________________
અચિંત્ય ક્ષમતા
0 (જીવને શિવરૂપ બનાવવાની શ્રીનવકારની અચિત્ય ક્ષમતાનું અદ્ભુત નિરુપણ– ચિંતનાત્મક આ લેખમાં થયેલું છે. સં.)
સુકૃતાનુમોદન પહેલાં પાંચ પદનો મૂળ મંત્ર છે, તે ચતુઃ શરણગમનાત્મક છે. ચૂલિકાના પહેલાં બે પદો દુષ્કૃતગર્ધાત્મક છે અને છેલ્લા બે પદો સુકતાનુમોદનાત્મક છે. એ રીતે ભવ્યત્વપરિપાકના ત્રણે ઉપાયો ચૂલિકાસહિત મૂળમંત્રમાં અંતર્ભાવ પામી જાય છે.
- પાપનું મૂળ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. મંગળનું મૂળ જ્ઞાન અને સમ્યક્ત્વ છે. શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કારવડે પાપનું, સંસારનું મૂળ મિથ્યાત્વ બળી જાય છે અને ધર્મનું, મોક્ષનું મૂળ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
સમ્યક્ત્વ ગુણાનુરાગરૂપ, સુકૃતાનુમોદનરૂપ છે. મિથ્યાત્વગુણશ્લેષરૂપ, દુષ્કતાનુમોદનરૂપ છે.
શ્રીનવકારવડે દુષ્કૃતનો રાગ નાશ પામે છે અને સુકૃતનો રાગ જાગે છે–શરણ આપવા લાયક ચાર–અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ–પ્રથમના પાંચ પદમાં આવી જાય છે. શરણ એટલે ગતિ, મતિ, આશ્રય, અલંબન, પ્રાણ, ત્રાણ, જીવન, આધાર ઇત્યાદિ કોઈ પણ અર્થ લઈ શકાય છે. પ્રથમ પદમાં પણ “નમો' એ દુષ્કતગહ અર્થમાં, ‘રિહું એ સુકૃતાનુમોદન અર્થમાં અને “તાળ' એ શરણગમન અર્થમાં લઈ શકાય છે.
આત્મજ્ઞાનનું કારણ શ્રીપરમેષ્ઠિ નમસ્કાર એ પરમાત્મજ્ઞાનદ્વારા આત્મજ્ઞાન કરાવનાર હોવાથી અને આત્મજ્ઞાન કર્મક્ષયનું કારણ હોવાથી મુમુક્ષુઓનો મહામંત્ર છે. સ્વાધ્યાય અને ધ્યાનરૂપી અત્યંતર તપનું કારણ હોવાથી તથા પ્રાયશ્ચિત્ત અને વિનયરૂપ હોવાથી તથા વૈયાવચ્ચ
અને કાયોત્સર્ગનું પણ પ્રબળ અને અંતરંગ કારણ હોવાથી શ્રીનમસ્કાર મહામંત્રના . જાપનું અનુષ્ઠાન અભ્યતર તપના છએ છ પ્રકારોનો સંગ્રહ કરનારું છે. શ્રીનમસ્કાર
મહામંત્રના જાપનું અનુષ્ઠાન આ રીતે આત્માને એકાંત હિતકારી છે. સાધુને સૂત્રાર્થ કરવાના કહ્યા છે, તે પણ અવસ્થા વિશેષે મહામંત્રના જાપથી અને અર્થની ભાવનાથી સિદ્ધ થાય છે. ચૌદપૂર્વીઓને પણ આ મહામંત્ર આલંબનરૂપ કહ્યો છે. તેનું મુખ્ય કારણ તે આત્માની જ ભિન્ન ભિન્ન અવસ્થાઓનો સ્મારક અને પ્રતિપાદક હોવાથી
ધર્મ અનપેક્ષા ૦ ૮૧