________________
પ્રધાન મંગળ છે, શ્રેષ્ઠ મંગળ છે, નિત્ય વૃદ્ધિ પામતું મંગળ છે, શાશ્વત મંગળ છે અહંત્વ ને અર્હત્વથી- અને મમત્વ ને સમત્વથી ગાળી આપે છે, ટાળી આપે છે, દૂર કરી આપે છે, તેથી મંગળ છે, અર્હત્વ પરમાત્મતુલ્યતાનો અને સમત્વ સર્વાત્મતુલ્યતાનો બોધ કરાવી આપે છે. એ બોધની દૃઢતા પરમેષ્ઠિ નમસ્કાર કરી આપે છે. કેમ કે તેમાં અર્હત્વને નમસ્કાર છે અને અર્હત્વ એ સમત્વથી ભરપૂર છે. તેથી સમત્વ સહિત અર્હત્વનું ધ્યાન જેમાં છે, તે પરમેષ્ઠિ નમસ્કાર મમત્વ અને મહંત્વને દૂર કરી આપે છે એમાં કોઈ શંકા નથી. સમત્વ સર્વ જીવો સાથે એકતા સાધી આપે છે અને અર્હત્વ પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા સાધી આપે છે. મંત્રનો તાત્વિક અર્થ મનનવડે રક્ષણ છે. એટલે મંત્રદ્વારા દેવતા, ગુરુ અને આત્માનું ઐકચ સ્થાપન કરવું તે છે. મંત્ર મનને અને પવનને આત્મા સાથે ઐકચ કરી આપે છે અને આત્મા તેના મનનદ્વારા ગુરુ અને દેવતા સાથે ઐક્ય કરી લે છે. મંત્રના અક્ષરો મન અને પવન સાથે સંબંધ રાખે છે. મંત્રનો અર્થ દેવતા અને ગુરુ સાથે સંબંધ રાખે છે. આ રીતે દેવતા, ગુરુ અન મંત્રની એકતા સાધવાદ્વારા મંત્રચૈતન્ય પ્રગટે છે અને મંત્રચૈતન્ય પ્રગટ થવા દ્વારા યથેષ્ટ ફળની સિદ્ધિ થાય છે. દેવતા, અને ગુરુનો સંબંધ સકલ જીવસૃષ્ટિ સાથે છે, તેથી મંત્રચૈતન્ય વિશ્વવ્યાપી બની જાય છે. સમત્વનો લાભ એ તથાભવ્યત્વનો વિકાસ છે, મમત્વનો નાશ એ સહજમળનો હ્રાસ છે. સમત્વનો વિકાસ અર્હત્વની સાથે સંબંધ કરાવી આપે છે અને મમત્વનો એ વિજાતીય કર્મદ્રવ્યના સંબંધથી મન:કલ્પિત હતાં તે કલ્પના સમત્વ અને અર્હત્વની સાધનાદ્વારા ગળી જાય છે. વિકલ્પ કલ્પિત અહંત્વ અને મમત્વની કલ્પના ઓસરવા માંડે છે, તેમ તેમ વિજાતીય દ્રવ્યના સંબંધમાં આવવાની જીવની યોગ્યતા પણ ઘટતી જાય છે. વિજાતીય દ્રવ્યના સંબંધને અને અ ંત્વ-મમત્વની કલ્પનાને કાર્યકારણ ભાવનો સંબંધ છે. એકના ઘટવાથી બીજાનું ઘટવું અવશ્યમેવ થાય છે. જ્ઞાન અને ક્રિયા ઉભય મળીને મોક્ષનો માર્ગ બને છે, એવું શાસ્ત્રકાર ભગવંતોનું ફરમાન છે, વ્યવહા૨ કાળમાં ક્રિયા અને ધ્યાન કાળમાં જ્ઞાનમુખ્ય બનીને કર્મ-દ્રવ્ય અને અહંત્વમમત્વને ઘટાડનાર થાય છે.
નમો પદનું માહાત્મ્ય
‘નમો' – દુષ્કૃત-ાઈ । ‘અહિં’– સુતાનુમોલના ।
‘તાળ’. શરોપમન ।
ધર્મ અનુપ્રેક્ષા • ૭૯