________________
યશ, જ્ઞાન અને ચારિત્રગુણના ધારક છે.
શ્રીસિદ્ધ • પરમપુરુષ, પરમેશ્વર, પરમાત્મા, પરમબંધુ, જગત મુકુટ, જગતતિલક, જગતશરણ, જગન્નાયક, જગન્નાથ, જગતગુરુ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્મળ, નિર્મમ, નિરીહ, નિરામય, કેવળ તેજ:પુંજાકાર, રૈલોક્યસાર સિદ્ધ પરમેષ્ઠિ અવિનાશીભાવે મુખ્ય ૮ ગુણોથી, અપેક્ષાએ એકત્રીસ ગુણોએ અથવા અનંતાનંત ગુણોથી શોભે છે.
પ્રકાશ અને ઉષ્મા નવકારનો જાપ અને સામાયિકનો અભ્યાસ એક બીજાના પૂરક છે. શ્રીનમસ્કાર દ્વારા મિથ્યાત્વ દૂર થાય છે, સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અથવા નિર્મળ થાય છે. સામાયિક દ્વારા અવિરતિ દૂર થાય છે, વિરતિ પ્રાપ્ત થાય છે. શ્રીનવકાર દ્વારા જ્ઞાનનો પ્રકાશ (Light) પ્રાપ્ત થાય છે સામાયિક દ્વારા ચારિત્રની ઉષ્મા (Heat) પ્રાપ્ત થાય છે. બંને દ્વારા ઓજસ્ પ્રાપ્ત થાય છે. આ ઓજસ્ એ કર્મમળનો હ્રાસ થતાં પ્રગટ થતી આત્મગુણોની વિશુદ્ધિ છે.'
1. શ્રીનવકાર અને સામાયિક શ્રીનવકારનો સંબંધ જ્ઞાન સાથે, દર્શન સાથે છે, જે દ્વારા સમ્યફ જણાય છે, સમ્યફ જોવાય છે. સામાયિકનો સંબંધ ક્રિયા સાથે છે, ચારિત્ર સાથે છે. જે દ્વારા સમ્યફ અનુભવાય છે. જે માર્ગ શ્રીનવકાર દ્વારા દેખાય છે, તે માર્ગે સામાયિક દ્વારા જવાય છે. આત્મશુદ્ધિના અને મોક્ષ પ્રાપ્તિના જે મહાન કાર્યની જવાબદારી માનવીના માથે રહેલી છે, તેને સફળ કરવાનાં આ બંને સાધનો છે. વાસ્તવિક રીતે બે નથી, એક જ છે. એક બીજાના પૂરક (Complimentary) છે. સાધ્ય અને સાધક વચ્ચેનો તફાવત (Gap) શ્રીનવકાર દર્શાવે છે, પણ આ તફાવતને દૂર કરવાની ઓછો કરવાની તાકાત શ્રીસામાયિકમાં છે.
વિદ્યુત અને આકર્ષણ શ્રીનવકારનું જબ્બર બળ એ છે કે તે આપણા દુમનનો નાશ કરે છે અને વાસ્તવિક રીતે આપણા પોતાના દુષ્ટ મન સિવાય આપણો બીજો કોઈ દુશ્મન નથી. શ્રીનવકાર મહામંત્ર છે કારણ કે તે વડે મનની દુષ્ટતા દૂર થાય છે. અન્ય જીવોને આત્મતુલ્ય ન માનવા એ મનની મોટી દુષ્ટતા છે. શ્રીનવકારની આરાધના વડે, તે દૂર થતી જાય છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૭૧