________________
નમો વડે યોગ્યતા અને યોગ્યતાવડે રક્ષણ, એ અર્થ પણ થાય છે. ‘અરિ’ને હણનારા, યોગ્યતાને આપનારા અને તે વડે રક્ષણને કરનારા, એવો અર્થ પણ થાય છે.
‘આળું તાળું પ્રમાĪ''
અરિહંતોની આજ્ઞા એ જ રક્ષણ કરનારા છે, એ વાત મને પ્રમાણ છે, સંપૂર્ણ માન્ય છે. પ્રભુની આજ્ઞા સર્વજીવોને આત્મતુલ્ય ગણવાની છે અને આત્મતુલ્ય વર્તન કરવાની છે. તે આજ્ઞા મને પ્રમાણ છે. એમ નમો પદથી સ્વીકારાય છે. નમો નું ઔં + 7 એવું ઉલટું રૂપ થાય છે. ૐ સ્વીકાર અર્થમાં છે એટલે પ્રભુને કહે કે, તારો હું સ્વીકાર કરું છું અને 7 નિષેધ અર્થમાં છે. એટલે સંસારનો, સ્વાર્થનો, મોહનો હું નિષેધ કરું છું, એવો અર્થ પણ થાય છે.
‘નમો' એ મનરૂપી માથાનો મુગુટ છે.
‘નમો’ એ મનરૂપી કંઠનો હાર છે. ‘નમો' એ મનરૂપી અંગુલીની મુદ્રિકા છે. ‘નમો' એ મનરૂપી ધનુષ્યનું બાણ છે.
‘નમો' એ મનરૂપી અરણિનું ઉત્તર કાષ્ઠ છે.
‘નમો’ એ મનરૂપી સોયનો દોરો છે.
તેથી તેનું શ્રવણ-મનન અને નિદિધ્યાસન અનુક્રમે સર્વિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચાડે છે. સમાધિ સુધી પહોંચવું એ જીવને અત્યંત હિતકર છે. વળી નમો એ–
મનરૂપી સમ્યગ્દષ્ટિનો દેવ છે.
મનરૂપી સમ્યગ્લાનિનો ગુરુ છે. મનરૂપી સમ્યક્ચારિત્રનો ધર્મ છે.
નમસ્કારભાવ સિવાય માનસિક ભેદ-ભાવ ન ટળે અને તે ન ટળે ત્યાં સુધી અહંકાર-મમકાર ન ઓગળે. અહંકારનું અને મમકારનું ઓગળવું એટલે ભેદ-ભાવનું ટળવું. અભેદભાવ સિવાય જીવ જીવને જીવરૂપે કદીયે ન ઓળખે, ન આવકારી શકે, ” ન ચાહી શકે. તે અભેદભાવને સાધવા માટે નમો એ અદ્વિતીય સાધન છે.
૮૦ • ધર્મ અનુપ્રેક્ષા