________________
સૂર્ય અને ચંદ્રવાચી નમો પદ
‘ન' સૂર્યવાચી છે ‘મો' ચંદ્રવાચી છે ‘7'રૂપી સૂર્ય અર્થાત્ આત્મામાં ‘મો’રૂપી ચંદ્રમા અર્થાત્ મન વિલીન થાય છે. એટલે ‘અહં=અહં' રૂપ બની જાય છે અને ‘દં’ ત્રાણરૂપ બની જાય છે.
‘ૐ’ પરમાત્મ-વાચક છે. ‘ન' સૂર્ય આત્મવાચક છે ‘મો' ચંદ્ર-મનવાચક છે.
સૂર્યરૂપી આત્મામાં ચંદ્રરૂપી મન મળી જાય તો તે આત્મા પોતે જ પરમાત્મરૂપ બની જાય છે. મળી જવાની ક્રિયા ‘ત્રાણ'રૂપ છે અને મળી જવાથી આત્મા પરમાત્મસ્વરૂપ બની જાય છે. મનને આત્મામાં વિલીન કરવાની ક્રિયાનું નામ નમો છે. નમો એ મનનું ત્રાણ છે—શરણ છે—આશ્રયસ્થાન છે. મનરૂપી હંસને વિશ્રાન્તિ લેવા માટે કમલની શ્રેણી છે. મનરૂપી બાણ નોરૂપી ધનુષ્ય વડે, અદંરૂપી લક્ષ્યને વીંધીને ‘ત્રાણ’રૂપ બને છે. ‘ત્રાણ' એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું, સંકલ્પ-વિકલ્પ રહિત થવું, નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ બની જવું. તે સમાધિ માટે ‘અરહં'ના આલંબન—લક્ષ્યની અને નમોરૂપી ધનુષ્યની જરૂર પડે છે. નમોરૂપી ધનુષ્ય ઉપર મનરૂપી બાણને ચઢાવવાથી ‘અરહં'રૂપી લક્ષ્યને વીંધીને ‘ત્રાણ’રૂપી નિર્વિકલ્પ અવસ્થા સાધી શકાય છે. મનની અવળી ક્રિયા છોડાવીને તેને સવળી ક્રિયામાં જોડવા માટે નમો પદની આવશ્યકતા છે. નમો પોતે જ ‘અરહં' અને ‘ત્રાણ' `વાચક બની જાય છે. કેમ કે તેમાં ૐ એ ‘અરહં’ વાચક છે અને નમો ‘ત્રાણ’ વાચક છે. ત્રાણ એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું, આત્માકાર બની જવું મોરૂપી મન, નરૂપી આત્મામાં વિલીન થવાથી રૂપી પરમાત્મા પ્રગટ થાય છે.
તેથી મંત્રનું ઉચ્ચારણ આ પ્રમાણે થયું :
‘નમો-મોં-અરદું-તા''
‘નમો’નો ‘મ’રૂપી ચંદ્ર ‘ન’રૂપી સૂર્યમાં મળી ગયો એટલે અહં પ્રગટ થયા. તે પ્રગટ થવાથી હંમેશ માટે ભવભય ગયો અને આત્મભાવરૂપી શરણું પ્રાપ્ત થયું. એટલે સાત અક્ષરમાંથી માત્ર ૐ અક્ષર બચ્યો. બીજા બધા અક્ષરો પોતાની ભાવના સાથે પ્રણવાક્ષરમાં મળી ગયા. પ્રણવાક્ષર મૂળ મંત્ર કાયમ રહ્યો.
મંગલપદની વ્યુત્પત્તિ
“પઢમં હવદ્ મંગત” માં લયતિ મવાત્, સ્વાર્થાત્ અ ંત્વ-મમત્વ-ભાવાત્ તિ મંતં। જે મને ભવથી, સ્વાર્થથી, અહંતા-મમતાથી દૂર કરી આપે તે પ્રથમ મંગળ છે,
૭૮ • ધર્મ અનુપ્રેક્ષા