
(૨) શ્રેષ્ઠ પ્રાર્થના નમસ્કાર એ શ્રેષ્ઠ પ્રાર્થના છે, આ શ્રેષ્ઠ પ્રાર્થના સહજ સ્વાભાવિકપણે કરવાની પદ્ધતિ (Act of spiritual discipline spontaneously practised એ સામાયિક છે.
નમસ્કાર એ સર્વોચ્ચ શરણાગતિ છે, અનન્ય સમર્પણ છે.
નમસ્કારભાવ માનવહૃદયની અંદર અવશ્ય રહેલો છે. માનવહૈયું આપત્તિ સમયે, દુઃખની પળોમાં કે સંકલેશ પ્રસંગે સર્વ સમર્થનું શરણ ઝંખે છે, પરમાત્માની કૃપાને ઇચ્છે છે, પરમ સત્તાની સહાયને વાંછે છે. આ ઝંખના, આ ઇચ્છા, આ વાંછા એ પ્રાર્થના છે. નમસ્કાર એ સર્વ શ્રેષ્ઠ પ્રાર્થના છે.
નમસ્કાર સર્વ શ્રેષ્ઠ પ્રાર્થના છે, કારણ કે તે દ્વારા જે પુરુષોની આરાધના કરવામાં આવે છે, તે બધા વીતરાગ અને નિઃસ્પૃહ મહાત્માઓ છે..
અન્ય પ્રાર્થનાઓના આરાધ્ય દેવો સંસારી, સ્પૃહાવાળા અને સરાગી આત્માઓ હોય છે. નમસ્કારની પ્રાર્થનામાં સર્વાધિક શક્તિ હોવાનું કારણ એ પ્રાર્થનાના અધિનાયકોની પરમવિશુદ્ધિ છે.
સરાગીની શક્તિ ગમે તેટલી મોટી હોય તો પણ વીતરાગતાની અચિંત્ય શક્તિમત્તા અને પ્રભાવશાળીતાની આગળ તે એક બિંદુ જેટલી પણ માંડ ગણાય.
નમસ્કાર શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની અપાર કરૂણા પ્રત્યે આપણને સજાગ બનાવે છે.
શ્રીનમસ્કાર મહામંત્રના વારંવારના રટણથી એ પરમપુરુષોના આપણા સર્વ ઉપરના અનંત ઉપકારોનું સ્મરણ થાય છે અને આપણો કૃતજ્ઞતાનો ભાવ (Sense of Gratitude) પ્રગટ થાય છે. આધ્યાત્મિક સાધનામાં ગુણાનુરાગનું મહત્ત્વ
સુખનું મૂળ ગુણાનુરાગમાં રહેલું છે. દુઃખનું મૂળ ગુણદ્વેષમાં રહેલું છે. ગુણાનુરાગ વિના કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક સાધના શક્ય જ નથી. જ્યાં સુધી આપણામાં ગુણદ્વેષ છે, ત્યાં સુધી મિથ્યાત્વ છે. આપણે વારંવાર
૧૧૬ • ધર્મ-ચિંતન